SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ દી ૪૪૮૨૧° મેરૂ શો. ફૂટ ૫ *b Jhape જહુ મ _* - 0 14 0 0 Jain Education International મંડલ ક્ષેત્ર 10 લ વૃ ણ સમુદ્ર પ્રારંભ થતો હતો. આ દિવસથી સૂર્ય દક્ષિણ દિશામાં પોતાની ગતિનો આરંભ કરે છે. જૈન શાસ્ત્રોમાં આપવામાં આવેલા ગણિત મુજબ સૂર્યના એક મંડલની પહોળાઈ ૪૮ ૬૧ યોજન છે. સૂર્યના કુલ ૧૮૪ મંડલો છે. આ રીતે ૪૮/૬૧ને ૧૮૪ વડે ગુણવામાં આવે તો ૧૪૪ પૂર્ણાંક ૪૮ ૬૧ યોજન થાય છે. હવે સૂર્યનાં બે મંડલ વચ્ચે બે યોજનનું અંતર છે. સૂર્યનાં મંડલ કુલ ૧૮ ૪ છે પણ તેની વચ્ચેના આંતરા ૧૮ ૩ જ થાય છે. આ ૧૮૩ આંતરા ૩૬૬ યોજન જગ્યા રોકે છે. તેમાં ૧૮૪ મંડલની પહોળાઇ એટલે કે ૧૪૪ પૂર્ણાંક ૪૮ ૬૧ ચોજન જેટલો થાય છે. આ બન્ને અંતરોનો સરવાળો ૫૧૦ પૂર્ણાંક ૪૮ ૬૧ યોજન જેટલો થાય છે. સૂર્યનાં સર્વે બાહ્ય અને સર્વ અત્યંતર મંડલ વચ્ચે આટલું અંતર જૈન શાસ્ત્રોમાં જણાવાયું છે. સૂર્ય દક્ષિણ દિશામાં આવેલા તેના અંતિમ મંડલમાં પહોંચે છે ત્યારે ભરત ક્ષેત્રમાં શિયાળો હોય છે અને સૌથી નાનો દિવસ તેમ જ સૌથી મોટી રાત્રિ હોય છે. આધુનિક સમયમાં ખ્રિસ્તી પંચાંગ મુજબ ૨૧ ડિસેમ્બરે આ પરિસ્થિતિ જોવા મળે છે, જેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. દક્ષિણ દિશાના અંતિમ મંડલમાં જઈ સૂર્ય ફરી ઉત્તર દિશા તરફ ગતિ શરૂ કરે તેને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ૨ ૨ માર્ચના રોજ સૂર્ય બરાબર મધ્યના મંડલમાં આવી પહોંચે છે, જ્યારે દિવસ અને રાત સરખા હોય છે. આ ઘટનાને વસંત સંપાત તરીકે ઓળખવામાં આવે છે. સર્વ બાહ્ય મંડળ સર્વબાહ્યમંડળે પહોંચેલા પૂર્વ સૂર્યનું પુનઃ સર્વાભ્યન્તર મંડળે આગમન ઉ. સર્વ ધૂસર મેરૂ 6. સૂર્ય જ્યારે ઉત્તર દિશામાં મેરુ પર્વતની સૌથી વધુ નજીકના અત્યંતર મંડલમાં પહોંચે છે ત્યારે ભરત ક્ષેત્રમાં મોટામાં મોટો દિવસ અને નાનામાં નાની રાત્રિ હોય છે. ૨૧ જૂને બનતી આ ઘટનાને કર્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન - ૧૯૮ For Private & Personal Use Only મંડળ ઉત્તર દિશાના અંતિમ મંડામાં જઈને સૂર્ય દક્ષિણ દિશા તરફ ગતિ કરતાં બરાબર મધ્યના મંડલમાં આવે છે ત્યારે ભરત ક્ષેત્રમાં દિવસ-રાત સરખાં હોય છે. આ ઘટના ૨૨ સપ્ટેમ્બરે બને છે અને તેને શરદ સંપાત તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય જ્યારે મેરુ પર્વતની સૌથી નજીકના સર્વ અત્યંતર મંડલમાં પહોંચે છે ત્યારે પણ મેરુ પર્વતથી તેનું અંતર ૪૪,૮૨૦ પોજન જેટલું હોય છે. સૂર્ય જ્યારે મેરુ પર્વતથી દક્ષિણે સૌથી દૂરના સર્વ બાહ્ય મંડલમાં પહોંચે ત્યારે તેનું અંતર ૪૫,૩૩૦ યોજન જેટલું હોય છે. આ રીતે સૂર્યના પ્રદક્ષિણા પથની કુલ પહોળાઈ ૫૧૦ પૂર્ણાંક ૪૮ ૬૧ યોજન જેટલી જ છે. સૂર્યની પ્રદક્ષિણાપથનો વ્યાસ પણ તેની અત્યંતર-બાહ્ય ગતિ મુજબ બદલાય છે. સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડલમાં હોય ત્યારે તેનો વ્યાસ ૧,૦૦,૬૬૦ યોજન જેટલો હોય છે. સૂર્ય જ્યારે સર્વ અત્યંતર મધ્યમાં હોય ત્યારે તેના પ્રદક્ષિણાપનો વ્યાસ ૯૯,૬૪૦ યોજન જેટલો હોય છે. સૂર્યનાં જે કુલ ૧૮૪ મંડલો આવેલાં છે તે પૈકી ૬૫ મંડલો જંબુદ્રીપની ભૂમિ ઉપર આવેલાં છે અને બાકીનાં ૧૧૯ મંડલો લવણ સમુદ્રની અંદર આવેલાં છે. જંબુદ્રીપની અંદર આવેલાં ૬૫ મંડલો અને તેના આંતરાની પહોળાઈ ૧૮૦ યોજન જેટલી www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy