________________ હ૭૨ અનુબદારાઈ -(304) કરવું તે ગુણનિષ્પન્નશૈષવતુઅનુમાન છે. અવવરૂપલિંગ નિષ્પન્ન શેષવતુઅનુમાન શું છે ? શૃંગથી મહિષનું શિખાથી કુકટનું વિષાણથી હાથીનું દેથી વરાહનું પીંછાથી મયૂરનું,ખરીઓથી ઘોડાનું નખથી વ્યાઘનું બાલાઝથી ચમરીનું, પૂછડાથી. વાંદરાનું દ્વિપદથી મનુષ્યાદિનું, ચતુષ્પદથી ગાયાદિ ઘણાપગોથી ગૌમિકાદિનું કેશરાળથી સિંહનું, કકુદથી બળદનું વલયયુકત બાહુથી. સ્ત્રીનું અનુમાન કરવું તે અવયવલિંગજન્ય શેષવતુ અનુમાન છે. [30] પરિકરબંધનચોદ્ધાના વિશેષ પ્રકારના પોશાકથી યોદ્ધાનું જ્ઞાન થાય છે. વરુવિશેષથી મહિલા જણાય જાય છે. સીઝી-ગયેલ એક દાણથી દ્રોણ-પાક અને એક ગાથા ઉપરથી કવિનું જ્ઞાન થઈ જાય છે. તે અવયવલિંગજન્ય શેષવતુ અનુમાન છે. [૩૦૫]આશ્રયજન્ય શેષવતુ અનુમાન શું છે? –આશ્રયજન્ય શેષવતુ અનુ માન આ પ્રમાણે છે ધૂમથી અગ્નિનું, બગલાઓની પંકિતથી પાણીનું. વાદળાના વિકારથી વૃષ્ટિનું શીલના સદાચારથી કુલ-પુત્રનું અનુમાન થાય છે. આ રીતે આશ્રયથી આશ્રયીનું શેષવતુ અનુમાન છે. દષ્ટસાધમ્યવતું અનુમાન તે શું છે? બે પ્રકારનું છે. સામાન્યદષ્ટ અને વિશેષદષ્ટ સામાન્યદઅનુમાન શું છે ? -કોઈ પદાર્થ સામાન્યરૂપથી દષ્ટ હોય તે સાથે અન્ય અદષ્ટના સાધમ્મનું અનુમાન કરવું તે સામાન્યદષ્ટ અનુમાન છે. જેમકે-એક પુરૂષનો આકાર જોઈ અન્ય ઘણા પુરુષોનો પણ આવો હોય છે. તેવું અનુમાન કરવું અથવા સામાન્યરૂપે ઘણાપુરુષોને જોઈ જેવા આ ઘણા પુરુષો છે તેવો એક પુરુષ હશે. જેવો એક કાપણસિક્કો. તેવા અનેક કાષપણ, જેવા અનેક કાષપણ તેવો એક કાષપિણ. આ સામાન્યદષ્ટ અનુમાન છે. વિશેષદષ્ટ સાધમ્યવતુ અનુમાન શું છે? વિશેષરૂપથી દષ્ટપદાર્થના સાધર્મ્સથી અદષ્ટનું અનુમાન કરવું તે વિશેષદષ્ટસાધર્મવત્ અનુમાન છે. જેમ કોઈ પુરુષ અનેક પુરુષોની વચમાં રહેલ પૂર્વદષ્ટા પુરુષને ઓળખી લે છે કે “આ તેજ માણસ છે આ અનુમાનપ્રયોગમાં પુરુષવિશેષને વિશેષરુપથી મૂકવામાં આવ્યો છે તેથી આ અનુમાન વિશેષદષ્ટ છે. તેજ રીતે ઘણા સિક્કાઓની વચ્ચમાંથી પૂર્વદષ્ટ સિક્કાને જાણી લેવો કે “આ તેજ સિક્કો છે. તે વિશેષદષ્ટ અનુમાનનો વિષય સંક્ષેપમાં ત્રણ પ્રકારનો હોય છે. અતીતકાળનો વર્તમાનકાળનો અને ભવિષ્યકાળનો. અતીતકાળગ્રહણ શું છે? - વનોમાં ઉગેલઘાસ સંસ્થાકુંરોથી હરિતવણ થયેલી, પૃથ્વી તથા કુંડ, સરોવર, નદી, દીર્ઘકાવાવ, પ્રસિદ્ધ જળાશય વગેરેને જળથી સંપૂરિત જોઈ અતીતમાં થયેલ સુવૃષ્ટિનું અનુમાન કરવું. પ્રત્યુત્પનકાળથી ગ્રહણ શું છે ? ભિક્ષામાટે બહાર નિકળેલા સાધુને કે જેને ગૃહસ્થોએ પ્રચુર ભક્તપાન આપ્યું છે, તે જોઈને તેણે અનુમાન કર્યું કે “અહીં સુભિક્ષ છે.' [૩૦-૩૦૭)અનાગત કાલગ્રહણ શું છે? આકાશની નિર્મળતા, કૃષ્ણવર્ણવાળા પર્વતો, વિધુત્સહિતમેઘ, મેઘની ગર્જના, વૃષ્ટિને નહિ રોકનાર પવનની ગતિ રક્તવર્ણવાળી સંધ્યા, આદ્ર, મૂળ નક્ષત્રોથી ઉત્પન્ન થયેલ અથવા રોહિણી, જ્યેષ્ઠા, આદિ નક્ષત્રોવડે ઉત્પન્ન થયેલ ઉત્પાતને અથવા અન્ય ઉત્પાતોને, દિગ્દાહ, ઉલ્કાપાત વગેરે ઉપદ્રવો કે જે વૃષ્ટિના પ્રશસ્ત નિમિત્તો છે તે જોઈને અનુમાન કરવું ‘સુવૃષ્ટિ થશે.” આ અનુમાન અનાગતકાળગ્રહણ અનુમાન છે. આ ઉદ્ગતતૃણ, વનાદિ પૂર્વોક્ત લિંગની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org