SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ટ્રસ્ટીમંડળનું નિવેદન જૈન શાસ્ત્રોનાં સત્યોનું જતન કરવાનો પ્રશંસનીય પુરૂષાર્થ જૈન ધર્મ અનાદિ કાળથી પ્રવર્તીરહ્યો છે અને અનંત કાળ સુધી આ પૃથ્વી ઉપર રહીને અનંતા આત્માઓના મોક્ષમાં નિમિત્ત બનવાનો છે. જૈન શાસ્ત્રોમાં જગતનું સ્વરૂપ, ભૂગોળ, ખગોળ, સૂર્ય-ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, તારાઓ, દ્વીપો, સમુદ્ર, સ્વર્ગ, નર્ક, પાતાળલોક વગેરે બાબતમાં પાયાની નક્કર હકીકતો આપેલી છે, જે વૈજ્ઞાનિક અને તર્કબદ્ધ છે. આ વિશ્વનું અને તેમાં વ્યાપ્ત પદાર્થોનું જે ખરું સ્વરૂપ છે, તેનું વર્ણન કરતાં શાસ્ત્રોને જૈન ધર્મમાં દ્રવ્યાનુયોગ તરીકે ઓળખવામાં આવે છે. આ દ્રવ્યોના ગુણોની સૂક્ષ્મ ગણતરીઓને ગણિતાનુયોગ કહેવામાં આવે છે. આ દ્રવ્યોને પારખીને મોક્ષ મેળવવાનો જે પુરૂષાર્થ કરવામાં આવે તેને ચરણકરણાનુયોગ કહેવામાં આવે છે. જેઓ ચરણકરણાનુયોગને સાધીને મોક્ષગામી બન્યા છે, તેવા આત્માઓની કથાને ધર્મકથાનુયોગ કહેવામાં આવે છે. ધર્મના સનાતન સિદ્ધાંતો દ્રવ્યાનુયોગના આધારે ઘડાતા હોય છે. ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગનો ઉદ્દેશ આખરે તો દ્રવ્યાનુયોગને પુષ્ટ કરવાનો હોય છે. આ કારણે જ કાળના વીતવા સાથે ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગમાં પરિવર્તન આવે છે; પણ દ્રવ્યાનુયોગની એકવાક્યતા બદલાતા કાળ સાથે પણ ટકી આવી છે. આધુનિક વિજ્ઞાનની કેટલીક માન્યતાઓને કારણે જૈન ધર્મના દ્રવ્યાનુયોગના પાયા ઉપર જ પ્રહાર થયો છે. આજનું વિજ્ઞાન જૈન ધર્મના દ્રવ્યાનુયોગમાં વર્ણવેલું ભૂગોળ અને ખગોળ જ અમાન્ય કરે છે. તેને કારણે જૈન ધર્મમાં જે સ્વર્ગ, નર્ક, મહાવિદેહ ક્ષેત્રની વાતો છે, તેની સામે સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા છે. આધુનિક વિજ્ઞાનને અને ભૂગોળને જો સાચા માનવામાં આવે તો સ્વર્ગ અને નર્કનું અસ્તિત્વ જ કાલ્પનિક પુરવાર થાય છે. જો સ્વર્ગ, નર્ક અને મોક્ષ જેવી વસ્તુઓ જ ન હોય તો ધર્મ કરવાની કોઇ મહત્તા જ રહેતી નથી. આજનું આધુનિક શિક્ષણ લેનારા જૈનો પણ આધુનિક ભૂગોળની વાતો સાચી માનીને પૃથ્વીને દડા જેવી ગોળ અને ફરતી માનવા લાગ્યા હતા. તેને કારણે તેમને ધર્મશાસ્ત્રોમાં જે સ્વર્ગ, નર્ક, મોક્ષ વગેરે વાતો વર્ણવવામાં આવી હતી તેમાં અવિશ્વાસ પેદા થયો અને તેઓ ધર્મથી વિમુખ થવા લાગ્યા હતા. જ્યારે જૈન ધર્મના પ્રખર વિદ્વાન અને ગુરુદેવ Jain Education International પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજાના ધ્યાનમાં આ વાત આવી ત્યારે તેમણે આધુનિક ભૂગોળ અને ખગોળનો વિશદ અભ્યાસ કર્યો અને તેમાં રહેલી અનેક વિસંગતતાઓ તર્કબદ્ધ રીતે શોધી કાઢી. આધુનિક ભૂગોળની કેટલીય કપોળકલ્પિત વાતોને જાહેર કરવા અને જૈન ભૂગોળની વૈજ્ઞાનિકતા પુરવાર કરવા તેમણે અનેક ગ્રંથો લખ્યા અને આ વિષયના નિષ્ણાતો સાથે લાંબો પત્રવ્યવહાર કર્યો. ઇ.સ. ૧૯૬૯માં અમેરિકાએ એપોલો યાનને ચંદ્ર ઉપર મોકલવાનું જૂઠાણું વહેતું કર્યું ત્યારે પૂજ્ય ગુરુદેવે ‘નાસા’ સાથે પત્રવ્યવહાર કરીને એપોલો યાન ચંદ્ર ઉપર ગયું હોવાના નક્કર પુરાવા રજૂ કરવાનો પડકાર કર્યો. ‘નાસા’ના વિજ્ઞાનીઓ કોઇ પુરાવા રજૂ કરી શક્યા નહીં.જૈન ભૂગોળની વાતોને પ્રેક્ટિકલ મોડેલો અને પ્રયોગોના માધ્યમથી સમજાવવા માટે પૂજ્ય ગુરુદેવ પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજાની પ્રેરણાથી પાલીતાણામાં શ્રી જંબુદ્રીપનું નિર્માણ કરવામાં આવ્યું. પૂજ્ય ગુરુદેવ અભયસાગરજી મહારાજાએ પૃથ્વીના ખરાં સ્વરૂપ અને અમેરિકાની ચંદ્રયાત્રા બાબતમાં જે પુસ્તકો લખ્યાં તેનું અંગ્રેજીમાં પણ ભાષાંતર થયું અને તે પુસ્તકો અમેરિકા પહોંચી ગયાં. અમેરિકામાં ‘ફ્લેટ અર્થ સોસાયટી'નામની સંસ્થા કાર્યરત છે, જેઓ પૃથ્વીને દડા જેવી ગોળ નહીં પણ સપાટ માને છે. આ સંસ્થાના અધ્યક્ષ ચાર્લ્સ જહોનસન પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજાનું સાહિત્ય વાંચીને અત્યંત પ્રભાવિત થઇ ગયા. તેમણે પોતાની સંસ્થાનું ‘ફ્લેટ અર્થ ન્યૂઝ’ નામનું સામાયિક પૂજ્ય ગુરુદેવને મોકલી આપ્યું. ચાર્લ્સ જહોનસને પૂજ્ય ગુરુદેવ પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજાને ‘ફ્લેટ અર્થ સોસાયટી’ના માનદ સભ્ય બનાવ્યા અને તેમને અમેરિકા આવવા ઉષ્માભર્યું આમંત્રણ પાઠવ્યું. પૂજ્ય ગુરુદેવે જૈન સાધુની મર્યાદાઓનો ખ્યાલ આપતાં ચાર્લ્સ જહોનસનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. ચાર્લ્સ જહોનસને ભારતની સંસ્કૃતિના વખાણ લખતાં આ આમંત્રણ સ્વીકાર્યું પણ તેઓ ભારત આવી શક્યા નહીં. પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજાના ભૂગોળ અને ખગોળના અગાધ જ્ઞાનથી પ્રભાવિત થઇ દેશવિદેશની સંસ્થાઓ દ્વારા તેમને માનદ ડિગ્રીઓ એનાયત કરવામાં આવી. આ ડિગ્રીઓમાં વોશિંગ્ટનની નેશનલ જ્યોગ્રોફિક સોસાયટી, દિલ્હીનું ઓલ ઇન્ડિયા સાયન્સ રિસર્ચ એસોસિયેશન, હૈદરાબાદની ડેક્કન ઇન્સ્ટિટયૂટ ઓફ જ્યોગ્રોફી, અમદાવાદની ઓબ્ઝર્વેટરી ઓફ ગુજરાત વગેરે સંસ્થાઓ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy