SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ તે ઉત્તર ભરત ક્ષેત્રમાં દક્ષિણ દિશા તરફ આગળ વધે છે. આ નદી ભરત ક્ષેત્રની મધ્યમાં આવેલા દીર્ઘ વૈતાપ પર્વતની ઉત્તર દિશાએ પહોંચે ત્યાં સુધી બીજી ૭૦૦૦ નદીઓ તેને મળી ચૂકી હોય છે. વૈતાઢ્ય પર્વતની તળેટીમાં ખંડ પ્રપાત નામની ગુફા આવેલી છે, જેની ઉત્તર-દક્ષિણ લંબાઈ ૫૦ પોજન છે. આ ગુફામાં ગંગા મહાનદી પ્રવેશ કરે છે અને દીર્ધ વૈતાક્ષ પર્વતને ભેદીને દક્ષિણ ભરત ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. દક્ષિણ ભરત ક્ષેત્રના મધ્ય ભાગ સુધી તે દક્ષિણ દિશામાં જ વહે છે. ત્યાર પછી તે પૂર્વ દિશા તરફ વળાંક લે છે. આ દરિમયાન બીજી ૭૦૦૦ નદીઓ તેને મળે છે. છેવટે પૂર્વ દિશામાં વાટેની ગંગા મહાનદી ાવણ સમુદ્ર સુધી પહોંચે છે અને તેમાં વિલીન થઈ જાય છે. ૬ ગંગા મહાનદી જ્યારે લધુ કિંમવંત પર્વત ઉપર આવેલા પદ્મદ્રહમાંથી બહાર આવે છે ત્યારે તેની પહોળાઈ ૬ યોજન એક ગાઉની હોય છે અને ઊંડાઈ અડધો ગાઉની હોય છે. જેમ જેમ મહાનદી આગળ વધે છે તેમ તેની પહોળાઈ અને ઊંડાઈ વધતી જાય છે. ગંગા મહાનદી જ્યારે લવણ સમુદ્રને મળે છે ત્યારે તેના મુખની પહોળાઈ ૬૨ પૂર્ણાંક ૧/૨ યોજન અને ઊંડાઈ સવા યોજનની હોય છે. પદ્મવતની પૂર્વ દિશામાંથી જેમ ગંગાનદી બહાર પડે છે. તેવી જ રીતે પશ્ચિમ દિશામાંથી સિંધુ નદી બાર પડે છે. સિંધુ મહાનદી પશ્ચિમ દિશામાં પ૦૦ યોજન વીને પછી શિક્ષણ તરફ વળે છે અને ૫૨૩ યોજન દક્ષિણ દિશામાં વહીને સિંધુ પ્રયાન કુંડમાં ખાબકે છે. ત્યાંથી દક્ષિણ દિશામાં વહેતી વૈતાઢ્ય પર્વતને ભેદીને દક્ષિણ ભસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. દક્ષિણ ભારતમાં અડધે સુધી આવી તે પશ્ચિમ દિશામાં વળી જાય છે અને અંતે લવણ સમુદ્રને મળે છે. ભરત ક્ષેત્રની રાજધાનીનું શહેર અયોધ્યા નગર છે. અયોધ્યા શહેર દક્ષિણ ભરત ક્ષેત્રની બરાબર મધ્યમાં આવેલું છે. અયોધ્યા નગરી ૧૨ યોજન લાંબી અને નવ યોજન પહોળી છે દક્ષિણ ભરત ક્ષેત્રમાં જે ત્રણ ખંડ આવેલા છે તે પૈકી મધ્ય ખંડની બરાબર મધ્યમાં અયોધ્યા નગરી આવેલી છે. અયોધ્યા નગરી વૈતાઢ્ય પર્વતથી દક્ષિણે ૧૧૪ પૂર્ણાંક ૧૧/૧૭ યોજનના અંતરે અને લવણ સમુદ્રથી ૧૧૪ પુણાંક ૧૧/૧૯ યોજન ઉત્તર દિશામાં આવેલી છે. ઉત્તર ભરત ક્ષેત્રમાં સિંધુ પ્રપાત કુંડ અને ગંગા પ્રપાત કુંડની બરાબર મધ્યમાં ૮ યોજનની ઊંચાઈનો પટ આવેલો ઋષભકૂટ છે. આ ઋષભકૂટનો પાયો ૧ ૨ યોજન પહોળો અને ટોચ ૪ યોજન પહોળી છે. આ ઋષભકૂટ ઉપર છ ખંડ જીતનારા ચક્રવર્તીનાં નામો લખેલાં છે. કોઈ પણ નવો ચક્રવર્તીધાય તે ઋષભકૂટ પાસે આવે છે. ૪ Jain Education International અને કાકિણી રત્ન વડે પોતાનું નામ લખાય તેવી રીતે શીલા પરનું એક નામ ભૂંસીને પોતાનું નામ લખે છે. ભરત ક્ષેત્રની ગંગા નદી જ્યાં લવણ સમુદ્રને મળે છે ત્યાં માગધ નામનું તીર્થ આવેલું છે. સિંધુ નદી જ્યાં લવણ સમુદ્રને મળે છે ત્યાં પ્રભાસ તીર્થ આવેલું છે. આ બે તીર્થોની વચ્ચે, અોપ્યા નગરીની દક્ષિણ દિશામાં લવણ સમુદ્રના કિનારે વરદામ તીર્થ આવેલું છે. જે રીતે ભરત ક્ષેત્રમાં માગપ, વરદામ અને પ્રભાસ તીર્થો આવેલાં છે તેમ ઐરાવત ક્ષેત્રમાં પણ આ જ નામનાં ત્રણ તી આવેલાં છે. માવિત ક્ષેત્રમાં ૩૨ વિજયો છે. આ વિષયોમાં આવેલી સીના-સીનોદા નદીના કિનારે પ્રત્યેક વિજયદીઠ ૩-૩ તીર્થો આવેલાં છે. આ રીતે મહાવિદેહ ક્ષેત્રમાં કુલ ૯૬ તીર્થો આવેલાં છે. આ ૯૬માં ભરત ક્ષેત્રનાં ત્રણ અને ઐરાવત ક્ષેત્રનાં ત્રણ તીર્થો ઉમેરી દેવામાં આવે એટલે કુલ ૧૦૨ તીર્થો જંબુદ્રીપમાં આવેલાં છે. આ તીર્થો નદી અથવા સમુદ્રતટે આવેલાં છે. ભરત ક્ષેત્રના ઉત્તર અને દક્ષિણ ભાગને અલગ પાડતા વૈતાઢ્ય પર્વતમાં તમિત્રા અને ખંડમપાના નામની ગુફાઓ આવેલી છે. આ ગુફાઓની ઉત્તર-દક્ષિણ લંબાઈ ૫૦ યોજન જેટલી અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ ૧૨ યોજન જેટલી છે. પશ્ચિમ દિશામાં આવેલી ગુફાનું નામ મિઆ છે તો પૂર્વ દિશામાં આવેલી ગુફાનું નામ ખંડપ્રપાતા છે. આ બન્ને ગુફાઓ ગંગા અને સિંધુ નદીઓની વચ્ચે આવેલી છે. પશ્ચિમ દિશામાં આવેલી ગુફામાં દક્ષિણના દરવાજેથી પ્રવેશ કરતાં ૨૧ યોજન જતાં ઉન્મના નામની નદી આવે છે. આ નદી પર્વતની વચ્ચે રહેલા ખડકોમાંથી નીકળે છે અને સિંધુ નદીને મળે છે. ઉન્મના નદીની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૩ યોજન છે. ત્યાર બાદ ઉત્તર દિશામાં બે યોજન જતાં ૩ યોજન પહોળાઈની નિમના નદી આવે છે. આ નદી પણ સિંધુ નદીને મળે છે. તેની આગળ ૨૧ યોજન જતાં ઉત્તર દ્વાર આવે છે. ઉન્મગ્ના નદીના પાણીની ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ પદાર્થ નાખવામાં આવે તો તે ડૂબતો નથી પણ તરે છે. ઉન્મના નદીમાં નાખવામાં આવેલો પથ્થર પણ તરે છે. નિમના નદીની ખાસિયત એ છે કે તેમાં નાખવામાં આવેલો કોઈ પણ પદાર્થ ડૂબી જાય છે. એટલે સુધી કે તેમાં રૂ કે લાકડું નાખવામાં આવે તો પણ ડૂબી જાય છે. પશ્ચિમ દિશામાં જેવી નમિષા ગુફા છે, તેવી જ ખંડપ્રપાતા ગુફા પૂર્વ દિશામાં આવેલી છે. તેમાં પણ ઉન્મના અને નિમના જેવી જ બે નદીઓ આવેલી છે. આ નદીઓ વૈતાઢ્ય પર્વતના ખડકોમાંથી નીકળીને પૂર્વ દિશામાં વહે છે અને ગંગા નદીને મળે છે. ભરત ક્ષેત્રમાં જે રીતે ગંગા અને સિંધુ નદી જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy