SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ 108 પિંડમિજુત્તિ-(૩૯૪) માલાપહત- ઉંચી કોઠી હોય તેમાંથી વસ્તુ કાઢતાં પગની પાનીથી ઉંચા થઈ પછી વાંકા વળીને વસ્તુ કાઢીને આપે છે. તિર્યમાલાપહત- જમીન ઉપર બેઠા બેઠા ગોખલા વગેરેમાંથી કષ્ટપૂર્વક હાથ લાંબો કરી વસ્તુ લઈને આપે છે. માલાપત ભિક્ષા ગ્રહણ કરવામાં આપનારને માલ-મેડા ઉપર ચઢતાં, ભોંયરામાં જતાં-ઉતરતાં કષ્ટ પડતું હોવાથી, ચઢતાં ઉતરતા કદાચ પડી જાય, તથા શીંકા વગેરેમાં પોતે દેખી શકે એમ ન હોવાતી ત્યાં કદાચ સર્પ આદિ હોય તો કરડે, તો જીવવિરાધના (સંયમ વિરાધના) પ્રવચન વિરાધના આત્મવિરાધના આદિ દોષો રહેલા છે. માલાપતદોષવાળી ભિક્ષા સાધુએ ગ્રહણ કરવી નહિ. કેમકે શીંકા વગેરે ઉપરથી ભિક્ષા લેવા માટે પગ ઉંચા કરતાં, કે સીડી ઉપર ચઢતાં ઉતરતા પગ ખસી જાય તો નીચે પડી જાય તો તેના હાથ પગ ભાંગે કે મૃત્યુ પામે, નીચે કીડી આદિ જીવજંતુ હોય તો તે દબાતા મરી જાય. આથી સંયમ વિરાધના થાય. લોકો નિંદા કરે કે “આ સાધુઓ કેવા કે આને નીચે પાડી.” આથી. પ્રવચન વિરાધના થાય અને કોઈ ગૃહસ્થ ગુસ્સે થઈને સાધુને મારે જેથી આત્મવિરાધના થાય. [35-406] બીજા પાસેથી બલાત્કારે જે અશનાદિ ઝૂંટવીને સાધને આપવામાં આવે તે-આચ્છેદ્યદોષ કહેવાય. આછેદ્ય ત્રણ પ્રકારે છે. પ્રભુ-ઘરનો નાયક, સ્વામિરાજા કે ગામનો મુખી, નાયક અને સ્તન-ચોર. આ ત્રણે, બીજા પાસેથી બળાત્કારે ઝુંટવીને આહાર આદિ આપે તો તેવા અશનાદિ સાધુને લેવા કહ્યું નહિ. પ્રભુ આછેદ્ય-મુનિનો ભક્ત ઘરનો નાયક આદિ પોતાના પુત્ર, પુત્રી, પત્નિ, પુત્રવધુ આદિ પાસેથી અશનાદિ ઝૂંટવીને તેમની ઈચ્છા વિરૂદ્ધ સાધુને આપે છે. સ્વામિ આદ્ય- મુનિનો ભક્ત ગામનો માલિક આદિ પોતાના આશ્રિતની માલિકીના અશનાદિ ઝૂંટવીને તેમની ઈચ્છા વિરૂદ્ધ સાધુને આપે છે. તેન આઈધ-સાધુનો ભક્ત કે લાગણીવાળો કોઈ ચોર મુસાફરો પાસેથી તેમની ઈચ્છા વિરૂદ્ધ અશનાદિ ઝૂંટવીને સાધુને આપે છે. આવો આહારાદિ ગ્રહણ કરવાથી તે વસ્તુનો માલિક સાધુ ઉપર દ્વેષ રાખે અને તેથી તાડન મારણ આદિનો પ્રસંગ આવે. માટે આચ્છેદ્ય દોષવાળી ભિક્ષા સાધુએ લેવી ન જોઈએ. માલિક બલાત્કારે પોતાના આશ્રિત આદિ પાસેથી વસ્તુ લઈને સાધુને આપે તો વસ્તુનો માલિક નીચે પ્રમાણે વર્તાવ કરે, માલિક પ્રત્યે રોષાયમાન થાય અને જેમ તેમ બોલવા લાગે અથવા સાધુ પ્રત્યે રોષાયમાન થાય. માલિકને કહે કે “આ વસ્તુ દૂધ વગેરે મારા હક્કનું છે, શા માટે બલાત્કારે લઈ લો છો ? મેં મહેનત કરીને બદલામાં આ દૂધ મેળવેલું છે. મહેનત કર્યા વિના તમે કંઇ આપતા નથી. વગેરે બોલે.” આથી પરસ્પર ઝગડો થાય. દ્વેષ વધે, ગોવાળીઆ આદિ શેઠ આદિને ત્યાં ધન આદિની ચોરી કરે. વગેરે સાધુ નિમિત્તે દોષો થાય. મુનિ પ્રત્યે દ્વેષ રાખે, મુનિને તાડન કરે કે મારી નાખે. વસ્તુના માલિકને અપ્રીતિ થાય. તે વસ્તુ નહિ મલવાથી તેને અંતરાય થાય, તેથી સાધુને તેનો દોષ લાગે. ઉપરાંત અદત્તાદાનનો દોષ પણ લાગે. તેથી મહાવ્રતનું ખંડન થાય. બીજા કોઈ વખતે સાધુને જોતા તેને એમ થાય કે “આવા વેષવાળાએ બલાત્કારે મારી વસ્તુ લીધી હતી, માટે આવાને આપવું ન જોઈએ.' આથી ભિક્ષાનો વિચ્છેદ થાય. ઉતરવા માટે સ્થાન આપેલું હોય તો તે રોષમાં આવવાથી સાધુને ત્યાંથી કાઢી મૂકે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy