SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ 118 પિંડનિન્જરિ (481) આ પ્રમાણે કુલ, ગણ, કર્મ, શિલ્પમાં દોષ સમજી લેવા. આ રીતે ભિક્ષા લેવી તે આજીવિકાપિંડ દોષવાળી કહેવાય. સાધુને આવો પિંડ લેવા કહ્યું નહિ. [481-493 આહારાદિને માટે સાધુ શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ, શ્વાન આદિના ભક્તની આગળ-એટલે કે જેનો ભક્ત હોય તેની આગળ તેની પ્રશંસા કરીને પોતે આહારાદિ મેળવે તે વનપક પિંડ કહેવાય. શ્રમણના પાંચ ભેદો છે. નિગ્રંથ, બૌદ્ધ, તાપસ, પરિવ્રાજક, અને ગોશાળના મતને અનુસરનારા. કૃપાથી દરિદ્ર, અંધ, ઠુંઠ, લંગડા, રોગી, જુગિત વગેરે સમજવા. જાનથી કૂતરા, કાગડ, ગાય, યક્ષની પ્રતિમા વગેરે સમજવા. જે જેના ભક્ત હોય તેની આગળ પોતે તેના વખાણ આદિ કરે. કોઈ સાધુ ભિક્ષાએ ગયો હોય ત્યાં ભિક્ષા મેળવવા માટે. નિગ્રંથને આશ્રીને શ્રાવકની આગળ બોલે કે હે ઉત્તમ શ્રાવક! તારા આ ગુરુ તો અતિશય જ્ઞાનવાળા છે, શુદ્ધ ક્રિયા અને અનુષ્ટાન પાળવામાં તત્પર છે, મોક્ષના અભિલાષી છે. બૌદ્ધના ભક્તની આગળ ત્યાં બૌદ્ધ ભિક્ષુકો ભોજન કરતા હોય તો તેમની પ્રશંસા કરે આ પ્રમાણે તાપસ, પરિવ્રાજક અને ગોશાળના મતના અનુયાયીઓ આગળ તેમની તેમની પ્રશંસા કરે. બ્રાહ્મણના ભક્તની આગળ કહે કે બ્રાહ્મણને ધન કરવાથી આવા આવા લાભ મળે. કૃપણના ભક્તની આગળ કહે કે “બીચારા આ લોકોને કોણ આપવાનું હતું. આમને આપવાથી તો જગતમાં દાનની જયપતાકા મળે છે. વગેરે. શ્વાન આદિના ભક્તની આગળ કહે કે બળદ વગેરેને તો ઘાસ વગેરે મળી રહે છે, જ્યારે કૂતરા વગેરેને તો લોકો હ કરીને કે લાકડી વગેરે મારીને કાઢી મૂકે છે. એટલે બીચારાને સુખે ખાવાનું પણ મળતું નથી. કાક, પોપટ આદિ શુભાશુભ જણાવે છે. યક્ષની મૂર્તિના ભક્તની આગળ યક્ષના પ્રભાવ આદિનું વર્ણન કરે. આ પ્રમાણે આહાર મેળવવો એ ઘણા દોષનું કારણ છે. કેમકે સાધુ આ રીતે દાનની પ્રશંસા કરે તેથી અપાત્રમાં દાનની પ્રવૃત્તિ થાય, વળી બીજાને એમ થાય કે “આ સાધુ બૌદ્ધ આદિની પ્રશંસા કરે છે માટે જરૂર આ ધર્મ ઉત્તમ છે. આથી ક્વો મિથ્યાત્વમાં સ્થિર થાય, કે શ્રદ્ધાવાળો હોય તે મિથ્યાત્વ પામે. વગેરે અનેક દોષો રહેલા. છે. વળી જો તે બૌદ્ધ આદિનો ભક્ત હોય તો સાધુને આધાકમિિદ સારો સાર આહાર બનાવીને આપે. આ રીતે સાધુ ત્યાં રોજ જવાથી, બૌદ્ધની પ્રશંસા કરવાથી તે સાધુ પણ કદાચ બૌદ્ધ થઈ જાય. ખોટી પ્રશંસા આદિ કરવાથી મૃષાવાદ પણ લાગે. જો તે બ્રાહ્મણ આદિ સાધુના દ્વેષી હોય તો બોલે કે “આને ગયા ભવમાં કંઈ આપ્યું નથી એટલે આ ભવમાં મળતું નથી, તેથી આવા પ્રકારનું મીઠું મીઠું બોલે છે, કૂતરાની જેમ દીનતા બતાવે છે. વગેરે બોલે. તેથી પ્રવચન વિરાધના થાય. ઘરમાંથી કાઢી મૂકે કે ફરીથી ઘરમાં આવે નહિ એટલા માટે ઝેર આદિ આપે. આથી સાધુનું મૃત્યુ આદિ થાય, આથી આત્મવિરાધના વગેરે દોષો રહેલા છે. | [494-498] કોઈના ઘેર સાધુ ભિક્ષાએ ગયા, ત્યાં ગૃહસ્થ રોગ મટાડવા માટે દવાનું પૂછે, તો સાધુ એમ કહે કે- “શું હું વૈદ્ય છું? આથી પેલો ગૃહસ્થ સમજે કે આ રોગ માડવા માટે વૈદ્ય પાસે જવાનું સૂચવે છે. અથવા તો કહે કે “મને આવો રોગ થયો હતો, ત્યારે આવો આવો ઉપચાર કરેલો. એટલે રોગ મટી ગયો હતો. અથવા સાધુ પોતે જ રોગની ચિકિત્સા કરે. આ ત્રણે પ્રકારે ચિકિત્સા દોષ લાગે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy