SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારા એનાયત ડિગ્રીઓનો સમાવેશ થાય છે. નાસા' સંસ્થા દ્વારા પૂજ્ય ગુરુદેવની નવાજેશ “ભારતીય વિજ્ઞાની' તરીકે કરવામાં આવી હતી. પૂજ્ય ગુરુદેવ પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજા જ્યારે પૃથ્વી ગોળ હોવાની આધુનિક માન્યતાને પડકારવા લાગ્યા ત્યારે શ્રદ્ધાળુ શ્રાવકો અને જિજ્ઞાસુ વિજ્ઞાનીઓ પણ તેમને પ્રશ્ન કરવા લાગ્યા કે “જો પૃથ્વી ગોળ નથી અને ફરતી નથી તો દિવસરાત શી રીતે થાય છે? તો ઋતુઓનું ચક્ર કેવી રીતે સમજાવી શકાય? ભારત અને અમેરિકા વચ્ચે સમયનું અંતર કેમ સંભવે? ઉત્તર ધ્રુવ ઉપર છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રિ કેવી રીતે થઇ શકે? પૃથ્વી જો દડા જેવી ગોળ નથી તો કેવી છે? તેનો વાસ્તવિક આકાર કેવો છે?” આ બધા જ સવાલોના જવાબ આપવા પૂજ્ય ગુરુદેવના માર્ગદર્શનથી ઈ.સ. ૧૯૬૬માં કપડવંજ ખાતે માટીમાંથી જંબુદ્વીપનું ૧૦ ઇંચનું મોડેલ બનાવવામાં આવ્યું. જેમાં સૂર્ય-ચંદ્ર વગેરેને મેરુ પર્વતની આસપાસ ફરતા દર્શાવવામાં આવ્યા. આ મોડેલને જોઇને જૈન શ્રેષ્ઠીઓ એટલા બધા પ્રભાવિત થયા કે તેમણે પૂજ્ય ગુરુદેવ સમક્ષ આ પ્રકારનું મોડેલ પાલીતાણાની તળેટીમાં મોટા સ્વરૂપે બનાવવાની વિનંતી કરી, જેનો લાભ શ્રી શત્રુંજયની યાત્રા કરવા આવતા લાખો જૈનો લઈ શકે. આ વિચારમાંથી જંબુદ્વીપ'નો જન્મ થયો. જંબુદ્વીપ સંસ્થાનો આરંભ થયો તેના થોડા જ સમયમાં ઈ.સ. ૧૯૮૭ માં ઉંઝા મુકામે તેના પ્રેરણાદાતા પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજાનો કાળધર્મ થયો. તેઓશ્રીનું અધૂરું કાર્ય કેવી રીતે પૂર્ણ થશે તેની ચિંતા અમને ઘેરી વળી. પરંતુ અમારા સદ્ભાગ્યે પૂજ્ય ગુરુદેવ અભયસાગરજી મહારાજનું અધૂરું કાર્ય તેમના વિદ્વાન, કૃપાપાત્ર અને શાસનપ્રભાવક શિષ્યરત્ન આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજાએ ભારે સૂઝ અને કુનેહપૂર્વક આગળ ધપાવ્યું. સ્વ. પૂજ્ય અભયસાગરજી મહારાજાને પણ પોતાના પટ્ટધર વિદ્વાન શિષ્યરત્ન આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજા ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. ક્યારેક તેઓ કહેતા કે “જંબુદ્વીપનું અધૂરું કાર્ય અશોકસાગર પૂરું કરશે.” આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજાએ પણ અન્ય કાર્યોને ગૌણ બનાવી પોતાની તમામ શક્તિ જંબુદ્વીપ'ના વિકાસ પાછળ કેન્દ્રીત કરી છે. આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજાના ઉપદેશ અને માર્ગદર્શનથી ‘જંબુદ્વીપ’માં ભવ્ય વિજ્ઞાનભવન અને વેધશાળાની રચના કરવામાં આવી છે. વિજ્ઞાનભવનમાં વીજળી વડે ચાલતાં સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર-તારા ભ્રમણગતિ યંત્રની પણ રચના કરવામાં આવી છે. આ યંત્રને કારણે દિવસ-રાત કેવી રીતે થાય છે તેઓ અને ચંદ્રની કળાઓનો પણ સચોટ ખ્યાલ આવે છે. પૂજ્ય આચાર્ય અશોકસાગરસૂરિજી મહારાજાની પ્રેરણાથી ‘આપણી સાચી ભૂગોળ’ નામનું પુસ્તક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં પ્રગટ કરવામાં આવ્યું છે. આ પુસ્તકના આધારે ‘હમારા સચ્ચા ભૂગોલ' નામની ફિલ્મ બનાવવામાં આવી છે, જે વિજ્ઞાનભવનમાં નિયમિત પ્રદર્શિત કરવામાં આવે છે. આ ફિલ્મની હજારો સીડીઓ પણ અત્યાર સુધીમાં વેચાઈ ગઈ છે. પૂજ્ય આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજની પ્રેરણાથી ‘જંબુદ્વીપ’ માસિકનું પ્રકાશન પણ વર્ષો સુધી કરવામાં આવ્યું હતું, જેમાં અનેકવિધ માહિતી પીરસવામાં આવતી હતી. આ ઉપરાંત જૈન ભૂગોળ બાબતમાં અનેક સેમિનારો અને શિબિરોનાં આયોજન પણ કરવામાં આવે છે, જેમાં પંન્યાસશ્રી સૌમ્યચંદ્રસાગરજી મહારાજની ગુરુભક્તિ અનુમોદનીય છે. આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજાની પ્રેરણાથી તેમના માર્ગદર્શન હેઠળ જૈન ભૂગોળ અને આધુનિક ભૂગોળનો તુલનાત્મક અભ્યાસ કરીને એક વિસ્તૃત ગ્રંથ તૈયાર કરવાનું કાર્ય પ્રસિદ્ધ જૈન પત્રકાર શ્રી સંજય વોરાને સોંપવામાં આવ્યું હતું. શ્રી સંજય વોરા સાયન્સના ગ્રેજ્યુએટ હોવા ઉપરાંત જૈન ભૂગોળના પણ ઊંડા અભ્યાસી છે. ગુજરાત સમાચારમાં ‘સુપાર્ધ મહેતા'ના ઉપનામે પ્રગટ થતી તેમની લોકપ્રિય કોલમમાં પણ તેઓ અમેરિકાની અને ભારતની ભ્રામક ચંદ્રયાત્રા બાબતમાં પ્રકાશ પાડ્યા કરે છે. શ્રી સંજય વોરાએ એક વર્ષના સંશોધન અને જહેમતના અંતે આ પુસ્તક તૈયાર કર્યું છે, જેમાં અનેક વૈજ્ઞાનિક પ્રયોગો, તો, આકૃતિઓ અને દલીલો દ્વારા પુરવાર કરવામાં આવ્યું છે કે પૃથ્વી વિશેની આધુનિક વિજ્ઞાનીઓની માન્યતા ભૂલભરેલી અને અતર્કબદ્ધ છે. આ પુસ્તકમાં જૈન ભૂગોળ અંગેની વિગતોનું ઝીણવટભર્યું વાંચન કરીને પરિમાર્જન કરી આપનારા જંબુદ્વીપ પાઠશાળાના વિદ્વાન પંડિતશ્રી અમૃતલાલ કુબડિયાની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ. આ પુસ્તકમાં ભૂગોળ અને ખગોળ બાબતની જૈન ધર્મની માન્યતાઓનું પણ સરળ ભાષામાં નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પુસ્તક શ્રી જૈન સંઘના ચરણોમાં રજૂ કરતાં અમે આનંદનો અનુભવ કરીએ છીએ. આધુનિક વિજ્ઞાનમાં અંધશ્રદ્ધા ધરાવતા સૌ કોઈ આ પુસ્તક વાંચીને જગતના સાચા સ્વરૂપનું જ્ઞાન મેળવીને તેનો ઉપયોગ પોતાના આત્માના ઉદ્ધાર માટે કરે તેવી ભાવના ભાવવા સાથે શ્રી સંજય વોરા પોતાની સેવા અમારી સંસ્થાને ભવિષ્યમાં પણ આપતા રહે તેવી કામના વ્યક્ત કરી એ છીએ. લિખિતંગ, ટ્રસ્ટીમંડળ, શ્રી જંબૂઢીપ વિજ્ઞાન રિસર્ચ સેન્ટર, પાલીતાણા. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન : ૮ Jain Education International For Private & Parsonal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy