SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર- 302 371 પ્રમાણ. વર્ષગુણપ્રમાણ શું છે ? વગુણ પ્રમાણ પાંચ પ્રકારનું છે કૃષણ-વર્ણગુણપ્રમાણ યાવતુ શુકલવર્ણગુણપ્રમાણ, ગંધગુણપ્રમાણ શું છે? સુરભિગંધ અને દુરભિગંધ આ બે પ્રકારે ગંધગુણપ્રમાણ છે. રસગુણપ્રમાણ શું છે? –રસગુણપ્રમાણના પાંચ પ્રકારે છે તિકતરપ્રમાણ યાવતુ મધુરરસપ્રમાણ. આ રસગુણ પ્રમાણ છે. સ્પર્શગુણપ્રમાણ શું છે ? -સ્પર્શગુણપ્રમાણના આઠ પ્રકાર છે. કર્કશગુણ પ્રમાણ યાવત્ રૂક્ષસ્પર્શગુણપ્રમાણ. આ સ્પર્શગુણ પ્રમાણ છે. સંસ્થાનગુણપ્રમાણ શું છે? સંસ્થાનગુણપ્રમાણ પાંચ પ્રકારનું છે—પરિમંડળ સંસ્થાન ગુણપ્રમાણ વૃત્તસંસ્થાનગુણપ્રમાણ, વ્યસ્ત્રસંસ્થાનગુણપ્રમાણ ચતુરઢ સંસ્થા ગુણપ્રમાણ આયતસંસ્થાનગુણપ્રમાણ, આ પ્રમાણે અજીવ- ગુણપ્રમાણ જાણવું. ભંતે ! જીવગુણપ્રમાણ. શું છે ? - જ્ઞાનગુણ, દર્શનગુણ, અને ચારિત્રગુણરૂપ જીવગુણપ્રમાણ છે. જ્ઞાનગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે? - પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમરૂપ જ્ઞાનગુણ પ્રમાણ જાણવું. પ્રત્યક્ષનું સ્વરૂપ કેવું છે? -ઈદ્રિય પ્રત્યક્ષ અને નોઈદ્રિય પ્રત્યક્ષ રૂપ પ્રત્યક્ષપ્રમાણ છે, ઈદ્રિયપ્રત્યક્ષતા શું છે ? ઈદ્રિયપ્રત્યક્ષના પાંચ પ્રકાર કહેવામાં આવ્યાં છે. શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ ચક્ષુઈન્દ્રિયપ્રત્યક્ષ ઘ્રાણેજિયપ્રત્યક્ષ જિલ્હાઈન્દ્રિયપ્રત્યક્ષ અઈિન્દ્રિયપ્રત્યક્ષ. આ પ્રમાણે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. નોઈદ્રિયપ્રત્યક્ષ શું છે ? અવધિજ્ઞાનપ્રત્યક્ષ, મન:પર્ય-વિજ્ઞાનપ્રત્યક્ષ અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ સ્વરૂપ નોઈદ્રિયપ્રત્યક્ષ જાણવું. આપ્રમાણે પ્રત્યક્ષનું સ્વરૂપવર્ણન પૂર્ણ થયું. અનુમાનપ્રમાણ શું છે ? અનુમાન ત્રણ પ્રકારના છે. પૂર્વવતું શેષવતું દષ્ટસાધર્યુવતુ પૂર્વવતુ અનુમાન શું છે? પૂર્વવતુઅનુમાન ચિહ્નો વગેરેથી જે અનુમાન કરવામાં આવે તે આ પ્રકારનું છેક્ષત શરીરમાં ઉત્પન્ન થનાર ઘા, વ્રણ થાય તે, લાંછન-મસા અને તલ, આ પાંચ ચિહનોવડે ઉત્પન્ન થયેલ અનુમાન પૂર્વવતુ કહેવામાં આવ્યું છે. કોઈ માતાનો પુત્ર બાલ્યવસ્થામાં જ પરદેશ જતો રહ્યો હતો. પરદેશમાં તે તરૂણ થઈ ગયો જ્યારે તે પાછો ફર્યો ત્યારે માતાએ કોઈ ચિહનના આધારે તેને ઓળખી લીધો. આ પ્રમાણે પૂર્વવતું અનુમાન છે. [33] શેષવતુઅનુમાન શું છે? -કાર્ય, કારણ, ગુણ, અવયવ અને આશ્રય આ. પાંચદ્વારા જે અનુમાન કરવામાં આવે તે શેષવતુ અનુમાન કહેવાય છે. કાર્યથી ઉત્પન્ન થનાર શેષવતુ અનુમાન શું છે? -કાર્ય ઉપરથી કારણનું અનુમાન કરવું તે કાર્યથી ઉત્પન્ન થનાર શેષવતું છે. શંખના ધ્વની સાંભળી શંખનું, ભેરીના તાડનથી ભેરીનું બળદોના અવાજ સાંભળી બળદનું, મોરનો કેકારવ સાંભળી મયૂરનું, હણહણાટ સાંભળી ઘોડાનું હાથીની ચીખ સાંભળી હાથીનું, એવું ઘનઘનાયિત સાંભળી રથનું અનુમાન કરવું તે કાર્યલિંગથી ઉત્પન્ન થયેલ શેષવતુ અનુમાન છે. કારણરૂપ લિંગથી ઉત્પન્ન થનાર શેષવતુ અનુમાન શું છે ? –કારણરૂપ લિંગથી ઉત્પન્ન થનાર શેષવતુઅનુમાન આ પ્રમાણે છે-પટનું કારણ તંતુઓ છે, પટતંતુનું કારણ નથી. વીરણા તૃણવિશેષ કટસાદડીનું કારણ છે, સાદડી વરણાનું કારણ નથી. માટીપિંડ ઘટનું કારણ છે, ઘટ માટીનું કારણ નથી. આ કારણલિંગજન્ય શેષાવતુઅનુમાન છે. ગુણલિંગજન્ય શેષવતુઅનુમાન શું છે ? સોનાની કસોટીપર ઘસવાથી કસોટીપરની રેખા જોઈ સુવર્ણનું. ગંધથી, પુષ્પ, રસથી લવણ્યનું આસ્વાદથી મદિરાનું એવું સ્પર્શથી વસ્ત્રનું અનુમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005109
Book TitleAgam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages103
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy