SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ 377 સુa-૩૦૮ વિપરીતતામાં પણ ત્રણ પ્રકાનું ગ્રહણ થાય છે. અતીતકાળ ગ્રહણ, પ્રત્યુત્પન્ન કાળગ્રહણ, અનાગતકાળ ગ્રહણ. --ભંતે ! અતીતકાળ ગ્રહણ શું છે? તૃણ રહિત વનો, અનિષ્પન્ન ધાન્ય યુક્ત ભૂમિહુષ્કકુંડ, સર, નદી, દીથિંક, જળાશય વગેરે જોઈ અનુમાન કરવું કે આ દેશમાં વૃષ્ટિ થઈ નથી. તે અતીતકાળ ગ્રહણ છે. પ્રત્યુત્પન્નકાળગ્રહણ શું છે? ભિક્ષાર્જન માટે આવેલ કોઈ સાધુને લાભથી વંચિત જોઈને અત્યારે અહીં દુભિક્ષ છે” એવું અનુમાન કરવું તે પ્રત્યુત્પનકાળ ગ્રહણ. છે. [૩૦૮-૩૦૯]અનાગતકાળગ્રહણ શું છે? દિશાઓ સધૂમ હોય, પૃથ્વી ફાટી ગઈ હોય, છિદ્રો પડી ગયા હોય, પવન દક્ષિણ દિશાનો વહેતો હોય,આ વૃષ્ટિના અભાવના. ચિહનો જોઈ તથા અગ્નિ કે વાયુ જોઈને “અહીં વૃષ્ટિ થશે નહીં આવું અનુમાન કરવું તે અનાગતકાળ ગ્રહણ છે. આ વિશેષદષ્ટસાધર્મવતુ અનુમાનનું સ્વરૂપ જાણવું. ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે? –ઉપમાવડે વસ્તુસ્વરૂપને જાણવું. તે ઉપમાનપ્રમાણ. તેના બે પ્રકાર છે. સાધમ્યોપનીત અને વૈધમ્યોપનીત. સાધમ્યપનીત શું છે? -સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તે સાધમ્યોંપનીત છે તેના ત્રણ ભેદ છે. કિંચિસાધર્મોપનીત, પ્રાયસાધમ્યપનીત અને સર્વસાધર્મોપનીત. તે કિંચિસાધમ્યપનીત શું છે ? કંઈક સમાનતાના આધારે ઉપમા આપવામાંઆવે તે કિંચિતસાધોપનીત છે. જેવો મંદર છે તેવો સષપ છે. જેવો સર્ષપ છે તેવો મેરુ છે. જેવો સમુદ્ર તેવો ગોષ્પદ જેવો ગોષ્પદ તેવો સમુદ્ર જેવો આદિત્ય તેવો ખદ્યોત આગિયો, જેવો. ખદ્યોત તેવો આદિત્ય જેવો ચંદ્ર તેવું કદ, જેવું કમુદ તેવો ચંદ્ર આ રીતે કિંચિત્ સાધમ્ય પનીત છે. પ્રાયસાધમ્યોપનીતનું સ્વરૂપ કેવું છે ? અધિકાંશ-સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તે પ્રાય સાધમ્યપનીત છે. જેવી ગાય તેવો ગવય (રોઝ) છે. જેવો ગવાય તેવી ગાય છે. આ પ્રાયઃસાધમ્યપનીત છે. -ભંતે સર્વસાધર્મોપનીત શું છે? –સર્વ પ્રકારોથી સમાનતા પ્રગટ કરવામાં આવે તે સર્વસાધમ્યોપની છે. અત્રે શંકા થાય કે સર્વપ્રકારથી સમાનતા તો કોઈ સાથે ઘટિત થઈ શકે નહીં કારણ કે જો બંનેમાં સર્વપ્રકારે સમાનતા ઘટિત થાયતો બંનેમાં એકતા પ્રાપ્ત થવાનો પ્રસંગે ઉપસ્થિત થાય. આ શંકાનો ઉત્તર આ છે કે એક વસ્તુની બીજી વસ્તુ સાથે સવપ્રકારે સમાનતા નથી. હોતી પરંતુ અત્રે તે સમાનતા તેની સાથે જ પ્રગટ કરી છે. બીજા સાથે નહિ. તે આ પ્રમાણે અહંતોએ અહંન્તો જેવું કર્યું. ચક્રવર્તીએ ચક્રવર્તીઓના જેવું કર્યું. બળદેવે બળદેવોના જેવું કર્યું વાસુદેવે વાસુદેવોના જેવું કર્યું સાધુએ સાધુઓના જેવું ક્યું આ સર્વસાધમ્યોપનીત છે. વૈધયાનીત શું છે ? –બે કે વધુ પદાર્થોમાં વિલક્ષણતા પ્રગટકરવામાં આવે તે વેધમ્યોપનીત. તેના ત્રણ પ્રકાર છે. કિંચિતુર્વધર્મોપનીત પ્રાયધમ્યપનીત અને સર્વવૈધનીત. કિંચિતવૈધમ્યપનીત શું છે? –કોઈક ધર્મની વિલક્ષણતા પ્રગટ કરવી તે કિચિવૈધમ્યપનીત છે. જવું શબલાગાયનું વાછરડું હોય તેવું બહુલા ગાયનું વાછરડું હોતુ નથી, જેવું બહુલાગાયનું વાછરડુ હોય તેવું શબલાગાયનું વાછરડુ હોતુ નથી. આરીતે કિંચિત વૈધમ્યપનીતનું સ્વરૂપ જાણવું. પ્રાયવૈધમ્યપનીત શું છે ? - અધિકાંશરૂપમાં અનેક અવયવગત વિસદશતા પ્રગટ કરવી તે પ્રાયવૈધર્મો પનીત છે. જેવો વાયસ (કાગડો) તેવું પાયસ (દૂધપાક) હોતું નથી, જેવું પાયસ હોય છે તેવો વાયરસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005109
Book TitleAgam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages103
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy