SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ 96 પિંડનિત્તિ (241) નિષેધ કરે કે “સાધુને આધાકર્મી આહાર કહ્યું નહિ.” અને આધાકમ આહાર ગ્રહણ ન કરે તો ઉપર મુજબનો દોષ તે સાધુઓને લાગતો નથી. પણ આધાકર્મી આહાર જાણવા છતાં, જેઓ તે આહાર વાપરે તો ચોક્કસ તેઓને અનુમોદનાનો દોષ લાગે છે. નિષેધ નહિ કરવાથી અનુમતિ આવી જાય છે. વળી આધાકમાં આહાર વાપરવાનો શોખ. લાગી જાય, તો તેવો આહાર ન મળે તો તે પણ તૈયાર કરવા લાગી જાય એવું પણ બને, માટે સાધુ આધાકર્મી આહારાદિ વાપરવો ન જોઈએ. જે સાધુ આધાકર્મી આહાર વાપરે અને તેનું પ્રાયશ્ચિત્ત કરે નહિ, તો તે સાધુ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંજક હોવાથી તે સાધુનું લોચ કરવો-કરાવવો, વિહાર કરવો વગેરે બધુ નિષ્ફળ-નિરર્થક છે. જેમ કબૂતર પોતાનાં પીંછાં તોડે છે અને બધે ફરે છે. પરંતુ તેને ધર્મ માટે થતું નથી. તેમ આધાકર્મી આહાર વાપરનારનું લોચ, વિહાર વગેરે ધર્મ માટે થતા નથી. [241-272] ઔદેશિક દોષ બે પ્રકારે છે. 1 ઓઘથી અને 2 વિભાગથી, ઓઘ એટલે સામાન્ય અને વિભાગ એટલે જુદું જુદું. ઓઘૌશિકનું વર્ણન આગળ આવશે, એટલે અહીં કરતા નથી. વિભાગ ઔદેશિક બાર પ્રકારે છે. તે 1. ઉદિષ્ટ, 2. કૃત અને 3. કર્મ. તે દરેકનાં પાછા ચાર પ્રકાર એટલે બાર પ્રકારે થાય છે. ઓશિક- પૂર્વભવમાં કિંઈ પણ આપ્યા વિના આ ભવમાં મળતું નથી. માટે કેટલીક ભિક્ષા આપણે આપીશું.” આ બુદ્ધિથી ગૃહસ્થ કેટલાક ચોખા વગેરે વધારે નાખીને જે આહારાદિ તૈયાર કરે, તે ઓઘઔદેશિક કહેવાય છે. ઓથ- એટલે “આટલું અમારૂં, આટલું ભિક્ષુકનું.” આવો વિભાગ કયા સિવાય સામાન્ય રીતે કોઈ પણ ભિક્ષકને આપવાની બુદ્ધિથી તૈયાર કરવામાં આવેલ અનાદિ ઓઘદેશિક કહેવાય. વિભાગ-એટલે વિવાહ-લગ્નાદિ પ્રસંગોમાં કરેલી વસ્તુ વધી હોય, તેમાંથી જે ભિક્ષુકને ઉદ્દેશી આપવા માટે જુદી કરવામાં આવી હોય તે, વિભાગ ઔદેશિક કહેવાય. તેના બાર ભેદો છે. આ પ્રમાણે - ઉદિષ્ટ-પોતાને માટે જે બનાવેલા આહારમાંથી કોઈપણ ભિક્ષકને આપવા માટે જુદી કલ્પના કરે કે “આટલું સાધુને આપીશું તે. ઉત- પોતાને માટે બનાવેલું, તેમાંથી. વાપરતાં જે વધેલું હોય તે ભિક્ષુકને દાન કરવા માટે છ કાયાદિનો આરંભ કરે તે. ઉદ્દિષ્ટ, કૃત અને કર્મ, દરેકના ચાર ચાર ભેદો, ઉદેશ- કોઈપણ ભિક્ષુકને આપવા, માટે કલ્પેલું. સમુદેશ-પાખંડીઓને આપવા માટે કલ્પેલું. આદેશ- શ્રમણોને આપવા માટે કલ્પેલું. સમાદેશનિગ્રંથોને આપવા માટે કલ્પેલું. ઉદ્દિષ્ટહદેશિ છિન્ન અને અછિન્ન. છિન્ન એટલે નિયમિત કરેલું એટલે જે વધેલું છે તેમાંથી આપવા માટે જુદુ કાર્યું હોય તે. અછિન્ન જુદુ કાર્યું ન હોય પરંતુ આમાંથી ભિક્ષાચારોને આપવું. એવો ઉદ્દેશ રાખેલો હોય. છિન્ન અને અછિન્ન બન્નેમાં દ્રવ્ય. ક્ષેત્ર, કાલ અને ભાવ એમ આઠ ભેદો થાય. કાઉદેશિક- છિન અને અછિન્ન બન્નેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ આઠ ભેદો. કર્મઉદેશિક- ઉપર મુજબ આઠ ભેદો. દ્રવ્યઅછિન-વધેલી વસ્તુઓ આપવાની નક્કી કરે તે. શેત્રઅછિન્ન- ઘરની અંદર રહીને કે ઘરની બહાર ગમે ત્યાંથી આપવું. કાલઅછિન્ન-દિવસે વધ્યું હોય તે જ દિવસે કે ગમે તે દિવસે આપવાનું નક્કી કરે છે. ભાવઅછિન્ન-ગૃહનાયક-ઘરના માલિક આપનાર ઘરની સ્ત્રી આદિને કહે કે “તને રૂચે તો પણ આપવું અને ન રૂચે તો પણ આપવું.' દ્રવ્યછિન્ન-અમુક વસ્તુ કે આટલી વસ્તુ આપવાનું નક્કી કર્યું હોય તે. શેત્રછિન્ન-ઘરની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy