SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી પણ સપાટ છે. ચીનની દીવાલ પૃથ્વી સપાટ હોવાની સૌથી મોટી સાબિતી છે. એન્ટાર્કટિકા ખંડમાં ૬૨ સફર ચેલેન્જર નામની બ્રિટિશ સ્ટીમરે જેમ દક્ષિણ મહાસાગરમાં ૬૯,૦૦૦ માઇલની મુસાફરી કરી હતી તેમ ઈ.સ. ૧૯૩૮ની સાલમાં કેપ્ટન જે. રાસ અને ડિ પ્રેઈઝર નામના સાહસિકોએ સ્લેજ ગાડીમાં બેસીને દક્ષિણમાં આવેલા બરફાચ્છાદિત એન્ટાર્કટિકા ખંડની મુસાફરી કરી હતી. ચાર વર્ષ સુધી તેમણે એક જ દિશામાં આશરે ૪૦ હજાર માઇલની મુસાફરી કરી તો પણ તેઓ પોતાના મૂળ સ્થાને પાછા ન આવ્યા. આજના વિજ્ઞાનની માન્યતા મુજબ તો તેમણે ચાર વખત પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધની પ્રદક્ષિણા કરી લીધી હોવી જોઈએ. છેવટે કંટાળીને તેઓ ૪૦,૦૦૦ માઇલ ઊંધી દિશામાં આવ્યા ત્યારે પોતાના મૂળ સ્થાને પાછા આવી શક્યા હતા. આજ સુધી એન્ટાર્કટિકા ખંડમાં આટલી લાંબી મુસાફરી બીજા કોઈ સાહસિકોએ કરી નથી. જો કોઈ આ રીતે મુસાફરી કરે તો સહેલાઈથી સાબિત થઈ જાય કે પૃથ્વી ગોળ નથી. કૃત્રિમ ઉપગ્રહની તસવીરો ૬૩ કર માં થાળી જેવી ગોળ હોય છે પૃથ્વી દડા જેવી ગોળ હોવાની સાબિતી તરીકે આજકાલ અવકાશમાં ચડાવેલા કૃત્રિમ ઉપગ્રહના કેમેરા દ્વારા ઝડપવામાં આવેલી તસવીરો આપણને બતાડવામાં આવે છે. આ તસવીરોમાં પૃથ્વી દડા જેવી નહીં પણ થાળી જેવી ગોળ દેખાય છે. પહેલી વાત તો એ કે પૃથ્વીને દડા જેવી ગોળ દર્શાવવા માટે ત્રિપરિમાણી કેમેરા (થ્રી-ડી કેમેરા)ની જરૂર પડે છે. આ પ્રકારના કેમેરા કોઈ સેટેલાઇટમાં જોવા મળતા નથી. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા ઝડપવામાં આવેલી તસવીરમાં પૃથ્વી થાળી જેવી ગોળ દેખાવાનું કારણ પણ સહજ છે. સૂર્યનું જે પ્રકાશક્ષેત્ર હોય છે તે થાળી જેવું ગોળ હોય છે. સૂર્યનો પ્રકાશ પૃથ્વીના જેટલા ભાગમાં પહોંચે ત્યાં અજવાળું હોય છે અને બાકીના ભાગમાં અંધારું હોવાથી આકાશ જેવો દેખાય છે. આ કારણે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા જે તસવીર લેવામાં આવે છે તેમાં પૃથ્વી થાળી જેવી ગોળ જણાય છે. તેથી પૃથ્વી દડા જેવી ગોળ સાબિત થતી નથી. ૬૪ Jain Education International વાયુ બધી દિશામાં વાય છે આજના વિજ્ઞાનીઓ એવું કહે છે કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં એક સેકન્ડમાં ૧૯ માઇલની ઝડપે ફરે છે. જો આ વાત સાચી હોય તો આપણને પૂર્વથી પશ્ચિમ દિશામાં એક સેકન્ડના ૧૯ માઇલની ઝડપે ફૂંકાતા પ્રચંડ વંટોળિયાનો અનુભવ થવો જોઈએ. વળી વાયુની ગતિ માત્ર પૂર્વથી પશ્ચિમ દિશાની જ હોવી જોઈએ. આવું બનતું નથી. પૃથ્વી ઉપર વાયુ વિવિધ સમયે અને વિવિધ સ્થળે વિવિધ દિશાઓમાંથી ફૂંકાતો જોવા મળે છે. વળી તેનો વેગ પણ એકસરખો નથી હોતો. વાયુ ક્યારેક મંદ હોય છે તો ક્યારેક તેજ હોય છે. ક્યારેક પશ્ચિમથી આવે છે તો ક્યારેક પૂર્વથી આવે છે. વાયુની વધુમાં વધુ ગતિ કલાકના ૧૨૦ માઇલની હોય છે. આ ગતિ પૃથ્વીની નહીં પણ વાયુની હોય છે. જો પૃથ્વી પશ્ચિમથી પૂર્વમાં ફરતી હોય તો ધજા પૂર્વથી પશ્ચિમ દિશામાં જ ફરકવી જોઈએ. આવું ન બનતું હોવાથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી. પૃથ્વી સાથે વાતાવરણ ફરતું નથી પૃથ્વીમાં વાયુ બધી દિશામાંથી વાય છે તેનો ખુલાસો આપતા કહેવામાં આવે છે કે પૃથ્વી ફરે છે તેની સાથે તેનું વાતાવરણ પણ ફરતું હોવાથી આપણને વાયરાનો અનુભવ થતો નથી. આ માટે ટ્રેનના ડબ્બામાં ઊડી રહેલી માખીનું ઉદાહરણ આપવામાં આવે છે. ટ્રેન કલાકના ૧૦૦ માઇલની ઝડપે દોડતી હોય છે પણ માખી એટલી ઝડપે ઊડી શકતી નથી. તેમ છતાં તે ડબ્બાની દીવાલ સાથે અથડાતી નથી કારણ કે માખી હવામાં ઊડે છે અને ડબ્બામાંની હવા ટ્રેનની સાથે જ ગતિ કરે છે. આવું બનવાનું કારણ એ છે કે ડબ્બો ચારે બાજુથી બંધ છે એટલે અંદરની હવા અંદર જ રહે છે. આ જ માખી જો ડબ્બાની બહાર નીકળી જાય તો ટ્રેન કરતાં પાછળ રહી જાય છે, કારણ કે બહારની હવા ડબ્બા સાથે મુસાફરી કરતી નથી. પૃથ્વી બંધ ડબ્બા જેવી નથી પણ ખુલ્લા ડબ્બા જેવી છે. આ કારણે પૃથ્વી ફરતી હોય તો પણ વાતાવરણ તેની સાથે ફરી શકે નહીં. ૬૬ પૃથ્વીની ગતિની ગણતરી ૬૫ ને સમુદ્રના પેટાળમાં રહેલી સબમરીન ટોરપીડો વડે સ્ટીમરને ડુબાડવા માગતી હોય તો ટોરપીડો સીધો બોટની દિશામાં છોડવામાં નથી આવતો. ટોરપીડોની ઝડપ અને બોટની ઝડપની ગણતરી કરીને અમુક સેકન્ડ પછી ટોરપીડો સપાટી ઉપર પહોંચે ત્યારે બોટ ક્યાં હશે તેની ગણતરી કરીને ટોરપીડો છોડવામાં આવે છે. તેવી જ રીતે સ્વયંવરમાં મત્સ્યવેધ કરવામાં આવે છે. હવે પૃથ્વી જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૩૭ For Private & Personal Use Only www.jaine||brary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy