SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાનીઓ કહે છે કે સંધ્યાકાળે સાત રંગ પૈકી લાલ રંગનું વક્રીભવન વધુ થતું હોવાથી માત્ર લાલ રંગનાં કિરણો જ આપણી આંખ સુધી પહોંચતાં હોવાથી સંધ્યાકાળે સૂર્ય લાલ દેખાય છે. જો આ વાત ખરી હોય તો ઉદયના સમયે પણ સૂર્ય લાલ દેખાવો જોઈએ. વક્રીભવનનો જે નિયમ સંધ્યાકાળે કામ કરે છે તે ઉદયકાળે પણ લાગુ પડવો જોઈએ. હકીકતમાં સૂર્યનો ઉદય થાય છે ત્યારે તે લાલ દેખાતો નથી. આ વિચિત્રતાને સમજાવવા હવે કેટલાક વિજ્ઞાનીઓ પૃથ્વીને પણ ધૂમકેતુની જેમ પૂંછડું હોવાની વાતો કરવા લાગ્યા છે. હકીકતમાં સૂર્યને પૃથ્વી કરતાં મોટો માનવાને કારણે આ ગૂંચવાડો પેદા થયો છે. ૧ ગુરુત્વાકર્ષણ ૭૫ સૂર્ય પૃથ્વી કરતાં મોટો નથી એ વાત ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી નથી. ૭૨ ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં સમાનતા નથી વિજ્ઞાનીઓ કહે છે કે ઉનાળામાં પૃથ્વીનો ઉત્તર ધ્રુવ સૂર્ય તરફ નમેલો હોવાથી ઉત્તર ધ્રુવમાં છ મહિનાનો દિવસ હોય છે. વિજ્ઞાનીઓ કહે છે કે ઉત્તર ધ્રુવમાં શિયાળો હોય ત્યારે દક્ષિણ ધ્રુવમાં ઉનાળો હોય છે. જો કે ઉત્તર ધ્રુવમાં છ મહિનાનો દિવસ હોય છે ત્યારે દક્ષિણ પ્રદેશમાં ક્યાંય છ મહિનાની રાત્રિ હોતી નથી. વળી ઉત્તર ધ્રુવમાં છ મહિનાની રાત્રિ હોય છે ત્યારે દક્ષિણ પ્રદેશમાં ક્યાંય છ મહિનાનો દિવસ જોવા મળતો નથી. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં એકસરખી પરિસ્થિતિ જોવા મળતી નથી. દક્ષિણ પ્રદેશમાં ક્યાંય છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રિ જોવા મળતી નથી, જેના ઉપરથી સાબિત થાય છે કે દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ જ નથી. જ્યારે દક્ષિણ ધ્રુવ ન હોય ત્યારે સ્પેસ વોક શું છે? પૃથ્વી ગોળ હોવાની અને ફરતી હોવાની વાત ખોટી સાબિત થાય છે. ૭૩ પૃથ્વીનો વ્યાસ કેટલો? જે વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ માને છે તેમની વચ્ચે પણ પૃથ્વીના વ્યાસ બાબતમાં મતભેદો છે. બ્રિટનના ખગોળશાસ્ત્રી શ્રીમાન હાઈન્ડ એવા બે ગણિતશાસ્ત્રીઓની વાત કરે છે, જેમના પૃથ્વીના વ્યાસના અંદાજ બાબતમાં ૫૫ વારનો ફરક આવે છે. જ્યારે જ્યોર્જ હર્શલ નામના ખગોળશાસ્ત્રી પોતાના પુસ્તકમાં તેના કરતાં ૪૮૦ માઇલ ઓછો વ્યાસ ધરાવે છે. જે વિજ્ઞાનીઓ પૃથ્વીના વ્યાસ બાબતમાં અલગ અલગ આંકડાઓ આપે છે, તેમની વાત ઉપર વિશ્વાસ કેમ રખાય? Jain Education International વિજ્ઞાનીઓની ૭૪ વિચિત્ર ભાષા બ્રિટનના મહાન ખગોળશાસ્ત્રી રિચર્ડ પ્રોક્ટર એક પુસ્તકમાં લખે છે કે ‘‘સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે એમ ધારી લેવામાં કોઈ હરકત નથી.'' આ વાક્ય ઉપરથી ખ્યાલ આવે છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે એ ધારી લેવામાં આવેલી વાત છે; સાબિત થયેલું સત્ય નથી. કાલ્પનિક વસ્તુ છે સર આઇઝેક ન્યુટને વૃક્ષ ઉપરથી સફરજન નીચે પડતાં જોયું ત્યારે તેમને વિચાર આવ્યો કે પૃથ્વીમાં બધી ચીજોને પોતાની તરફ આકર્ષવાની શક્તિ છે, જેને ગુરુત્વાકર્ષણ નામ આપવામાં આવ્યું. હકીકતમાં વિજ્ઞાનીઓની આ મોટી ઐતિહાસિક ભૂલ હતી. પૃથ્વી જો બધી જ ચીજોને પોતાની તરફ આકર્ષતી હોય તો શા માટે ધુમાડો નીચે આવવાને બદલે ઉપર તરફ જાય છે? શા માટે લોહચુંબક વડે જમીન ઉપર પડેલી સોય પણ ઉપર તરફ ખેંચાઈ જાય છે? તેના જવાબો મળતા નથી. હકીકત એ છે કે વસ્તુઓ પોતાના ગુરુ અથવા લઘુ સ્વભાવને કારણે નીચે અથવા ઉપરની તરફ ગતિ કરે છે. તેમાં ગુરુત્વાકર્ષણની કોઈ ભૂમિકા નથી. ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમના આધારે જ પૃથ્વીને ગોળ અને ફરતી દર્શાવી શકાય છે. આ નિયમ ખોટો સાબિત થઈ જાય એટલે પૃથ્વી સપાટ અને સ્થિર સાબિત થઈ જાય છે. ૭૬ આજના વિજ્ઞાનીઓ કહે છે કે બાહ્યાવકાશમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બિલકુલ અસર ન હોવાથી અવકાશમાં આરામથી ચાલી શકાય છે. આ વાત પણ ભૂલભરેલી છે. જૈન શાસ્ત્રો કહે છે કે આકાશમાં પહેલા તનવાયુ (પાતળો વાયુ), પછી ઘનવાયુ(જાડો વાયુ) અને પછી ઘનોધિ (ઘન પાણી) આવે છે, જે એક જાતના બરફ જેવું છે અને તેની ઉપર કોઈ પણ આધાર વગર ઊભા રહી શકાય છે. આ ઘનોધિ ઉપર અવકાશયાત્રીઓ સ્પેસ વોક કરે છે. એ માટે ગુરુત્વાકર્ષણની હાજરી અથવા ગેરહાજરીની કલ્પના કરવી જરૂરી નથી. મે આ ૭૭ અવકાશમાં ખૂબ ઠંડી છે જૈન શાસ્ત્રો મુજબ બાહ્ય અવકાશમાં ઘનવાયુ અને જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૩૯ For Private & Personal Use Only www.jaine||brary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy