SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ 109 ગાથા-૪૭, કઠોર શબ્દો સંભલાવે. વગેરે વગેરે દોષો રહેલા છે. આ પ્રમાણે. ગામનો માલિક કે ચોર બીજા પાસેથી બલાત્કારે લઈને ભિક્ષા આપે તો તે પણ સાધુને કહ્યું નહિ. આમાં વિશેષતા એટલી કે કોઈ ભદ્રિક ચોરે સાધુને જોતાં મુસાફરો પાસેથી ભોજન આદિ ઝુંટવીને સાધુને આપે. તે વખતે જો તે મુસાફરી એમ બોલે કે અમારે સારું થયું કે “ઘી ખીચડીમાં ઢોળાયું.' અમારી પાસેથી લઇને તમને આપે છે, તો બહુ સરસ થયું. અમને પણ પુણ્યનો લાભ મળશે. આ પ્રમાણેબોલે તો. સાધુ તે વખતે તે ભિક્ષા ગ્રહણ કરે. પરંતુ ચોરોના ગયા પછી સાધુ તે મુસાફરોને કહે કે “આ તમારી ભિક્ષા તમે પાછી લઈ લો, કેમકે તે વખતે ચોરોના ભયથી ભિક્ષા લીધી હતી, ન લેત તો ચોર કદાચ અમને શિક્ષા કરત.” આ પ્રમાણે કહેવાથી મુસાફરો એમ કહે કે “આ ભિક્ષા તમે જ રાખો, તમે જ વાપરો. અમારી રજા છે.’ તો તે ભિક્ષા સાધુને વાપરવી કહ્યું. જે રજા ન આપે તો વાપરવી કહ્યું નહિ. 4i07-417] માલિકે રજા નહિ આપેલું ગ્રહણ કરવું તે અનિસૃષ્ટદોષ કહેવાય. શ્રી તીર્થકર ભગવંતોએ જણાવ્યું છે કે રજા નહિ આપેલું ભક્તાદિ સાધુને લેવું કહ્યું નહિ, પરંતુ રજા આપેલી હોય તો લેવું કલ્પ.” રજા નહિ આપેલાના અનેક પ્રકારો છે. તે 1. મોદક સંબંધી, 2. ભોજન સંબધી 3. શેલડી પીલવાનું યંત્ર કોળા ઘાણી વગેરે સંબંધી, 4. લગ્નાદિ સંબંધી, 5. દૂધ. ફ. દુકાન-ઘર વગેરે સંબંધી. સામાન્ય રીતે રજા નહિ આપેલાના બે પ્રકારો છે. 1. સાધારણ અનિસૃષ્ટ-બધાએ રજા નહિ આપેલી. અને 2. ભોજન અનિષ્ટ-જેના હકનું હોય તેણે રજા નહિ આપેલી. સાઘારણ અનિસૃષ્ટ- વસ્તુના ઘણા માલિક હોય તેવું. તેમાંથી એક જણ આપતો હોય પણ બીજાઓની રજા ન હોય, તેવું સાધારણ અનિવૃષ્ટ કહેવાય. ભોજન અનિવૃષ્ટ-જેના હકનું હોય તેની રજા સિવાય આપતા હોય તે ભોજન અનિસુખ કહેવાય. આમાં ચોલ્લક એ ભોજન અનિસૃષ્ટ કહેવાય અને બાકી મોદક, યંત્ર, સંખડિ વગેરે સાધારણ અનિષ્ટ કહેવાય છે. ભોજન અનિષ્ટ- બે પ્રકારે. 1. છિન્ન અને 2. અછિન્ન. છિન્ન એટલે ખેતર આદિમાં કામ કરતાં મજુરો આદિ માટે ભોજન તૈયાર કરાવ્યું હોય અને ભોજન દરેકને આપવા માટેનું જુદું જુદું કરી રાખ્યું હોય તેભાગ પાડેલું. અછિન એટલે બધાને આપવા માટેનું ભેગું હોય, પણ ભાગ નહિ પાડેલું. ભાગ નહિ પાડેલામાં -1. બધાએ રજા આપેલી અને બધાએ રજા નહિ આપેલી. બધાએ રજા આપેલી હોય તો સાધુએ લેવું કહ્યું. બધાએ રજા ન આપી હોય તો ન કહ્યું. ભાગ પાડેલું હોય - તેમાં જેના ભાગમાં આવેલું હોય તે વ્યક્તિ સાધુને આપે તો સાધુને લેવું કહ્યું. તે સિવાય ન કલ્પે સાધારણ અને ભોજન અનિસૃષ્ટિમાં ફરક-સાધારણ અને ભોજન અનિવૃષ્ટમાં વાસ્તવિક રીતે પિંડનો જ અધિકાર છે, તેથી કોઈ પણ ભોજન હોય, જેની અંદર તે તે વસ્તુ ઉપર દરેકની માલિકી તુલ્ય અને મુખ્ય હોય તે સાધારણ કહેવાય. જ્યારે ભોજન અનિસૃષ્ટમાં તે તે ચીજનો રાજા, કૌટુમ્બિક આદિ મુખ્ય એક માલિક અને ગૌણથી એટલે હક તરીકે બીજા પણ ઘણા હોય છે. સાધારણ અનિસૃષ્ટમાં પહેલા દરેક સ્વામિએ ભોજન આપવાની હા ન પાડી હોય પરંતુ પાછળથી પરસ્પર સમજાવટ આદિથી દરેક અનુજ્ઞા આપો તો તે આહાર સાધુને લેવો કલ્પી શકે. જો એકને વહોરાવવા માટે રજા આપીને સર્વમાલિક અન્ય સ્થળે ગયા હોય તો તેવા કારણે તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy