SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વબાહ્ય મંડળે વર્તતાં પૂર્વ પશ્ચિમ દિશાવર્તી બન્ને સૂર્યોનું પુનઃ સર્વાભ્યન્તર મંડળે આગમન ૩. .. ૩/૧૦ ભાગ જેટલી હોય છે. જંબુદ્રીપમાં બે સૂર્યો છે, એટલે આ બે સૂર્યો મળીને ૨૧મી જૂને જંબૂતીપના ૬/૧૭ ભાગને પ્રકાશિત કરે છે અને ૪ ૧૦ ક્ષેત્રને પ્રકાશિત કરી શકતા ન હોવાથી ત્યાં રાત્રિ હોય છે. સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડલમાં ગતિ કરતો હોય ત્યારે અંબ્બીપના ૬ ૧૦ ભાગમાં રાત્રિ હોય છે અને ૪ ૧૦ ભાગમાં જ દિવસ જોવા મળે છે. સૂર્ય જ્યારે સર્વ અત્યંતર મંડલમાં હોય ત્યારે ભરત ક્ષેત્રના મધ્ય ભાગમાં ઊભા રહેલા મનુષ્યને પૂર્વ દિશામાં ૪૭,૨૬૩ પૂર્ણાંક ૨૧/૬૦ યોજન દૂરથી સૂર્ય ઉદય પામતો જોવા મળે છે. તેના ઉપરથી કહી શકાય કે અયોધ્યા નગરી અને નિષધ પર્વત વચ્ચે ૪૭,૨૬૩ પૂર્ણાંક ૨૧/૬૦ યોજન જેટલું અંતર છે. તેવી જ રીતે અયોધ્યા નગરીમાં રહેલા મનુષ્યને સૂર્ય પશ્ચિમ દિશામાં ૪૭,૨૬૩ પૂર્ણાંક ૨૧/૬૦ યોજન દૂર આથમતો જોવા મળે છે. આ રીતે અયોઘ્યા નગરીમાં રહેલા મનુષ્યને સૂર્યના ઉદય અને અસ્ત વચ્ચે ૯૪,૫૨૬ પૂર્ણાંક ૪૨/૬૦ યોજનનનું અંતર જોવા મળે છે. સૂર્ય સર્વ અત્યંતર મંડલથી સર્વ બાહ્ય મંડલ તરફ જાય તેમ સૂર્યની ગતિ વધતી જાય છે અને ઉદય તેમ જ અસ્ત વચ્ચેનું અંતર ઘટતું જાય છે. છેવટે સૂર્ય સર્વ બાહ્ય મંડલે પહોંચે ત્યારે ઉદય અને અસ્ત વચ્ચેનું અંતર ઘટીને ૬૩, ૬ ૬ ૩ યોજન થઈ જાય છે, Jain Education International આપણે જોયું કે સૂર્ય જ્યારે મધ્યાકાશમાં આવે ત્યારે આપણી અને સૂર્ય વચ્ચે માત્ર ૮૦૦ યોજનનું જ અંતર હોય છે. આ કારણે મધ્યાહુને સૂર્યનાં કિરણો અત્યતં તીવ્ર અને જલદ હોય છે ॥ સર્વા—જાર મંડળેથી સર્વબાહ્ય મંડળે જતાં પૂર્વ અને પશ્ચિમ દિશાના (બે) સૂર્યો ॥ 6. અને આપણે સૂર્યની સામે જોઈ પણ શકતાં નથી. સૂર્યનો જ્યારે ઉદય અથવા અસ્ત થાય છે ત્યારે આપણી અને સૂર્યની વચ્ચે ૩૧,૮૩૧ યોજનથી લઈને ૪૭,૨૬૩ જેટલું આશરે અંતર હોય છે. ઉદય અને અસ્ત વખતે સૂર્ય આપણાથી આટલો બધો દૂર હોવાથી સૂર્યનાં કિરણો સૌમ્ય હોય છે અને આપણે સૂર્યની સામે જોઈ શકીએ છીએ. આધુનિક વિજ્ઞાનની માન્યતા મુજબ સૂર્યોદય, મધ્યાહ્ન અને સૂર્યાસ્ત સમયે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરમાં જે તફાવત હોય છે તે અત્યંત મામૂલી જ હોય છે. તો પછી મધ્યાહ્ને સૂર્યનો તાપ આટલો સખત કેમ હોય છે? આ સવાલનો કોઈ યોગ્ય જવાબ આજના વિજ્ઞાનીઓ પાસે નથી. જી સૂર્યનો પ્રકાશ પૂર્વ-પશ્ચિમ દિશામાં ૯૪,૫૨૬ પૂર્ણાંક ૪૨ ૬૦ યોજન સુધી પહોંચે છે તેમ ઉત્તર-દક્ષિણ દિશામાં તે ૭૮,૩૩૩ પૂર્ણાંક ૧/૩ ષોજન સુધી વિસ્તરે છે. સૂર્ય જ્યારે જંબુદ્રીપની જગતી ઉપર હોય ત્યારે સૂર્યથી મેરુ પર્વતનું અંતર ૪૫,૦૦૦ યોજન જેટલું હોય છે. આ ગણતરીએ સૂર્ય ઉત્તર દિશામાં ૪૫,૦૦૦ યોજન અને દક્ષિણ દિશામાં લવણ સમુદ્ર તરફ ૩૩,૩૩૩ પૂર્ણાંક ૧/૩ યોજન સુધી પોતાનો પ્રકાશ પહોંચાડે છે. આવી જ રીતે સૂર્ય ઉપરની દિશામાં માત્ર ૧૦૦ યોજન સુધી અને નીચેની દિશામાં ૧૮૦૦ યોજન સુધી પોતાનો પ્રકાશ ફેફ્સાવે છે. અહીં સવાલ એ થશે કે સુર્યથી જમીનનું અંતર ૮૦૦ યોજન જ છે, તો ૧૮૦૦ યોજન સુધી પ્રકાશ કેમ પહોંચે ? તેનો ખુલાસો એવો છે કે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રનો લવણ સમુદ્રને અડીને આવેલો ભાગ ૧૦૦૦ પોજન નીચાણમાં હોવાથી સુર્યનાં જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૦૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy