SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - 272 અંદરથી કે બહાર ગમે તે એક સ્થાનેથી જ આપવાનું નક્કી કર્યું હોય તે. કાળિછિન-અમુક સમયથી અમુક સમય સુધી જ આપવાનું નક્કી કર્યું હોય તે. ભાવછિન્ન- તને રૂચે તેટલું જ આપજે.' એમ કહેલું હોય તે. ઓથઔદશકનું સ્વરૂપ - દુકાળ પુરો થઈ ગયા બાદ કોઈ ગૃહસ્થો વિચાર કરે કે આપણે મહામુશીબતે જીવી ગયા, તો રોજ કેટલીક ભિક્ષા આપીશું.” ગયા ભવમાં જો આપ્યું ન હોત તો આ ભવમાં મળત નહિ, આ ભવમાં નહિ આપીએ તો આવતા ભવમાં મળશે નહિ. એટલે આવતા ભવમાં મળે માટે ભિક્ષક વગેરેને ભિક્ષા આદિ આપીને શુભકર્મનું ઉપાર્જન કરીએ.” આ કારણથી ઘરની મુખ્ય સ્ત્રી આદિ જેટલી રસોઈ કરતા હોય તેમાં પાખંડી, ગૃહસ્થ આદિ આવી જાય તો તેમને આપવા માટે ચોખા આદિ વધારે પકાવે. આ રીતે રસોઇ પકાવતાં તેમનો એવો ઉદ્દેશ નથી હોતો કે “આટલું અમારૂં અને આટલું ભિક્ષુકનું. વિભાગ રહિત હોવાથી આ ઓઘઔદેશીક કહેવાય છે. છદ્મસ્થ સાધુને “આ આહારાદિ ઓઘઔદેશીક છે કે શુદ્ધ આહારાદિ છે તેની શી ખબર પડે ? ઉપયોગ રાખવામાં આવે તો છદ્મસ્થ પણ જાણી શકે કે “આ આહાર ઓઘદેશીક છે કે શુદ્ધ છે.” જે ભિક્ષા આપવાના સંકલ્પ પૂર્વક વધારે રસોઈ કરેલી હોય તો પ્રાયઃ ગૃહસ્થ આપનારની આ જાતની ભાષા, ચેષ્ટા વગેરે હોય. કોઈ સાધુ ભિક્ષા માટે ઘરમાં પ્રવેશ કરે ત્યારે ઘરનો નાયક પોતાની પત્નિ આદિ પાસે ભિક્ષા અપાવતાં કહે અથવા સ્ત્રી બોલે કે “રોજની નક્કી કર્યા મુજબ પાંચ જણને ભિક્ષા અપાઈ ગઈ છે.' અથવા ભિક્ષા આપતાં ગણતરી રાખવા માટે ભીંત ઉપર ખડી કે કોલસા વડે લીટા કરેલા હોય કે કરતી હોય, અથવા તો આ એકને આપ્યું.” “આ બીજાને આપ્યું એમ ગણતી હોય, અથવા ધણી કે બીજી બાઈ આપનારીને કહે કે “આપવા માટે આ રાખ્યું છે, તેમાંથી આપજે પણ આમાંથી ન આપીશ.” અથવા ઘરમાં પ્રવેશ કરતા સાધુને સાંભળવામાં આવે કે “આ રસોઈમાંથી ભિક્ષાચારોને આપવા માટે આટલી વસ્તુ જુદી કરો.' આ પ્રમાણે બોલતા સાંભળવાથી, ભીંત ઉપરના લીટા વગેરે ઉપરથી છાસ્થ સાધુ-“આ આહાર ઓઘઔશિક છે.' ઇત્યાદિ જાણી શકે અને તેવી ભિક્ષા ગ્રહણ કરે નહિ. અહીં વૃદ્ધ સંપ્રદાયથી એટલું ધ્યાન રાખો કે-ઉદેશ પ્રમાણે આપવાની ભિક્ષા અપાઈ ગયા પછી અથવા ઉદ્દેશ અનુસાર જુદી કાઢી લીધી હોય તે સિવાયની બાકી રહેલી રસોઈમાંથી સાધુને વહોરવું કલ્પી શકે, કેમકે તે શુદ્ધ છે. સાધુઓ ગોચરી વખતે ઉપયોગ કેવો રાખવો જોઇએ? ગોચરી માટે ગયેલા સાધુએ શબ્દ-રૂપ-રસ વગેરેમાં મૂચ્છ આસક્તિ કરવી ન જોઈએ. પરંતુ ઉદ્ગમાદિ દોષોની શુદ્ધિ માટે, તત્પર રહેવું. ગાયનો વાછરડો જેમ પોતાના ખાણા ઉપર લક્ષ રાખે તેમ સાધુએ આહારની શુદ્ધિ ઉપર લક્ષ રાખવું. ઉદિષ્ટ-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, આ ચારેમાં આપવાનું નક્કી કર્યું હોય તે કહ્યું નહિ, તે સિવાયનું કહ્યું. અમુકને આપવું અને અમુકને ન આપવું એ પ્રમાણે વિભાગ કરેલો હોય તો એમાંના કોઈ સંકલ્પમાં જો સાધુ આવી જતા હોય તો તે ન કહ્યું, સાધુ ન આવી. જતા હોય તો તે કલ્પે. ઓઘદેશિક કે વિભાગઔદેશિક વસ્તુમાં જો ગૃહસ્થ પોતાનો સંકલ્પ કરી દે તો તે વસ્તુ સાધુને કલ્પી શકે. પરંતુ કર્મઔદેશીકમાં યાવર્થિક કોઇપણ ભિક્ષુઓને છોડીને બીજા પ્રકારના કર્મઔદેશીકોમાં પોતાનો સંકલ્પ કરી દીધા પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy