SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ થતાં જ તે દેખાતો બંધ થાય છે અથવા ક્ષિતિજની હેઠળ ડૂબી જાય છે. આપણે અગાઉ અનેક ઘટનાઓમાં જોયું છે તેમ જ્યારે કોઈ ચીજ દૂર થતી જાય ત્યારે દૃષ્ટિ-સાપેક્ષતાના નિયમ મુજબ તે નીચે ને નીચે જતી હોય તેવો ભાસ થાય છે. ધ્રુવના તારાને બદલે કોઈ પણ ટેકરી, ટાવર, દીવાદાંડી અથવા ઊંચી ઇમારતથી આપણે દૂર જતા રહીશું તો પણ આપણને આ પ્રકારનો ભ્રમ થશે. કોઈ પણ ચીજથી આપણે દૂર જઈએ ત્યારે તેની તરફ જે ખૂણે જોઈએ છીએ તે ખૂણો ઘટતો જાય છે. છેવટે આ ખૂણો એટલો બધો ઘટી જાય છે કે વસ્તુ આપણને ક્ષિતિજમાં અલોપ થતી જણાય છે. ઉત્તર ધ્રુવ ઉપર ધ્રુવનો તારો આપણને બરાબર માથા ઉપર દેખાય છે, એટલે તેની સાથે આપણી સૃષ્ટિ બરાબર ૯૦ અંશનો ખૂણો બનાવે છે. આપણે જેમ જેમ દક્ષિણ દિશામાં જતા જઈએ તેમ તેમ આ ખૂણો ઓછો થતો જાય છે અને ધ્રુવનો તારો ક્ષિતિજ તરફ જતો દેખાય છે. જે સ્થળ જેટલા અક્ષાંશ ઉપર આવ્યું હોય એટલા અક્ષાંશ ઉપર ધ્રુવનો તારો દેખાય છે. કોઈ પણ જગ્યાના અક્ષાંશ શોધવા માટે પણ ધ્રુવનો તારો ઉપયોગમાં લેવાય છે. વિષુવવૃત્ત ઉપર પહોંચતાં ધ્રુવનો તારો દષ્ટિમર્યાદાની બહાર જતાં ક્ષિતિજમાં ડૂબી જતો હોય તેવો ભાસ થાય છે. વિષુવવૃત્તની દક્ષિણ દિશામાં ધ્રુવનો તારો બિલકુલ જ દેખાતો નથી. આ પ્રક્રિયા દૃષ્ટિસાપેક્ષતાના સિદ્ધાંત વડે સમજાવી શકાય તેવી છે. તેના માટે પૃથ્વીને ગોળ માનવાની કોઈ જરૂર નથી. બે રેખાંશ વચ્ચેનું અંતર પૃથ્વી ગોળ છે, એવું માનનારા વિજ્ઞાનીઓ એવી દલીલ કરે છે કે ઉત્તર ધ્રુવમાંથી જે રેખાંશ નીકળે છે તે બે રેખાંશ વચ્ચેનું અંતર દક્ષિણ દિશામાં જતાં વધતું જાય છે અને છેવટે વિષુવવૃત્ત ઉપર આ અંતર મહત્તમ બની જાય છે. વિજ્ઞાનીઓ કહે છે કે વિષુવવૃત્તની દક્ષિણે આ અંતર ઓછું થતું જાય છે, કારણ કે પૃથ્વી દડા જેવી ગોળ છે. આ દલીલનો ઉત્તર એવો છે કે ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્ત વચ્ચે આવેલા રેખાંશો વચ્ચેનું અંતર હકીકતમાં માપવામાં આવ્યું છે, પણ વિષુવવૃત્તની દક્ષિણે આવેલા રેખાંશો વચ્ચેનું અંતર કદી પણ માપવામાં આવ્યું નથી. આ અંતર જો ખરેખર માપવામાં આવ્યું હોય અને ઘટતું જતું હોય તો પૃથ્વી દડા જેવી ગોળ છે એવું માની શકાય, પણ હકીકત કંઈક અલગ જ છે. આ થિયરીની ચકાસણી કરવાનો એક જ ઉપાય છે કે વિષુવવૃત્તની દક્ષિણે આવેલાં બે રેખાંશ વચ્ચેનું અંતર ખરેખર માપવું. Jain Education International આ માટે કોઈ બે સ્થળ વચ્ચે સૂર્યોદયના સમયમાં ચાર મિનિટનો ફરક હોય, એટલે કે તેમના રેખાંશમાં ૧ અંશનો ફરક હોય, તેમનું પૂર્વ-પશ્ચિમ અંતર માપવું જોઈએ. આ બે સ્થળો એક જ અક્ષાંશ ઉપર આવેલાં હોવાં જોઈએ. જો આપણને વિષુવવૃત્તની દક્ષિણે એક જ અક્ષાંશ ઉપર આવેલાં બે સ્થળો વચ્ચેનું અંતર ખબર હોય અથવા બન્ને સ્થળોના સૂર્યોદય અથવા સૂર્યાસ્તના સમય વચ્ચેનો તફાવત ખબર હોય તો આપણે આ થિયરીની ચકાસણી કરી શકીએ. ઈ.સ. ૧૮૭૨ની સાલમાં ઓસ્ટ્રેલિયન હેન્ડબુકમાં ન્યુ ઝીલેન્ડનો જે નકશો છપાયો હતો તેમાંથી આપણને આ બન્ને પ્રકારની વિગતો ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. આ નકશામાં એવું જણાવવામાં આવ્યું છે કે સિડની અને નેલ્સન વચ્ચેનું અંતર ૧૪૦૦ દરિયાઈ માઇલ અથવા જમીન ઉપરના ૧૬ ૩૩ માઇલ જેટલું છે. આ અંતરમાંથી કેપ ફેરવેલની પ્રદક્ષિણામાં વેડફાતા ૫૦ માઇલ કાઢી નાખીએ અને ૩૩ માઇલ ટાસ્માનના અખાતમાં મુસાફરી કરવા માટેના કાઢી નાખીએ તો સિડની અને નેલ્સન વચ્ચેનું પૂર્વ-પશ્ચિમ અંતર ૧૫૫૦ માઇલ જેટલું થાય છે. આ બન્ને શહેરો એક જ અક્ષાંશ ઉપર છે અને તેમનાં રેખાંશો વચ્ચે ૨૨ અંશ બે મિનિટ અને ૧૪ સેકન્ડનું અંતર છે. ઉપરની હકીકતોના આધારે ગણિત કરીએ કે ૨ ૨ અંશ ૨ મિનિટ ૧૪ સેકન્ડમાં ૧૫૫૦ માઇલ થાય તો ૩૬૦ અંશમાં કેટલા માઇલ થાય? જવાબ છે, ૨૫,૧૮૨ માઇલ. આ રીતે આ અંતરનો ૩૬૦મો ભાગ એક અંશ થાય છે અને તે આશરે ૭૦ માઇલ જેટલું થાય છે. પરંતુ જો પૃથ્વી ગોળ હોય તો સિડનીના અક્ષાંશ ઉપર બે રેખાંશ વચ્ચેનું અંતર ૫૮ માઇલ જેટલું જ હોવું જોઈએ. આપણે જોયું કે સિડનીના અક્ષાંશ ઉપર બે રેખાંશ વચ્ચે જેટલું અંતર હોવું જોઈએ તેના કરતાં ૧૨ માઇલનું અંતર વધુ છે. આજના વિજ્ઞાનીઓની માન્યતા મુજબ સિડનીના અક્ષાંશે પૃથ્વીના ગોળાનો પરિઘ ૨૦,૯૨૦ માઇલ જ હોવો જોઈએ, જે હકીકતમાં ૨૫,૧૮૨ માઇલ છે. આ રીતે થિયરી અને હકીકત વચ્ચે ૪૨૬૨ માઇલનો તફાવત આવે છે. હકીકતમાં વિષુવવૃત્ત ઉપર પૃથ્વીનો પરિઘ ૨૫,૦૦૦ માઇલ હોવાનું માનવામાં આવે છે. પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો દક્ષિણ ગોળાર્ધમાં આ પરિઘ ઘટતો હોવો જોઈએ, પણ અહીં તો હકીકતમાં તે વધતો જોવા મળે છે. આવી જ રીતે આપણે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન અને ન્યુ ઝીલેન્ડના બ્લફ હાર્બર વચ્ચેનું પૂર્વ-પશ્ચિમ અંતર લઈએ તો તે ૧૬૩૩ માઇલ છે. તેમાંથી બ્લફ હાર્બર પહોંચવા માટેના ત્રિકોણ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન - ૪૬ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy