SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા -473 117 મારી સ્ત્રીનું ચારિત્ર જઉં કે સુશીલા છે કે દુશીલા છે?' પરંતુ સંબંધીઓ સામા મળ્યા એટલે મુખી આશ્ચર્ય પામ્યો. પૂછ્યું કે “મારા આગમનની તમને શી રીતે ખબર પડી?” સંબંધીઓએ કહ્યું કે તમારી પત્નિએ કહ્યું એટલે અમે આવ્યા. બીજું કંઈ અમે જાણતા નથી. મુખી ઘેર આવ્યો અને પોતાની પત્નિને પૂછ્યું કે મારા આગમનની તને શી રીતે ખબર પડી? સ્ત્રીએ કહ્યું કે અહીં મુનિ આવ્યા છે તેમણે નિમિત્તના બળે મને કહ્યું હતું.” મુખીએ પૂછયું કે “એના જ્ઞાનની બીજી પણ કાંઈ ખાત્રી છે?” સ્ત્રીએ કહ્યું કે, તમે મારી સાથે જે ચેષ્ટાઓ કરેલી. જે વાતચિતો કરેલી, તથા મેં જે સ્વપ્ન જોયેલાં તથા મારા ગુપ્ત ભાગમાં રહેલું તલ વગેરે મને કહેલું, તે બધું સાચું હોવાથી તમારું આગમન પણ સાચું હશે, એમ મેં નિર્ણય કર્યો હતો અને તેથી તમને લેવા માટે બધાને સામે મોકલ્યા હતા.' આ સાંભળતાં મુખીને ઈર્ષા આવી અને રોષાયમાન થયો. સાધુ પાસે આવીને રોષપૂર્વક પૂછ્યું કે “બોલ! આ ઘોડીના પેટમાં વછેર છે કે વછેરી છે?” સાધુએ કહ્યું કે ‘તેના પેટમાં પાંચ લક્ષણવાળો વછેરો છે. મુખીએ મનમાં વિચાર્યું કે “જો આ સાચું પડશે તો મારી સ્ત્રીએ કહેલું બધું સાચું માનીશ, નહિતર આ દુરાચારી બન્નેને મારી નાખીશ.” મુખીએ ખાત્રી કરવા માટે ઘોડીનું પેટ ચીરી નાંખ્યું અને જોયું તો મુનિના કહેવા પ્રમાણે પાંચ લક્ષણવાળો ઘોડો હતો, આ જોતાં તેને ક્રોધ શાંત થઈ ગયો. આ રીતે નિમિત્ત કહેવામાં અનેક દોષો રહેલા છે. એટલે નિમિત્ત કહી પિંડ લેવો કો નહિ. [474-780 આજીવિકા પાંચ પ્રકારે થાય છે. જાતિસંબંધિ, કુલસંબંધિ ગણસંબંધિ, કર્મસંબંધિ, શીલ્પસંબંધિ. આ પાંચે પ્રકારમાં સાધુ એવા પ્રકારે બોલે કે જેથી ગૃહસ્થ સમજે કે “આ અમારી જાતિ આદિનો છે, અથવા તો સ્પષ્ટ ભાષામાં કહે કે હું બ્રાહ્મણ આદિ છું.’ આ રીતે પોતાને તેવા ઓળખાવવાપૂર્વક ભિક્ષા લેવી, તે આજિવિકા દોષવાળી કહેવાય છે. જાતિ-બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ અથવા માતૃપક્ષની માતાનાં સગાંવહાલાં જાતિ કહેવાય. કુલ-ઉગ્રંકુલ, રાજન્યકુલ, ભોગકુલ આદિ અથવા પિતાપક્ષનું-પિતાનાં સગાંવહાલા સંબંધી કુલ કહેવાય. ગણ-મલ્લ આદિનો સમુહ. કર્મ-ખેતી આદિનું કાર્ય અથવા અપ્રીતિને ઉત્પન્ન કરનાર, શિલ્પ-તૂણવું, સીવવું, વણવું વગેરે અથવા પ્રીતિને ઉત્પન્ન કરનાર. કોઈ એમ કહે છે કે ગુરુ વિના ઉપદેશ કરાયું શિખેલું હોય તે કર્મ અને ગુરુએ ઉપદેશેલું-કહેલું-બતાવેલું-શીખવેલું તે શિલ્પ. કોઈ સાધુએ ભિક્ષા ભમતાં કોઇ બ્રાહ્મણનાં ઘરમાં પ્રવેશ કર્યો, ત્યાં બ્રાહ્મણના પુત્રને હોમાદિ ક્રિયા બરાબર કરતો જોઈને પોતાની જાતિ બતાવવા માટે બ્રાહ્મણને કહે કે તમારો પુત્ર હોમાદિ ક્રિયા બરાબર કરે છે. અથવા એમ કહે કે “ગુરુકલમાં સારી રીતે રહ્યો હોય એમ લાગે છે.” આ પ્રમાણે સાંભળીને બ્રાહ્મણ કહે કે 'તમે હોમાદિ ક્રિયા વગેરે બરાબર જાણો છો તેથી નક્કી તમે બ્રાહ્મણ જાતિના લાગો છો. જો બ્રાહ્મણ ન હો તો આ બધું બરાબર શી રીતે જાણી શકો ?' સાધુ મૌન રહે. આ પ્રમાણે સાધુએ આડકતરૂં કહીને જે પોતાની જાતિ જણાવી તે બોલવાની કળા વડે જણાવી કહેવાય. અથવા તો સાધુ સ્પષ્ટ કહે છે હું બ્રાહ્મણ છું.” જો તે બ્રાહ્મણ ભદ્રિક હોય તો. “આ અમારી જાતિનો છે.” એમ સમજી સારો સારો અને વધારે પ્રમાણમાં આહાર આપે. ને તે બ્રાહ્મણ દ્વેષી હોય તો આ પાપાત્મા ભ્રષ્ટ થયો, તેણે બ્રાહ્મણપણાનો ત્યાગ કર્યો છે.” આમ વિચારી પોતાના ઘરમાંથી કાઢી મૂકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy