SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ઘનોધિ છે, એની અનેક સાબિતીઓ આજના વિજ્ઞાનીઓ પણ આપે છે. ઈ.સ. ૧૮૦૪માં ગેલુસાક અને બીઓટ નામના ફ્રેન્ચ વિજ્ઞાનીઓ બલૂનમાં બેસીને આશરે ચાર માઇલ આકાશમાં ઊંચા ગયા હતા. તેઓ લખે છે કે ત્યાંની હવા એટલી બધી ઠંડી હતી કે સીસામાં રહેલી શાહી પણ તેમાં સુકાઈ ગઈ હતી. તેમણે આ હવામાં સાથે લઈ ગયેલા પક્ષીને ઉડાડવાની કોશિશ કરી પણ તે ઊડી શક્યું નહીં. અમુક અંતર સુધી તે પથ્થરની જેમ નીચે પડ્યું અને તે પછી પાંખો ફફડાવી ઊડી શક્યું હતું. ત્યાં ઉપર જતાં ફેફસાં પણ સંગ્રહી ન શકે એવી ઘટ્ટ હવા આવે છે. આ રીતે બાહ્યાવકાશમાં ઘનવાયુ હોવાની જૈન શાસ્ત્રોની વાત સિદ્ધ થઈ જાય છે. ,૪૦,૦૦૦ ફૂટ ७८ ઉપર ઘનોદધિ છે તા. ૨૯-૯-૧૯૨૧ના રોજ અમેરિકાનો વિમાની જે.એ.મોકરેડી ૪૦,૮૦૦ ફૂટ ઊંચે પહોંચ્યો હતો. તેના કહેવા મુજબ, ‘આ સ્થાનની હવા ભારે છે. અહીં વાદળ સ્થિર છે. આગળ જતાં બરફ જેવું કઠણ પાણી આવે છે. તેની ઉપર ગમે તેટલો ભાર નાખીએ તો પણ સ્થિર રહે છે.’' આ વર્ણન ઉપરથી જૈન શાસ્ત્રોનો ધનોદધિ સિદ્ધ થાય છે. કેરી ૭૯ સૂર્ય પૃથ્વી કરતાં ખૂબ નાનો છે આજના વિજ્ઞાનીઓ કહે છે કે સૂર્ય પૃથ્વી કરતાં ૧૨ લાખ ગણો મોટો છે. જો આ વાત સાચી હોય અને પૃથ્વી દડા જેવી ગોળ હોય તો અડધા દડા ઉપર સૂર્યનો એકદમ સીધો પ્રકાશ પડવો જોઈએ. એટલે કે સૂર્યનો પ્રકાશ જેટલી પૃથ્વી ઉપર પડે ત્યાં બધે બપોર જેવો તડકો હોવો જોઈએ. તેને બદલે પૃથ્વી ઉપર ક્યાંક સવાર, ક્યાંક બપોર અને ક્યાંક સાંજ હોય છે; જેના ઉપરથી સાબિત થાય છે કે સૂર્ય પૃથ્વી કરતાં નાનો છે અને પૃથ્વી ગોળ નથી. સૂર્ય સંકોચાતો જાય છે? ८० આજના વિજ્ઞાનીઓ કહે છે કે સૂર્ય દર ૨૦ વર્ષે ૧ માઇલ જેટલો સંકોચાતો જાય છે. આ વાત માત્ર કલ્પના છે. સૂર્ય અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી પ્રકાશવાનો છે. સૂર્ય જો ખરેખર ઘટતો હોય તો તેનો ક્યારેક નાશ થઈ શકે. આ વાત શક્ય નથી. માટે સૂર્ય પૃથ્વીથી મોટો નથી અને પૃથ્વી ગોળ નથી એ સાબિત થાય છે. Jain Education International ૮૧ આપણે ભરદરિયે જઈએ અને ચારે તરફ નજર કરીએ તો પૃથ્વી ગોળ દેખાય છે, જેના ઉપરથી આજના વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી દડા જેવી ગોળ છે. બલૂનમાં કે વિમાનમાં ઉપર જતાં મનુષ્યને પણ પૃથ્વી ગોળ દેખાય છે. હકીકતમાં આ રીતે પૃથ્વી દડા જેવી નહીં પણ થાળી જેવી ગોળ અને સપાટ દેખાય છે. આજ સુધી કોઈ નાવિકે અથવા વિમાનીએ દડા જેવી ગોળ પૃથ્વી દેખાઈ હોવાનો દાવો કર્યો નથી. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. ભરદરિયે પૃથ્વી ગોળ દેખાય છે? ૮૨ કરે છે? શું શું બધું જ આજના વિજ્ઞાનીઓ કહે છે કે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, આખી સૂર્યમાળા કોઈ કેન્દ્રની આજુબાજુ ફરે છે. આમ કોઈ વસ્તુ સ્થિર નથી. કેટલાક વિજ્ઞાનીઓ કહે છે કે આખું બ્રહ્માંડ ફુગ્ગાની જેમ વિસ્તરી રહ્યું છે અને એક દિવસ ફૂટી જશે. આ બધી કલ્પનાઓ છે. સત્ય એ છે કે પૃથ્વી સ્થિર છે. દીવાલો સમાંતર એ ૮૩ હોય છે પૃથ્વી જો ગોળ હોય અને તેને કાટખૂણે જમીનથી સરખા અંતરે બે દીવાલો ઊભી કરવામાં આવે તો આ બે દીવાલોની ઊંચાઈ વધે તેમ તેમના ટોચના ભાગ વચ્ચે અંતર વધવું જોઈએ. એક ગોળા ઉપર બે લાકડાની પટ્ટીઓ કાટખૂણે મૂકીને પ્રયોગ કરી જુઓ. હકીકતમાં આ બે દીવાલો છેક સુધી સમાંતર રહે છે, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. ૮૪ વિમાનને ગતિ કરવાની શું જરૂર? જો પૃથ્વી પોતાની ધરી ઉપર એક મિનિટના ૧૧૦૦ માઇલની ઝડપે ફરતી હોય તો કોઈ વિમાને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે પેટ્રોલ બાળવાની જરૂર નથી. વિમાન પહેલાં આકાશમાં ૩૦,૦૦૦ ફૂટ ઊંચે જાય અને ૧૦ મિનિટ સ્થિર રહીને નીચે આવે તો અમેરિકા આવી જવું જોઈએ. આવું બનતું નથી કારણ કે પૃથ્વી ગોળ નથી અને ફરતી નથી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૪૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy