SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 106 * પિંડનિત્ત-(૩૭પ). એટલે સાધુને લેવો ન કલ્પે તે રીતે સામે લાવેલો. આચણ એટલે સાધુને કહ્યું તે રીતે સામે લાવેલો. અનાચીર્ણના આઠ પ્રકારો સાધુને ખબર ન પડે તે રીતે લાવેલો. સાધુને ખબર પડે તે રીતે લાવેલો. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ રહેલા છે તે ગામમાંથી લાવેલો. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ રહ્યા છે તે સિવાયનાબીજા ગામથી લાવેલો. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ જે દેશમાં રહ્યા છે તે સિવાયના બીજા દેશના બીજા ગામથી લાવેલો. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ જે દેશમાં રહ્યા છે તે દેશના બીજા ગામથી લાવેલો. (પરગામથી કઈ રીતે લાવે-૧. પાણીમાં ઉતરીને, 2. પાણીમાં તરીને, 3. ત્રાપામાં બેસીને. 4. હોડી આદિમાં બેસીને લાવેલા. જળમાર્ગે લાવવામાં અપકાયાદિ જીવોની વિરાધના થાય, તથા ઉતરીને આવવામાં પાણીની ઉંડાઈનો ખ્યાલ ન રહે તો ડૂબી જાય, અઘવા તો જલચર જીવ પકડી લે કે મગર પાણીમાં ખેંચી જાય, કાદવમાં ખેંચી જાય વગેરે. આથી કદાચ મૃત્યુ થઈ જાય. જમીન માર્ગે-પગે ચાલીને, ગાડામાં બેસીને, ઘોડા, ખચ્ચર, ઊંટ, બળદ, ગધેડા આદિ ઉપર બેસીને લાવેલા. જમીનમાર્ગે આવવામાં પગમાં કાંટા વાગી જાય, કૂતરા આદિ જનાવર કરડે, ચાલવાના યોગે તાવ આવી જાય, ચોર વગેરે લૂંટી લે, વનસ્પતિ આદિની વિરાધના પણ થાય.) સાધુને ખબર પડે તે રીતે બીજા ગામથી લાવેલો. સાધુને ખબર પડે તે રીતે તે જ ગામથી લાવેલો. સાધુ ગામમાં ભિક્ષાએ ગયા હોય ત્યારે. ઘર બંધ હોય તેથી વહોરાવવાનો લાભ મળ્યો ન હોય. રસોઈ થઈ ન હોય તેથી લાભ મળ્યો ન હોય. રસોઈ રાંધતા હોય તેથી લાભ મળ્યો ન હોય. સ્વજન આદિ ભોજન કરતા હોય તેથી લાભ મળ્યો ન હોય. સાધુ ગયા બાદ કોઈ સારી વસ્તુ આવી હોય એટલે લાભ લેવાનું મન થાય. શ્રાવિકા નિદ્રામાં હોય કે કોઈ કામમાં હોય વગેરે કારણોએ શ્રાવિકા આહાર લઈને ઉપાશ્રયે આવે અને જણાવે કે “આ કારણથી મને લાભ મળ્યો નથી, માટે હવે મને લાભ આપો. આમ સાધુને ખબર પડે તે રીતે તે ગામમાંથી લાવેલ કહેવાય. આ પ્રમાણે બહારગામથી લાભ લેવાની ઈચ્છાથી આવીને વિનંતિ કરી. તે સાધુને ખબર પડે તે રીતે બીજા ગામથી લાવેલું. જો પાછળથી અભ્યાતની ખબર પડે તો આહાર વાપર્યો ન હોય તો પરઠવી દે. વાપરી ગયા હોય તો કાંઈ દોષ નથી. જાણ્યા પછી વાપરે તો દોષના ભાગીદાર થાય. ગીતાર્થ સાધુ ભગવંતોએ જે લેવાનું આચરણ કર્યું હોય તે આચીર્ણ કહેવાય, આચીર્ણ બે પ્રકારે. ક્ષેત્રની અપેક્ષાએ અને ઘરની અપેક્ષાએ. ક્ષેત્ર અપેક્ષાએ ત્રણ ભેદ, ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય ક્ષેત્રથી ઉત્કૃષ્ટ સો હાથ સુધીનું. ક્ષેત્રથી. જઘન્ય, બેઠા બેઠા કે ઉભા હાથથી ઉંચું રહેલું વાસણ લઈને, ઉંચું કરીને કે આઘુંપાછુ કરીને આપે તે. બાકીનું મધ્યમ. આમાં સાધુનો ઉપયોગ રમી શકતો હોય તો કલ્પ. ઉત્કૃષ્ટ સો હાથ ક્ષેત્રની સંભાવના- જ્યાં ઘણા માણસો જમવા માટે બેઠેલા હોય, વચ્ચે લાંબી છીંડી હોય, ધર્મશાળા કે વાડી હોય ત્યાં ભોજનની સામગ્રી સો હાથ પ્રમાણ દૂર છે. અને ત્યાં જવામાં સંઘટ્ટો આદિ થઈ જાય એવું હોવાથી જઈ શકાય એમ ન હોય, ત્યારે સો હાથ દૂર રહેલી વસ્તુ લાવે તો તે સાધુને લેવી કલ્પી શકે. આપનાર ઉભા હોય કે બેઠેલા હોય, થાળી, તપેલી આદિ વાસણ પોતાના હાથમાં હોય અને તેમાંથી ભોજન આપે તો જઘન્ય ક્ષેત્ર આચાર્ણ કહેવાય. તેમાં થોડું પણ હલન-ચલન રહેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy