SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - 375 17 જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેનું મધ્યમ આચર્ણ કહેવાય. ઘરની અપેક્ષાએ-ત્રણ ઘર સુધીનું લાવેલું. એક સાથે ત્રણ ઘરો હોય, ત્યાં એક સાધુ એક ઘેર ભિક્ષા લેતા હોય અને બીજો સંઘાટ્ટક સાધુ બીજા ઘરોમાં એષણાનો ઉપયોગ રાખતો હોય, ત્યારે ત્રણ ઘરનું લાવેલું પણ કલ્પી શકે. તે સિવાય આહાર લેવો કર્ભે નહિ. [376-385] સાધુને માટે કપાટ આદિ ઉઘાડીને કે તોડીને આપે તે બિનદોષ ઉમિન-એટલે બંધક વગેરે તોડીને કે બંધ હોય તે ઉઘાડીને ખોલવું. તે બે પ્રકારે. બરણી આદિ ઉપર બંધ કરેલું કે ઢાંકેલી વસ્તુ ઉપાડી લઈને તેમાં રહેલી વસ્તુ આપવી. કપાટ વગેરે ઉઘાડીને આપવું. ઢાંકણ બે પ્રકારના - સચિત્ત-માટી આદિથી પેક કરેલ, બાંધેલ કે ઢાંકેલ. અચિત્ત-સુક છાણ, કપડાં વગેરેથી બાંધેલ. ઢાંકેલી વસ્તુ ખોલીને આપવામાં છકાય જીવોની વિરાધના રહેલી છે. બરણી આદિ વસ્તુ ઉપર પત્થર મૂકેલો હોય, કે સચિત્ત પાણી નાખીને તેનાથી વસ્તુ પેક કરેલી હોય. જે લાંબા સમય સુધી પણ સચિત્ત રહે, વળી જીવો ત્યાં આવીને રહ્યા હોય. સાધુ માટે આ વસ્તુ ખોલીને તેમાં રહેલું ઘી, તેલ આદિ સાધુને આપે તો પૃથ્વીકાય, અપ્લાય આદિનો નાશ થાય. તેની નિશ્રાએ ત્રસ જીવો રહેલા હોય તો તેની પણ વિરાધના થાય. ફરીથી પાછું પેક કરે તેમાં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય. વનસ્પતિકાય, ત્રસકાય આદિની વિરાધના થાય. લાખથી પેક કરે તેમાં લાખ ગરમ કરતાં તેઉકાયની. વિરાધના, જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ અવશ્ય હોય એટલે વાયુકાયની વિરાધના, પૃથ્વી આદિમાં અનાજના ઘણા કે ત્રસ જીવ રહેલા હોય તેથી વનસ્પતિકાય અને ત્રસકાયની વિરાધના, પાણી નાખે તેમાં અપ્લાયની વિરાધના. આમ છએ કાયાની વિરાધના થાય. વસ્તુ ખોલ્યા પછી તેમાં રહેલી વસ્તુ પુત્રાદિને આપે, વેચે કે નવું લઈને તેમાં નાંખે, આથી પાપપ્રવૃત્તિઓ સાધુના નિમિત્તે થાય બરણી આદિ પેક ન કરે અને ઉઘાડી રહી જાય તો તેમાં કીડી, માખી, ઉંદર આદિ પડી જાય તો તેની વિરાધના થાય, કબાટ આદિ ઉઘાડીને આપવામાં ઉપર મુજબના દોષો લાગે, ઉપરાંત બારણું ઉઘાડતાં પાણી વગેરે ભરેલી. વસ્તુ અંદર હોય તો નીચે ઢોળાઈ જાય, અથવા તો ફુટી જાય, પાસે ચૂલો હોય તો પાણીનો રેલો તેમાં જાય તો અગ્નિકાય અને વાયુકાયની વિરાધના થાય, ઉપરાંત ત્યાં રહેલ પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતીકાય, ત્રયકાની પણ વિરાધના થાય. બારણું બંધ કરતાં ગીરોલી, ઉંદર કે કઈ જીવજંતુ તેમાં દબાઈ જાય કે મરી જાય. આ વગેરે સંયમ વિરાધના રહેલી છે. વળી બરણી આદિ ઉઘાડવા જતાં ત્યાં કદાચ સર્પ, વીંછી આદિ રહેલ હોય તો ઉઘાડનારને કરડે. આથી લોકો બોલે કે “આ સાધુઓ ભક્તાદિમાં આસક્ત થયેલા, આગળ પાછળનો અનર્થનો વિચાર કરતા નથી.’ આથી પ્રવચન વિરાધના થાય. કોઈ રોષમાં આવી જઈને સાધુને મારે-કૂટે તો તેથી આત્મવિરાધના થાય. માટે સાધુઓએ ઉક્રિભન દોષવાળી ભિક્ષા ગ્રહણ કરવી ન જોઈએ. 38-394] માલાપહત બે પ્રકારે છે. 1 જઘન્ય અને 2 ઉત્કૃષ્ટ, પગની પાની ઉંચી કરીને શીકા વગેરેમાં રહેલી વસ્તુ આપે તે જઘન્ય અને તે સિવાયનું કોઠી મોટા ઘડા વગેરેમાંથી કે નીસરણી વગેરે ઉપર ચઢીને લાવીને આપે તે ઉત્કૃષ્ટ માલાપત. અથવા ચાર ભેદો પણ કહ્યા છે- ઉર્ધ્વ માલાપત-શીંકુ, છાજલી, માળીયું કે મેડા ઉપરથી લાવીને આપે છે. અધો માલાપહત- ભોંયરામાંથી લાવીને આપે તે. ઉભય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy