SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ એપોલોની બનાવટી ચંદ્રયાત્રાના પુરાવાઓ (૧) ચંદ્ર ઉપર જે અવકાશયાન ઊતર્યું તેણે ચંદ્રની ધરતીને સ્પર્શ કર્યો ત્યાં સુધી તેનું એન્જિન ચાલુ હતું, એમ ‘નાસા’નો રિપોર્ટ કહે છે. જો આ વાત સાચી હોય તો ચંદ્રયાને જે ધરતી ઉપર ઉતરાણ કર્યું તેમાં ખાડો પડી જવો જોઈએ. અહીં જે તસવીર દર્શાવવામાં આવી છે તેમાં ચંદ્રયાનની નીચે કોઈ ખાડો જોવામાં આવતો નથી. વળી એન્જિન ચાલુ હોત તો ચંદ્ર ઉપર ધૂળની એટલી મોટી ડમરી ચડી હોત કે તેને પૃથ્વી ઉપરથી પણ શક્તિશાળી ટેલિસ્કોપ વડે જોઈ શકાત. આવું બન્યું નહોતું. આ ધૂળની ડમરીથી અવકાશયાત્રીઓ, તેમનાં સાધનો અને ચંદ્રયાન પણ ઢંકાઈ ગયું હોત. આવું પણ કોઈ ફોટામાં જોવા મળ્યું નહોતું. આ બધી વાતો ઉપરથી સાબિત થાય છે કે અમેરિકાએ ચંદ્રયાત્રાનું માત્ર નાટક જ કર્યું હતું. (૨) ચંદ્રની ધરતી ઉપર કોઈ જ પ્રકારનું વાતાવરણ નથી. એમ આજના વિજ્ઞાનીઓ કહે છે. જો આ વાત સાચી હોય તો ચંદ્રની ધરતી ઉપર જ્યાં સૂર્યનો તડકો પડતો હોય ત્યાં ઉષ્ણતામાન આશરે Jain Education International ૧૦૦૦ ડિગ્રી ફેરનહીટ હોવું જોઈએ; જેમાં સીસું પણ પીગળી જાય છે. આ ઉષ્ણતામાને અવકાશયાત્રીઓએ જે સ્પેસ શૂટ પહેર્યો હોય તે પણ પીગળી જાય અને તેઓ સહીસલામત રહી શકે નહીં. અમેરિકાના જે અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર ગયા હોવાનો દાવો કરે છે, તેમને આવો કોઈ અનુભવ થયો નહોતો. તેનું કારણ એ હતું કે તેઓ હકીકતમાં ચંદ્ર ઉપર ગયા જ નહોતા. (૩) અહીં જે તસવીર દર્શાવવામાં આવી છે તે અવકાશયાત્રી બઝ ઓલ્ડ્રીનની છે. આ તસવીર નીલ આર્મસ્ટ્રોંગે પોતાના કેમેરા વડે લીધી હોવાનું કહેવાય છે. આ તસવીરમાં ઓલ્ડ્રીનનો પડછાયો સામેની તરફ પડે છે, જેના પરથી ખ્યાલ આવે છે કે સૂર્યનો પ્રકાશ પાછળની બાજુથી આવી રહ્યો છે. જો સૂર્યનો પ્રકાશ પાછળથી આવતો હોય તો ઓલ્ડ્રીનના ચહેરા ઉપરનો માસ્ક અંધારામાં હોય અને તેને જોઈ શકાય નહીં. આ તસવીરમાં ઓલ્ડ્રીનના ચહેરા ઉપરની પ્લેટ સ્પષ્ટ જોઈ શકાય છે, જેનો અર્થ એવો થાય છે કે ઓલ્ડ્રીનના ચહેરા ઉપર સામેથી પણ પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો. આ પ્રકાશ કેમેરાની ફ્લેશ લાઇટનો અથવા સ્ટુડિયોમાં ગોઠવવામાં આવેલી ફ્લડ લાઇટનો પ્રકાશ જ હોઈ શકે, કારણ કે બનાવટી ચંદ્રયાત્રાનું શૂટિંગ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું. (૪) એપોલો-૬ અવકાશયાનને જીવલેણ અકસ્માત નડ્યો હતો અને તેનો ધબડકો થયો હતો. ત્યાર બાદ જે છ એપોલો મિશન હાથધરવામાં આવ્યાં તેમાં ક્યાંય અકસ્માતો થયા નહોતા કે નિષ્ફળતા મળી નહોતી. આ વાત તર્કસંગત નથી. એપોલો૬ની નિષ્ફળતા પછી બનાવટી ચંદ્રયાત્રાનું તરકટ ઊભું કરવામાં આવ્યું હતું, જેને કારણે એપોલો૧૨ સુધી એક પણ મિશનમાં ‘અકસ્માત’ બન્યો નહોતો. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૦૬ For Private & Personal Use Only www.jaine||brary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy