________________
૧ ૨૩
રાગ નામના દસમા પાપસ્થાનકની સજઝાય ભોગ ભોગવવા બાકી છે. એ વીરવાણી ખરેખર સાચી જ હોય. ભોગ ભોગવી લેવા રહ્યા.
શાસન દેવે સંભળાવેલ ભોગ કર્મ ઉદયમાં આવ્યાં તેથી બાર વર્ષ સુધી આ આવાસે રહ્યા. દરરોજ ૧૦ જણને પ્રતિબોધવાનો નિયમ રાખ્યો. જ્યાં સુધી ૧૦ જણને પ્રતિબોધી ન શકાય ત્યાં સુધી ભોજન ન લેવાનો પાકો નિયમ.
એક દિવસ ૯ જણ પ્રતિબોધ્યા પણ દશમો કોઈ ન મળ્યો. જમવાનું મોડું થયે જતું હતું. એક મુરખને પ્રતિબોધવા ઘણી મહેનત કરી પણ તે પ્રતિબોધ ન પામ્યો. આથી વેશ્યા-વનિતાએ હસતાં હસતાં કહ્યું, નવ તો થયા, દશમા તમે, અને નંદીષણનો આત્મા પ્રજવલિત થઈ ગયો. હા દશમો હું, બધું છોડી ભગવાન પાસે ચાલી ફરી દીક્ષા ગ્રહણ કરી, ચોખ્ખું ચારિત્ર પાળી, તપ, જપ-સંયમ ક્રિયા બધું સાધી, ઘણા જીવોને પ્રતિબોધી દેવલોક ગયા.
અષાઢાભૂતિની કથા જશોદાના પુત્ર અષાઢાભૂતિ, તેમને ૧૧મે વર્ષે ધર્મરુચિ ગુરુ પાસે દીક્ષા લીધી હતી. અષાઢાભૂતિ મહાવિદ્વાન અણગાર હતા. વિદ્યાના બળે તેમને કેટલીક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. એક લબ્ધિના બળે તેઓ જુદા જુદા રૂપ કરી શકતા હતા.
એક વખત તેઓ એક નટને ત્યાં વહોરવા પધાર્યા. નટે ઘરે મોદક બનાવ્યા હતા તે વહોરાવ્યા. ઉપાશ્રયે જઈ ગોચરી વાપરતાં મોદક અત્યંત સ્વાદિષ્ટ અને સુગંધથી મહેકતો હતો તેથી અષાઢાભૂતિ ફરીથી તે નટને ત્યાં જુદું રૂપ કરી મોદક વહોરી લાવ્યા. મોદક વાપરતાં જીભમાં સ્વાદ રહી ગયો તેથી ફરી પાછું જુદું રૂપ કરી એ જ નટને ત્યાં મોદક વહોરવા ગયા. નટ હોંશિયાર હતો એટલે વાતને સમજી ગયો કે એક જ સાધુ જુદાં જુદાં રૂપ લઈ મોદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org