SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રયાનમાં રહેલું ન્યુટન પ્રવાહી રોકેટ ૧૮ મિનિટ સુધી છોડ્યું હતું, જેને કારણે ચંદ્રયાનને ધક્કો લાગ્યો હતો અને તેની ભ્રમણકક્ષા વધીને ૩૭,૯૦૦ કિલોમીટરની થઈ ગઈ હતી. આટલી પહોળી ભ્રમણકક્ષા સાથે ચંદ્રયાને પૃથ્વીના આકાશમાં બીજું ચક્કર માર્યું હતું, જે અગાઉના ચક્કર કરતાં થોડું મોટું હતું. ચંદ્રયાનને પૃથ્વીના આકાશમાં પહેલું ચક્કર મારતા આશરે સાડા છ કલાકનો સમય લાગ્યો હતો. ૨૫ ઓક્ટોબરે ફરીથી ૧૬ મિનિટ માટે રોકેટ છોડીને ચંદ્રયાનની ભ્રમણકક્ષા ૭૪,૭૧૫ કિલોમીટરની કરવામાં આવી હતી. આટલી ભ્રમણકક્ષામાં એક આંટો પૂરો કરવામાં ચંદ્રયાનને સાડા પચ્ચીસ ક્લાકનો સમય લાગે તેમ હતું. હકીક્તમાં પહેલી વખત ભારતનો કોઈ કૃત્રિમ ઉપગ્રહ ૩૬,૦૦૦ કિલોમીટર કરતા મોટો ચકરાવો મારતો હતો. ચંદ્રયાન સાડા પચ્ચીસ કલાકનો એક આંટો મારીને ફરીથી વર્તમાન પૃથ્વીની નજીક આવ્યું ત્યારે ૨૬ ઓક્ટોબરે બેંગલોરના કન્ટ્રોલ રૂમમાંથી સિગ્નલ આપીને ફરી એક વાર સાડા નવ મિનિટ માટે ચંદ્રયાનનું રોકેટ ફોડવામાં આવ્યું હતું, આ કારણે ચંદ્રયાન ૧,૬૪,૬૦૦ કિલોમીટરની પહોળાઈના પ્રદક્ષિણા પથમાં પહોંચી ગયું હતું. આ પ્રદક્ષિણાપથમાં તેને પૃથ્વીના આકાશમાં એક આંટો મારતાં આશરે ત્રણ દિવસ અથવા ક ક્લાકનો સમય લાગે તેમ હતું. પૃથ્વી ઉપરથી છૂટેલા અવકાશયાનને સીધું ચંદ્ર ઉપર મોકલવાને બદલે તેને પૃથ્વીના આકાશમાં ચકરાવા મરાવવાનું કારણ સમજાય તેવું નથી. ૨૨ ઓક્ટોબરે પૃથ્વી ઉપરથી છોડવામાં આવેલું ચંદ્રયાન ૨૯ ઓક્ટોબરે ફરીથી પૃથ્વીની નજીક આવ્યું ત્યારે ત્રણ મિનિટ માટે તેનું રોકેટ ફોડવામાં આવ્યું હતું. આ કારણે તેના પ્રદક્ષિણાપથની પહોળાઈ વધીને ૨,૬૩,૦૦૦ કિલોમીટર થઈ ગઈ હતી. આટલી પહોળાઈને કારણે ચંદ્રયાનને પૃથ્વીના આકાશમાં એક ચક્કર મારતાં આશરે ૬ દિવસનો સમય લાગે તેમ હતું. અહીં એક વાત ન ભૂલવી જોઈએ કે ચંદ્રપાન આશરે ૧૦૦ કિલોમીટરની ઊંચાઈએ રહીને જ પૃથ્વીના આકાશમાં ચકરાવાઓ મારી રહ્યું હતું. તેં કર્યાંય ૧૦૦ કિલોમીટરથી વધુ ઊંચાઈએ ગયું નથી. કોઈ બાળક આગળ એક ડગલું વધવા માટે પાંચ વખત પાછું જાય અને પાછું આવે એવી ભારતના ચંદ્રયાનની હાલત હતી. ૨,૬૭,૦૦૦ કિલોમીટર દૂર જઈને ચંદ્રપાન પાછું પૃથ્વીની નજીક આવ્યું હતું. ઈ.સ. ૨૦૦૮ની ૩૧ ઓક્ટોબરે ઇસરોએ બહાર પાડેલી પ્રેસનોટ મુજબ ૨૯ ઓક્ટોબરે ચંદ્રયાન ઉપર ગોઠવવામાં આવેલા ટેરેન મેપિંગ કેમેરા (ટીએમસી)નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુજબ પ્રથમ તસવીર ૩૧ ઓક્ટોબરની સવારે ૮.૦૦ Jain Education International કલાકે લેવામાં આવી હતી. ઇસરો એવો દાવો કરે છે કે આ તસવીર ૯૦૦૦ કિલોમીટરની ઊંચાઈએથી લેવામાં આવી હતી અને તેમાં ઓસ્ટ્રેલિયાનો ઉત્તર બાજુનો કિનારો દષ્ટિગોચર થાય છે. આપણે અગાઉ સાબિત કરી ચૂક્યા છીએ કે ચંદ્રયાન પૃથ્વીથી ૯૦૦૦ નહીં પણ ૧૦૦ કિલોમીટરની ઊંચાઈએ જ છે. ીતમાં તે બેંગલોરથી ૯૦૦૦ કિલોમીટર પૂર્વ દિશામાં હોવાની સંભાવના છે. આટલા અંતરે ઓસ્ટ્રેલિયા ખંડની નહીં પણ પૃથ્વીના કોઈ દૂરના ભાગની તસવીર તેણે લીધી છો. ચંદ્રયાનના કેમેરાએ પ્રથમ તસવીર ૩૧મી ઓક્ટોબરના સવારે ૮.૦૦ કલાકે લીધી તે પછી બીજી તસવીર બપોરે ૧૨.૩૦ કલાકે ૭૦,૦૦૦ કિલોમીટર દૂરથી લીધી હતી. ઇસરોનો દાવો એવો છે કે આ તસવીરમાં તેમને ઓસ્ટ્રેલિયાનો દક્ષિણ કિનારો જોવા મળે છે. હવે જો બેંગલોરથી ૯૦૦૦ કિલોમીટરની દૂરી ઉપર તેમને ઓસ્ટ્રેલિયાનો ઉત્તર કિનારો જોવા મળ્યો હોય તો ૩૦,૦૦૦ કિલોમીટરના અંતરે દક્ષિણ કિનારો કેવી રીતે દેખાય સ્વાભાવિક રીતે જ આ તસવીર ઓસ્ટ્રેલિયા ખંડની નથી પણ પૃથ્વીના કોઈ દૂરના ખંડની છે, જેની આપણને જાણ નથી. ચંદ્રયાન સાડા ચાર કલાકમાં ૯૦૦૦ કિલોમીટરથી ૭૦,૦૦૦ કિલોમીટર અંતરે પહોંચી ગયું તેના ઉપરથી ખ્યાલ આવે છે કે તેની ઝડપ એક કલાકના આશરે ૫૬,૦૦૦ કિલોમીટર જેટલી હોવી જોઈએ. ૨૨ ઓક્ટોબરે આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટા ખાતેથી છોડવામાં આવેલું ચંદ્રયાન ૪ નવેમ્બરે બેંગલોરથી માત્ર ૪૬૫ કિલોમીટર દૂર હતું. આ વચ્ચેના ૧૪ દિવસમાં તે પૃથ્વીના આકાશમાં કુલ પાંચ મોટા ચકરાવાઓ મારી ચૂક્યું હતું. ૪ નવેમ્બરે સવારે ૪.૫૬ કલાકે ચંદ્રયાનના ૪૪૦ ન્યુટન પ્રવાહી એન્જિનને આશરે અઢી મિનિટ માટે ફોડવામાં આવ્યું હતું, જેને કારણે તેની ભ્રમણકક્ષાની પહોળાઈ વધીને ૩,૮૦,૦૦૦ કિ.મી. થઈ ગઈ તી. આજના વિજ્ઞાનીઓ એમ માને છે કે ચંદ્ર પૃથ્વીથી ૩,૮૪,૦૦૦ કિ.મી. દૂર છે, પણ તેના કોઈ નક્કર પુરાવા નથી. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર માપવા માટેની જે પદ્ધતિ છે તે અવૈજ્ઞાનિક અને ક્ષતિયુક્ત છે. જ્યારે ચંદ્ર પૃથ્વીથી ૩,૮૪,૦૦૦ કિલોમીટર દૂર ન હોય ત્યારે અવકાશયાન ચંદ્ર ઉપર કેવી રીતે પહોંચે ચંદ્રયાન ચંદ્ર ઉપર પહોંચ્યું હોવાના કોઇ પુરાવા નથી ભારતના ચંદ્રયાનની નાયિત ચંદ્ર તરફની ખરેખરી જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન ° ૧૩૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy