SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ અવકાશી પદાર્થોનું સાચું સ્વરૂપ જૈન આગમો મુજબ સૂર્ય પૃથ્વીથી માત્ર ૮૦૦ યોજન ઊંચાઈએ રહીને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ કારણે સૂર્ય જ્યારે મધ્યાહ્ને બરાબર માથા ઉપર આવે ત્યારે તે આપણી દૃષ્ટિથી માત્ર ૮૦૦ યોજન જ દૂર હોય છે. સૂર્ય આપણને ઉદયના સમયે ક્ષિતિજમાંથી બહાર આવી ક્રમશઃ ઉપર ચડતો દેખાય છે અને અસ્તના સમયે ક્ષિતિજમાં ડૂબી જતો દેખાય છે તે પણ એક દૃષ્ટિભ્રમ છે. વાસ્તવમાં સૂર્યનો ક્યારેય ઉદય કે અસ્ત થતો નથી. જૈન આગમો મુજબ સૂર્ય જ્યારે સર્વ અત્યંતર મંડલમાં મેરુ પર્વતની નજીક હોય ત્યારે ૪૭,૨૬૩ પૂર્ણાંક ૨૧/૬૦ યોજન દૂરથી સૂર્યનાં દર્શન કરી શકાય છે. બીજા શબ્દોમાં જ્યારે દક્ષિણાયન શરૂ થાય ત્યારે ૨૧મી જૂને સૂર્ય આપણી નજીક ૪૭,૨૬૩ પૂર્ણાંક ૨૧/૬૦ યોજનના અંતરે આવે ત્યારે તે ક્ષિતિજમાંથી ઉદય પામતો હોય તેવો ભાસ થાય છે. આ અંતરને સૂર્યના ‘દષ્ટિપથ’ તરીકે ઓળખવામાં આવે છે. સર્વ અત્યંતર મંડલમાં ઉદય પામી રહેલો સૂર્ય આપણાથી ૪૭,૨૬૩ પૂર્ણાંક ૨૧/૬૦ યોજનના ક્ષિતિજ સમાંતર અંતરે હોય છે પણ તેની જમીનથી ઊંચાઈ ૮૦૦ યોજન જ હોય છે. માત્ર દૃષ્ટિભ્રમને કારણે જ આપણને તે ક્ષિતિજમાંથી બહાર આવતો દેખાય છે. સૂર્ય જ્યારે મધ્યાહ્ને બરાબર માથા ઉપર આવે ત્યારે તેનું ક્ષિતિજ સમાંતર અંતર શૂન્ય હોય છે અને ઊંચાઈ ૮૦૦ યોજન હોય છે. આ રીતે મધ્યાહ્નનો સૂર્ય આપણાથી સૌથી વધુ નજીક હોય છે. સૂર્ય જ્યારે પશ્ચિમ ક્ષિતિજમાં અસ્ત પામે છે ત્યારે તેનું ક્ષિતિજસમાંતર અંતર ૪૭,૨૬૩ પૂર્ણાંક ૨૧/૬૦ યોજન જેટલું હોય છે પણ જમીનથી ઊંચાઈ તો ૮૦૦ યોજનની જ હોય છે. આમ છતાં દૃષ્ટિભ્રમને કારણે તે આપણને ક્ષિતિજમાં ડૂબી જતો જણાય છે. સૂર્ય સર્વ અત્યંતર મંડલમાંથી ક્રમશઃ સર્વ બાહ્ય મંડલ સુધી ગતિ કરે છે તેમ તેનો દૃષ્ટિપથઘટતો જાય છે. સર્વ અત્યંતર મંડલથી બહારના બીજા મંડલમાં સૂર્યનો દૃષ્ટિપથ૪૭,૧૭૯ પૂર્ણાંક ૫૭ ૬૦ યોજન જેટલો હોય છે. આ રીતે પ્રત્યેક મંડલદીઠ દૃષ્ટિપથમાં ૮૩થી ૮૫ યોજન જેટલો ઘટાડો થતો જાય છે. છેવટે સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડલમાં આવે ત્યારે તેનો દૃષ્ટિપથઘટીને ૩૧૮૩૧ પૂર્ણાંક ૩૦/૬૦ યોજન જેટલો થઈ જાય છે. Jain Education International સૂર્યનું કદ જૈન આગમો મુજબ સૂર્યનું કદ માત્ર ૪૮/૬૧ યોજન જેટલું જ છે, એટલે કે એક યોજન કરતાં પણ ઓછું છે. આ સૂર્યનો વ્યાસ છે. સૂર્યનો આકાર પણ દડા જેવો ગોળ નથી પણ એક દડાના બે ભાગ જેવો છે. આપણને સૂર્યનો નીચેનો અર્ધ ગોળાકાર ભાગ જ દેખાય છે. તેનો ઉપરનો સપાટ ભાગ આપણી નજરથી કાયમ દૂર જ રહે છે. સૂર્યના અર્ધગોળાકાર ભાગની ઊંચાઈ તેના વ્યાસ કરતાં અડધી છે. સૂર્યની સપાટી સ્ફટિકરત્નની બનેલી છે. સૂર્યનો પ્રકાશ તે હકીકતમાં આ સ્ફટિકરત્નોનો પ્રકાશ છે. આ સ્ફટિકરત્નો આપણને ગરમી આપે છે પણ તેઓ પોતે ઠંડાં હોય છે. આ રીતે સૂર્યની સપાટીનું ઉષ્ણતામાન એકદમ સાધારણ જ હોય છે, એવું જૈન શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે. સૂર્યની ગતિ અને ઋતુઓ આજના વિજ્ઞાનીઓ કહે છે કે ‘પૃથ્વી પોતાની ધરી ઉપર નમીને સૂર્યની પ્રદક્ષિણા કરતી હોવાથી ઋતુઓ થાય છે.’’ આ રીતે પૃથ્વીના ગોળાકારની સાબિતી આપવા માટે પણ ઋતુઓના ચક્રનો ઉપયોગ કરવામાં આવે છે. જૈન ભૂગોળમાં અત્યંત સચોટ રીતે પુરવાર કરવામાં આવ્યું છે કે ઋતુઓનું કારણ પૃથ્વીનું સૂર્યની આજુબાજુનું પરિભ્રમણ નથી પણ સૂર્યનું મેરુ પર્વતની આજુબાજુ વલયાકાર પથમાં પરિભ્રમણ છે. સૂર્ય મેરુ પર્વતની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે, પણ તેનો પ્રદક્ષિણાપથ સંપૂર્ણપણે વર્તુળાકાર નથી. સૂર્ય છ મહિના સુધી ક્રમશઃ વલયાકાર પ્રદક્ષિણા કરતો મેરુ પર્વતથી દૂર જાય છે. સૂર્ય જ્યારે દક્ષિણમાં તેના અંતિમ બિંદુએ પહોંચે ત્યારે ભરત ક્ષેત્રમાં સૌથી નાનો દિવસ હોય છે. ત્યાર પછી સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ (ઉત્તરાયણ) શરૂ થાય છે. આ રીતે વલાયાકાર ગતિએ ઉત્તર તરફ ખસતો સૂર્ય બરાબર છ મહિને (૧૮૩ દિવસે) મેરુ પર્વતની સૌથી વધુ નજીક પહોંચી જાય છે. આ દિવસ ભરત ક્ષેત્રમાં સૌથી વધુ લાંબો હોય છે. ત્યારબાદ ફરીથી સૂર્યનું દક્ષિણ દિશામાં પ્રયાણ શરૂ થાય છે, જે દક્ષિણાયન તરીકે ઓળખાય છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૯૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy