SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ - પ. પાણીની સપાટી બહિર્ગોળ હોઈ શકે નહીં પૃથ્વીને જો દડા જેવી ગોળ માનવામાં આવે તો પૃથ્વી ઉપર રહેલા મહાસાગરોની સપાટી પણ દડા જેવી ગોળ માનવી પડે. વિજ્ઞાનનો જ એક સિદ્ધાંત કહે છે કે પાણી હંમેશાં એક જ સપાટીએ સ્થિર રહે છે. કોઈ પણ પાણીના બે જથ્થાને જોડવામાં આવે તો તેનો સ્તર એક થઈ જાય છે. આ વાત અનેક પ્રયોગો દ્વારા સાબિત થઈ શકે છે. જ્યારે એક ખગોળશાસ્ત્રીને પ્રશ્ન કરવામાં આવ્યો કે “પાણી પોતાની સપાટી શોધે છે એ સિદ્ધાંત સાચો છે?” ત્યારે તેણે ઉત્તર આપ્યો હતો કે “આ વાત વ્યવહારમાં સાચી છે, સિદ્ધાંતમાં નહીં.” પૃથ્વીને દડા જેવી ગોળ સાબિત કરવા માટે વિજ્ઞાનીઓ પૂર્વસ્થાપિત સિદ્ધાંતોને પણ માનવાનો ઇનકાર કરી દે છે. જો પાણી એક જ સપાટી ઉપર રહે છે એ સિદ્ધાંત સાચો હોય તો પૃથ્વી ગોળ છે એ વાત ખોટી સાબિત થાય છે. અવકાશી પદાર્થો જ ગોળ છે યુરોપનો સ્કોડલર નામનો ખગોળશાસ્ત્રી ‘બુક ઓફ નેચર’ નામના પુસ્તકમાં એવી દલીલ કરે છે કે “આપણે જોઈએ છીએ કે આકાશમાં રહેલા સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારાઓ વગેરે પદાર્થો દડા જેવા ગોળ છે. આ ઉપરથી આપણે નિઃશંકપણે કહી શકીએ કે પૃથ્વી પણ દડા જેવી ગોળ છે.” આજના ખગોળશાસ્ત્રીઓ આવી અવૈજ્ઞાનિક રીતે પૃથ્વીને દડા જેવી ગોળ સાબિત કરવા મથે છે. જો તેઓ એમ કહેતા હોય કે પૃથ્વી પણ અન્ય અવકાશી પદાર્થો જેવી છે તો તેમણે સૌથી પહેલાં તેની સામ્યતાના સ્વતંત્ર પુરાવા આપવા જોઈએ. આવા કોઈ પણ સ્વતંત્ર પુરાવાની ગેરહાજરીમાં પૃથ્વીને અન્ય અવકાશી પદાર્થો જેવી ગોળ ઠરાવી શકાય નહીં. અવકાશી પદાર્થો દડા જેવા ગોળ હોય એટલા માત્રથી પૃથ્વી દડા જેવી ગોળ સાબિત થતી નથી. આવા સ્વતંત્ર પુરાવાના અભાવમાં પૃથ્વી દડા જેવી ગોળ છે એ થિયરી ખોટી સાબિત થઈ જાય છે. આકૃતિઓ છેતરામણી હોઈ શકે છે આજના વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ સાબિત કરવા એવી કેટલીક આકૃતિઓ દોરે છે, જેમાં પ્રમાણભાન જળવાતું ન હોવાથી તે આકૃતિઓ છેતરામણી બની જાય છે. કોર્નેલ્સ જ્યોગ્રાફી' નામના પુસ્તકમાં પૃથ્વીના ગોળ હોવાની સાબિતીના સ્પમાં એક ચિત્ર આપવામાં આવ્યું છે. આ ચિત્રમાં એક વહાણને એક વક્ર રેખા ઉપર ચાર જુદાં-જુદાં સ્થળે દર્શાવવામાં આવ્યું છે. અહીં જે વળાંક છે તે ૭૨ અંશનો છે. પૃથ્વીનો પરિઘ ૨૫,૦૦૦ માઇલ હોય તો ૭૨ અંશ એટલે ૫૦૦૦ માઇલ થાય. તેની સામે જે વહાણની લંબાઈ દર્શાવવામાં આવી છે તેવાં ૧૦ જ વહાણ આ વક્રરેખા ઉપર રહી શકે. આ હિસાબે એક વહાણની લંબાઈ ૫૦૦ માઇલ હોવી જોઈએ. આકૃતિમાં જે દર્શકને બતાડવામાં આવ્યો છે તેની ઊંચાઈ પણ સ્કેલ મુજબ ૨૦૦ માઇલ હોવી જોઈએ. પૃથ્વીને ગોળ સાબિત કરવા આવી છેતરામણી આકૃતિઓ તૈયાર કરવામાં આવે છે. દ ત તારાઓની અપેક્ષાએ પૃથ્વી ફરતી નથી બ્રિટનના ખગોળશાસ્ત્રી શ્રીમાન હાઈન્ડ કહે છે કે “ખગોળવિદો જ્યારે પથ્થર ઉપર ફિક્સ કરેલા ટેલિસ્કોપથી તારાઓ નિહાળતા હોય ત્યારે પૃથ્વીની ગતિને કારણે તારાઓ પણ ટેલિસ્કોપમાં એકાદ વાળ જેટલું અંતર ખસતા હોવાનું જણાય છે.'' અહીં શ્રી હાઈન્ડ એમ કહેવા માગે છે કે તારાઓ સ્થિર છે, પણ પૃથ્વી સૂર્યની આજુબાજુ ૬૦ કરોડ માઇલના પથમાં પ્રદક્ષિણા કરતી હોવાથી લાખો માઇલ દૂર રહેલા તારાઓ જરાક ખસતા. દેખાય છે. જો તારાઓ કરોડો માઇલ દૂર આવેલા હોય તો પૃથ્વીની ગતિ તેની સરખામણીએ અત્યંત સૂક્ષ્મ ગણાય અને આ ગતિને કારણે તારાઓ ખસતા દેખાય જ નહીં. તારાઓ ખસતા દેખાતા હોય તો તેનું એકમાત્ર કારણ એ હોઈ શકે કે તારાઓ આકાશમાં ખરેખર ખસતા હોય છે. તારાઓ ખસતા હોય એટલા ઉપરથી સાબિત નથી થતું કે પૃથ્વી ફરે છે. ચીનની લાંબી છે દીવાલ આજથી આશરે ૨૫૦૦ વર્ષ અગાઉ ચીનમાં લાંબી દીવાલ બાંધવામાં આવી હતી. આ દીવાલ ઉપગ્રહો દ્વારા ઝડપવામાં આવતી તસવીરોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે. આ દીવાલ આશરે ૨,૦૦૦ કિલોમીટર લાંબી, ૨૩ ફૂટ પહોળી અને પ0 ફૂટ ઊંચી છે. પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો આ દીવાલ કમાનના આકારમાં બાંધવી પડે અને પથ્થરોની ગોઠવણી પણ જે રીતે કમાનમાં કરવામાં આવે છે તે રીતે કરવી પડે. આ દીવાલ બાંધનારા ઇજનેરો તો પૃથ્વીને સપાટ માનતા હોવાથી તેમણે તેની ડિઝાઇન પણ સીધી દીવાલ તરીકે જ બનાવી હતી. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો આ દીવાલમાં અનેક સ્થળે ઉપરના ભાગમાં મોટી તિરાડો પેદા થવી જોઈએ. આવી તિરાડો પેદા નથી થઈ તેના ૫૯ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy