SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા શબ્દોમાં ત્રિકોણની બે બાજુઓ ‘બીસી’ અને ‘સીડી’ જો લંબાઈમાં સરખી હોય તો ‘સીએ’ અને ‘સીએલ’ પણ લંબાઈમાં સરખી જ હશે. એટલે જો આપણે ‘એલ’ થી ‘સી’ વચ્ચેનું અંતર માપી શકીએ તો ‘સી’ થી ‘એ’ વચ્ચેનું અંતર પણ એટલું જ હશે. ઈ.સ. ૧૮૫૬માં ડો. પેરેલક્ષે આ નિયમનો ઉપયોગ કરીને બ્રિટનના દરિયાકિનારે આવેલા નેલ્સન્સ ટાવરની ઊંચાઈ માપી બતાવી હતી. ડી ઓ એક કાર્ડબોર્ડને કાપીને તેમાંથી કાટકોણ ત્રિકોણ બનાવવામાં આવ્યો હતો. આ ત્રિકોણની બે સરખી બાજુઓની લંબાઈ આશરે ૮ ઇંચ હતી. આ ત્રિકોણની એક બાજુએ પિન વડે એક પાતળો રેશમી દોરો બાંધવામાં આવ્યો હતો, જેની નીચેના ભાગમાં એક કાંકરો લટકાવવામાં આવ્યો હતો. આ દોરાનો ઉપયોગ મિસ્ત્રીના ઓળંબા તરીકે કરવાનો હતો, જેના થકી ત્રિકોણ બરાબર જમીનને કાટખૂણે છે તેનો ખ્યાલ આવે. આ ત્રિકોણને હાથમાં રાખીને ‘એ’ બિંદુ ઉપરથી જોવામાં આવતાં દૃષ્ટિરેખા ‘બી’ ઉપર Jain Education International પડતી હતી. હવે ધીમે ધીમે ત્રિકોણને પાછળની તરફ લઈ જતાં ‘સી’ બિંદુથી ટાવરની ટોચ ‘ડી’ સીધી લાઇનમાં દેખાતી હતી. હવે એક સળિયાની મદદથી રેખા ‘ડીસી’ને ‘એચ’ સુધી લંબાવવામાં આવી હતી અને ‘એચ’ થી ટાવરના પાયા ‘ઓ’ સુધીનું અંતર માપવામાં આવ્યું હતું. આ અંતર ટાવરની ઊંચાઈ ‘ઓડી’ જેટલું જ હતું. આ ઊંચાઈ ખરી કે કેમ, એ જાણવા માટે ટાવરની સાચી ઊંચાઈનો રેકોર્ડ મેળવવામાં આવ્યો હતો. તેના માપમાં માત્ર એક ઇંચ જેટલો જ ફરક હતો. આ પ્રયોગ ઉપરથી ખ્યાલ આવે છે કે શુદ્ધ ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને કોઈ પણ દૂર રહેલા પદાર્થનું અંતર અથવા તેની ઊંચાઈ પણ શોધી શકાય છે. એચ આ જ સિદ્ધાંતનો ઉપયોગ જ્યારે સૂર્યની ઊંચાઈ શોધવા માટે કરવામાં આવ્યો ત્યારે ચોંકાવનારાં પરિણામો મળ્યાં હતાં. આ પરિણામોને કારણે સૂર્ય પૃથ્વીથી કરોડો માઇલ દૂર છે એવી આજના વિજ્ઞાનીઓની માન્યતા ખોટી પુરવાર થતી હતી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૬૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy