SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ તુની માંગણીસમી સદીના મધ્યભાગમાં ભારતમાં અંગ્રેજી પદ્ધતિએ શિક્ષણ આપતી સ્કૂલો અને કોલેજોની સ્થાપના થઈ અને તે સાથે આધુનિક પદ્ધતિના ભૂગોળ અને ખગોળનું શિક્ષણ આપણાં બાળકોને આપવાનું શરૂ કરવામાં આવ્યું. આ શિક્ષણમાં એવા પાઠો ભણાવવામાં આવતા હતા કે પૃથ્વી દડા જેવી ગોળ છે, સૂર્ય કરતાં નાની છે અને તે પોતાની ભ્રમણકક્ષામાં તેમ જ સૂર્યની આજુબાજુ પણ ફરે છે. આ પાઠોમાં એવું પણ ભણાવવામાં આવે છે કે ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે, તે પૃથ્વીની આજુબાજુ ફરે છે અને સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરીને ચમકે છે. આ ઘટનાઓની સમજૂતી માટે ન્યૂટનની ગુરુત્વાકર્ષણની થિયરી પણ વિદ્યાર્થીઓને ભણાવાય છે. પ્રસ્તાવના ભારતમાં લોર્ડ મેકોલેએ અંગ્રેજી પદ્ધતિના ભૌતિકવાદી શિક્ષણનો પાયો નાખ્યો તે અગાઉ આપણી તમામ પાઠશાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતું હતું કે પૃથ્વી થાળી જેવી ગોળ છે, સપાટ છે; અને સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાઓ પૃથ્વીની કેન્દ્રમાં આવેલા મેરુ પર્વતની આજુબાજુ પરિભ્રમણ કરે છે. આર્યાવર્તના તમામ ધર્મોમાં પણ પૃથ્વી સ્થિર છે અને સૂર્ય, ચંદ્ર વગેરે પરિભ્રમણ કરે છે, એવા શાશ્વત સત્યનું વર્ણન કરવામાં આવ્યું છે અને આ તર્કશુદ્ધ સત્યનો સમગ્ર આર્યાવર્તની પ્રજાએ બુદ્ધિપૂર્વક સ્વીકાર પણ કર્યો હતો. આ મુજબ જ આપણા દેશમાં ભૂગોળ-ખગોળનું શિક્ષણ અપાતું હતું. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન Jain Education International પંદરમી સદીના યુરોપમાં પણ પૃથ્વી સ્થિર છે, સપાટ છે અને સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, તારાઓ વગેરે પૃથ્વીની આજુબાજુ ફરે છે, એવી જ માન્યતા પ્રચલિત હતી અને તેનો સાર્વત્રિક સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો. કોઈ પણ જાતના વૈજ્ઞાનિક આધાર કે પુરાવા વિના નિકોલસ કોપરનિકસ, જોહાનિસ કેપલર અને ગેલિલિયોએ જ્યારે પૃથ્વી દડા જેવી ગોળ છે અને તે સૂર્યની આજુબાજુ ફરે છે એવી કપોળકલ્પિત માન્યતાનો પ્રચાર કરવા માંડ્યો ત્યારે ખ્રિસ્તી ધર્મગુરુઓએ અને સામાન્ય પ્રજાએ પણ તેનો વિરોધ કર્યો હતો અને તે માન્યતાનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. એકને એક જૂઠાણાંનો વારંવાર પ્રચાર કરવામાં આવે છે ત્યારે પ્રજા તેને સત્ય માની લે છે એ ન્યાયે ઓગણીસમી સદીમાં યુરોપની બહુમતી પ્રજા પણ માનવા લાગી હતી કે પૃથ્વી દડા જેવી ગોળ છે, સૂર્ય કરતાં અનેક ગણી નાની છે, તે પોતાની ધરી ઉપર ફરે છે અને સૂર્યની આજુબાજુ પણ પરિભ્રમણ કરે છે. ભારતમાં રહેલા બ્રિટિશ શાસકોએ ઈસુની ઓગણીસમી સદીમાં જ્યારે ભારતીય પ્રજાને અંગ્રેજી પદ્ધતિની કેળવણી આપવાનો પ્રારંભ કર્યો ત્યારે આધુનિક ભૂગોળ-ખગોળની આ ખોટી માન્યતાઓ ભારતના વિદ્યાર્થીઓના માથે ઠોકી બેસાડવામાં આવી હતી. ઓગણીસમી સદીનું ભારત લગભગ સંપૂર્ણપણે અંગ્રેજોની ગુલામીનો સ્વીકાર કરી ચૂક્યું હતું. ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ઈ.સ. ૧૮૫૭નો બળવો ડામવામાં સફળતા મળી ગઈ હતી. ઈ.સ. ૧૮૫૭ના બળવા પછી ભારતને બ્રિટિશ સંસદના સીધા અંકુશ હેઠળ આણવામાં આવ્યું હતું. પ્રજાને માનસિક રીતે પણ ગુલામ બનાવવા માટે ભારતભરમાં અંગ્રેજી પરતનું આધુનિક શિક્ષણ આપતી સંસ્થાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એ સમયે શુદ્ધ ભારતીય પદ્ધતિએ શિક્ષણ આપતી પાઠશાળાઓ, નીતિશાળાઓ અને ગુરુકુળો મૃતપ્રાયઃ અવસ્થામાં મુકવામાં આવેલી હતી. ભારતીય પ્રજાનો અંતરાત્મા જાણે કે મૂરઝાઈ ગષો હતો. આ પરિસ્થિતિમાં અંગ્રેજી કેળવણી આપતી શાળાઓમાં આપણાં સંતાનોને જ્યારે એમ શીખવવામાં આવ્યું કે પૃથ્વી દડા જેવી ગોળ છે, સૂર્ય કરતાં નાની છે, તે પોતાની ધરી ઉપર ફરે છે અને સૂર્યની આબાજુ પણ પરિક્ષણ કરે છે, ત્યારે તેને કોઈ પણ જાતના વિરોધ વગર સ્વીકારી હોવામાં આવ્યું હતું. યુરોપમાં ધર્મગુરુ વ તરફથી આ માન્યતાનો જે ઝનૂનથી પ્રતિકાર કરવામાં આવ્યો તેવું ઓગણીસમી સદીના ભારતમાં બન્યું હોય એવું ઈતિહાસમાં નોંધાયું નથી. તેનું કારણ એ હતું કે ભારતની પ્રજા માનસિક રીતે અંગ્રેજોની ગુલામ થઈ ગઈ હતી અને અંગ્રેજી કેળવણી માટે તેમનો મોહ વધી રહ્યો હતો. આજે પણ આ પરિસ્થિતિમાં જરા પણ પરિવર્તન આવ્યું નથી. આજની સ્કૂલોમાં અને કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને શુદ્ધ ભારતીય પદ્ધતિના ભૂગોળ અને ખગોળના જ્ઞાનથી સંપૂર્ણપણે વંચિત રાખવામાં આવે છે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન * હ www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy