SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અને પાણી વધુ ને વધુ ચન્દ્ર તરફ ખેંચાતું જાય છે. ચન્દ્રના ગુરુત્વાકર્ષણની તાકાત જો ખરેખર પૃથ્વીના ગુરુત્વાકર્ષણની તાકાત કરતાં વધુ હોય તો પૃથ્વી ઉપરનું બધું જ પાણી ખેંચાઈને ચન્દ્ર ઉપર પહોંચી જવું જોઈએ. (૪) ચન્દ્રનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ તો સમુદ્રની મધ્યમાં હોવું જોઈએ. આ બળને કારણે દરિયાની મધ્યમાં રહેલું પાણી ઊંચકાવું જોઈએ અને કિનારા ઉપર ઓટ આવવી જોઈએ. હકીકતમાં બન્ને કિનારા ઉપર ભરતી આવે છે. સમુદ્રમાં ભરતી-ઓટની પ્રક્રિયા સમજાવવામાં ન્યુટનની ગુરુત્વાકર્ષણની થિયરી નિષ્ફળ ગઈ છે. એટલે સુધી કે સર આઇઝેક ન્યુટને પણ કબૂલ કર્યું હતું કે તેમની થિયરી સમુદ્રમાં ભરતી-ઓટની પ્રક્રિયાનો સંતોષકારક ખુલાસો આપી શકતી નથી. સમુદ્રમાં ભરતી-ઓટ માટે ચન્દ્રનું ગુરુત્વાકર્ષણ જવાબદાર નથી એ વાત સ્પષ્ટ થઈ જતાં જ પ્રશ્ન પેદા થાય છે કે તો પછી સમુદ્રમાં ભરતી-ઓટ કેમ થાય છે? આ જાણવા માટે આપણે પહેલાં ભરતી-ઓટની વ્યાખ્યા બાંધવી પડશે. આપણે સાદી ભાષામાં કહી શકીએ કે જમીનની સરખામણીએ દરિયાના પાણીનું સ્તર ઉપર આવે તેને ભરતી કહેવામાં આવે છે અને નીચે જાય તેને ઓટ કહેવામાં આવે છે. અથવા તો એવી વ્યાખ્યા બાંધી શકાય કે જમીન અને પાણી વચ્ચેના સ્તરમાં થતાં સાપેક્ષ તફાવતને ભરતી-ઓટ કહેવામાં આવે છે.’’ આ બાબતમાં એક હકીકત એવી છે કે પૃથ્વીની સપાટી ઉપર આવેલા જમીન અને પાણી ઉપર હવાનું સતત દબાણ હોય છે, જે સ્થળે સ્થળે બદલાતું હોય છે. સમુદ્રમાં જ્યારે ભરતી અથવા તોફાન આવે છે ત્યારે પણ જોવા મળે છે કે આ ખળભળાટ માત્ર પાણીની સપાટી ઉપરનો હોય છે અને સમુદ્રની ઊંડાઈએ તેની ભાગ્યે જ કોઈ અસર જોવા મળતી હોય છે. સેંકડો ફૂટની ઊંડાઈએ તો સમુદ્ર હંમેશાં શાંત અને સ્થિર જ હોય છે. પાણીનો બીજો ગુણધર્મ એ છે કે તેને હવાની જેમ દબાણ આપીને સંકોચી શકાતું નથી. જ્યારે કોઈ મોટા ગોળામાં પાણી ભરીને તેને શક્તિશાળી યંત્રથી દબાવવામાં આવે ત્યારે પાણી દબાતું નથી પણ ગોળાનાં છિદ્રોમાંથી બહાર આવી જાય છે. તેથી વિરુદ્ધ હવા ખૂબ જ સ્થિતિસ્થાપક અને દબાવી શકાય તેવી હોય છે. એરપમ્પ, એર-ગન, કન્ડેન્સિંગ સિરિન્જ વગેરે પ્રયોગો ઉપરથી આ વાત સાબિત થઈ શકે છે. હવા અને પાણીના ગુણધર્મોમાં આ પાયાનો તફાવત છે. સમુદ્રમાં જે ભરતી-ઓટ જોવા મળે છે તેની વધુ અસર Jain Education International બન્ને બાજુ કિનારા ઉપર જ જોવા મળે છે, પણ સમુદ્રની મધ્યમાં તેની ખાસ અસર જોવા મળતી નથી. સમુદ્રની મધ્યમાં પાણીની ઊંચાઈમાં વધ-ઘટ જરૂર થાય છે, પણ તે આગળ કે પાછળ થતું નથી. એક ખલાસીને વિચાર આવ્યો કે દરિયામાં ભરતી ક્યાંથી આવે છે તેનું મૂળ શોધવું જોઈએ. આ કારણે તે ઓટના સમયે હોડી લઈને સમુદ્રની મધ્યમાં પહોંચી ગયો. અહીં દરિયો શાંત હતો. થોડી વાર થઈ અને ભરતી શરૂ થતાં જ તેની હોડી કિનારે પહોંચી ગઈ. સમુદ્રમાં ભરતી-ઓટના જે સમયો હોય છે તે પણ નિયમિત અને એકસરખા નથી હોતા. દાખલા તરીકે મુંબઈના સમુદ્રમાં ભરતીઓટના જે સમયો હોય છે તે વલસાડના સમુદ્ર કરતાં અલગ જ હોય છે. એક જ સ્થળે ભરતી-ઓટના સમયો પણ અલગ-અલગ દિવસે બદલાયા કરે છે. પૃથ્વીના અત્યંત દક્ષિણના પ્રદેશોમાં ભરતીની તીવ્રતા એકદમ ઓછી હોય છે અને અમુક જગ્યાએ તો દરિયામાં ભરતીનો ખ્યાલ પણ નથી આવતો. દક્ષિણમાં ૪૮ અક્ષાંશ ઉપર આવેલા ક્રિસમસ હાર્બરમાં ક્યારેય અઢી ફૂટથી વધુ ઊંચી ભરતી આવતી નથી. વસંત ઋતુમાં સામાન્ય રીતે જે ભરતી આવે છે તેની ઊંચાઈ તો બે ફૂટથી પણ ઓછી હોય છે. દક્ષિણમાં ૫૦ અક્ષાંશ ઉપર આવેલા ઓકલેન્ડ ટાપુઓમાં મોટામાં મોટી ભરતી ત્રણ ફૂટની જ આવે છે. જે વિજ્ઞાનીઓએ દક્ષિણ મહાસાગરમાં એન્ટાર્કટિક ખંડની શોધ કરી હતી તેમનું પણ કહેવું હતું કે ત્યાંના સમુદ્રમાં ભાગ્યે જ ભરતી-ઓટ જોવા મળતાં હતાં. જમીનની વચ્ચે આવેલા અનેક નાના સમુદ્રોમાં અને મોટાં તળાવોમાં બિલકુલ ભરતી-ઓટ જોવા મળતી નથી. જો ચન્દ્રના ગુરુત્વાકર્ષણને કારણે ભરતી-ઓટ થતાં હોય તો નાના સમુદ્રો અને મોટાં તળાવોમાં પણ આ પ્રકારની અસર થવી જોઈએ. આપણે અગાઉ જોયું તેમ દરિયાના પાણીને હવાનું દબાણ વધારીને સંકોચી શકાતું નથી અને દબાણ ઘટાડીને વિસ્તરી શકાતું નથી. આપણે જોઈએ છીએ કે ભરતી દરમિયાન હકીકતમાં દરિયાના પાણીના જથ્થામાં વધારો થાય છે. આ વધારો પાણીના કોઈ વિસ્તરણને કારણે નથી પણ દરિયામાં કોઈ સ્રોતમાંથી નવું પાણી આવ્યું છે તેને કારણે છે. આપણે જોઈએ છીએ કે ઓટ સમયે દરિયામાં પાણીના જથ્થામાં ઘટાડો થાય છે. આ ઘટાડો પાણીના સંકોચનને કારણે નથી પણ દરિયાનું પાણી કોઈ બખોલમાં ચાલ્યું ગયું છે તેને કારણે છે. ભરતી સમયે દરિયામાં નવું પાણી ક્યાંથી આવ્યું અને ઓટના સમયે દરિયાનું પાણી ક્યાં જતું રહ્યું? આ સવાલોના જવાબો શોધી શકીએ તો જ દરિયામાં ભરતી-ઓટનાં જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૬૮ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy