SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ કિરણો ૧૮૦૦ યોજન સુધી નીચેની દિશામાં પહોંચે છે. સૂર્ય જ્યારે અત્યંતર મંડલમાં હોય ત્યારે ૬૦ મુહૂર્તમાં આશરે ૩,૧૫,૦૯૯ યોજનનું અંતર કાપે છે. આ રીતે તેની એક મુહુર્તની ગતિ આશરે ૫૨ ૫૧ યોજન જેટલી થાય છે. સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડલમાં હોય છે ત્યારે ૬૦ મુહૂર્તમાં આશરે ૩,૧૮,૩૧૪ યોજન અંતર કાપે છે. આ રીતે તેની એક મુહૂર્તની ગતિ આશરે ૫૩૦૫ યોજન થાય છે. આ ઉપરથી ખ્યાલ આવે છે કે સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં હોય છે ત્યારે તેની ગતિ ઓછી હોય છે પણ સર્વે બાહ્ય મંડલમાં તેની ગતિ વધી જાય છે. આ રીતે સર્વ બાહ્ય મંડલમાં કે સર્વ અત્યંતર મંડલમાં સૂર્યને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતાં તો એકસરખો, એટલે કે ૬૦ મુહુર્તનો જ સમય લાગે છે. જંબૂતીપમાં ચંદ્રનું સ્વરૂપ જંબુદ્રીપમાં એક નહીં પણ બે ચંદ્ર છે. આ બે ચંદ્રો એકબીજા સાથે ૧૮૦ અંશના ખૂણે રહીને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ કારણે આપણે બે ચંદ્રોને ક્યારેય એકસાથે જોઈ શકતા નથી. આપણને આજે જે ચંદ્ર જોવા મળે છે તે આવતી કાલે જોવા નથી મળતો પણ ત્રીજા દિવસે જોવા મળે છે. ચંદ્ર જમીનથી ૮૮૦ યોજન ઊંચે ચડીને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. સૂર્ય જમીનથી ૮૦૦ યોજન ઊંચે રહીને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ રીતે આપણાથી સૂર્ય કરતા ચંદ્ર વધુ દૂર છે. ચંદ્રને મેરુ પર્વતની આજુબાજુ ચંદ્રના મંડળ ૧૫, આંતરા ૧૪ Jain Education International મેરૂ પર્વત ૫/૩૫/૩૫ ૩૦/૩૦/૩૦ ૪ ૪ ૪ અ એક પ્રદક્ષિણા પૂરી કરતાં ૪૮ કલાક ઉપરાંત આશરે ૧૦૧ મિનિટ જેટલો સમય થાય છે. જંબુડીપમાં બે ચંદ્રો હોવાથી આપણને દર ૨૪ કલાક અને લગભગ સાડા પચાસ મિનિટે ચંદ્રનાં દર્શન થાય છે. સૂર્યની ગતિ કરતાં ચંદ્રની ગતિ ૪૮ કલાકે ૧૦૧ મિનિટ જેટલી ઓછી છે. ચંદ્રનો આકાર સંપૂર્ણપણે દડા જેવો ગોળ નથી પણ ફૂટબોલના અર્ધ દડા જેવો ગોળ છે. તેનો જે ગોળાકાર ભાગ છે તે નીચેની તરફ છે અને સપાટ ભાગ છે તે ઉપરની તરફ છે. ચંદ્રના અર્ધગોળાનો વ્યાસ ૫૬/૬૧ યોજન છે અને તેની ઊંચાઈ તેનાથી અડધી એટલે કે ૨૮/૬૧ યોજન જેટલી છે. આજના વિજ્ઞાનીઓ ચંદ્રને જેટલો દૂર માને છે એટલો તે દૂર નથી અને ચંદ્રને જેટલો મોટો માને છે, એટલો તે મોટો પણ નથી. ચંદ્રનો પ્રકાશ પોતાનો છે પણ તે સૂર્યનો પરાવર્તિત પ્રકાશ નથી. સૂર્યનો પ્રકાશ ગરમ છે અને ચંદ્રનો પ્રકાશ શીતળ છે તે આ વાતનો સૌથી મોટો પુરાવો છે. સૂર્યના પ્રકાશમાં પ્રકાશસંશ્લેષણ ક્રિયા થાય છે, પણ ચંદ્રના પ્રકાશમાં નથી થતી તે આ વાતનો બીજો પુરાવો છે. આવા તો અનેક વૈજ્ઞાનિક પુરાવાઓ આપીને સાબિત કરી શકાય તેમ છે કે ચંદ્ર સ્વયંપ્રકાશિત છે. સૂર્યની જેમ ચંદ્ર પણ અયનમાર્ગે મેરુ પર્વતની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. ચંદ્રનો પ્રદક્ષિણાપય વર્તુળાકાર નથી પણ વલયાકાર છે. સૂર્યનાં જેમ ૧૮૪ મંડલો હોય છે તેમ ચંદ્રનાં માત્ર ૧૫ જ મંડલો હોય છે. સૂર્ય ૧૮૪ મંડલો વડે ઉત્તર-દક્ષિણ દિશામાં જેટલું સ્થળાંતર કરે છે તેટલું જ સ્થળાંતર ચંદ્ર ૧૫ મંડલો વડે કરે છે. સુર્યનું ચારક્ષેત્ર ૫૧૦ પૂર્ણાંક ૪૮ ૬૧ યોજન છે, તેમ ચંદ્રનું ચારક્ષેત્ર પણ ૫ ૧૦ પૂર્ણાંક ૪૮ ૬૧ યોજન છે. ચંદ્રનાં જે કુલ ૧૫ મંડલો છે તે પૈકી પાંચ મંડલ જંબુદ્વીપમાં છે અને બાકીનાં ૧૦ મંડલ લાવા સમુદ્રમાં આવેલાં છે. જંબુદ્રીપમાં ચંદ્રનાં જે પાંચ મંડળો આવેલાં છે. તેની પહોળાઈ ૧૮૦ યોજન છે અને લવણ સમુદ્રમાં ચંદ્રનાં જે ૧૦ મંક્કો આવેલાં છે, તેની પહોળાઈ ૩૩૦ યોજન જેટલી છે. સૂર્યનાં મંડળો પણ જંબુદ્રીપમાં અને લવણ સમમાં આટલી જ પહોળાઈમાં ડેલાં છે. ચંદ્ર જ્યારે મેરુ પર્વતથી નજીકના મંડલમાં હોય ત્યારે પણ તે મેર પર્વનથી તો. ૪૪,૮૨૦ યોજન જેટલો દૂર હોય છે. ચંદ્ર જ્યારે મેરુ પર્વતથી સૌથી વધુ દૂરના મંડલમાં હોય ત્યારે તે મેરુ પર્વતથી ૪૫,૩૨૯ પૂર્ણાંક ૫૩/૬૧ યોજન જેટલો દૂર હોય છે. ચંદ્રની પોતાની પહોળાઈ ૫૬/૬૧ યોજન જેટલી છે. આ કારણે તે પોતાના પ્રદિક્ષણા પથમાં ૫૬ ૬૧ યોજન જેટલો વિસ્તાર રોકીને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે, આ અંતર પ્રત્યેક મંડલની જાડાઈ પણ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૦૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy