SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પિકનિરિ-(૨૭૩) પણ સાધુને બીલકુલ ખપે નહિ. આધાકર્મ અને કર્મઔદેશિક આ બે દોષો તો સરખા લાગે છે, તો પછી તેમાં ફેર શો ? જે પ્રથમથી જ સાધુને માટે બનાવેલું હોય તે આધાકમાં કહેવાય છે અને કર્મઔદેશિકમાં તો પહેલા પોતાને માટે વસ્તુ બનાવેલી છે, પણ પછી સાધુ વગેરેને આપવા માટે તેને પાક વગેરેનો સંસ્કાર કરી ફરી બનાવે. તે કર્મઔદેશિક કહેવાય છે. [273-294] પૂર્તિકર્મ બે પ્રકારે છે. એક સૂક્ષ્મપ્રતિ અને બીજી બાદરપૂતિ. સૂમપૂતિ આગળ કહીશું. બાદરપતિ બે પ્રકારે. ઉપકરણપૂતિ અને ભક્તપાનભૂતિ. પૂતિકર્મ એટલે શુદ્ધ આહારમાં આધાકમાં આહારનું ભેગુ થવું. એટલે શુદ્ધ આહાર પણ અશુદ્ધ બનાવે. પૂતિ ચાર પ્રકારે. નામપૂતિ, સ્થાપનાપૂતિ, દ્રવ્યપૂતિ અને ભાવપૂતિ. નામપૂતિ-પૂતિ નામ હોય છે. સ્થાપનાપૂતિ-પતિ સ્થાપના કરી હોય તે. દ્રવ્યપતિછાણ, વિષ્ટા આદિ ગંધાતા-અશુચી પદાર્થો. ભાવપૂતિ- બે પ્રકારે. સૂક્ષ્મભાવપૂતિ અને બાદરભાવપૂતિ. તે દરેકના ઉપરના બતાવેલ બે ભેદ-ઉપકરણ અને ભક્તપાન, એમ ચાર પ્રકારે ભાવપૂતિ. જે દ્રવ્ય, ભાવને ખરાબ કરે તે દ્રવ્ય ઉપચારથી ભાવપૂતિ કહેવાય. ઉપકરણ બાદરપૂતિ- આધાકમ ચૂલા ઉપર રાંધેલુ કે મૂકેલું, અથવા આધાકર્મભાજન, કડછી, ચમતા આદિમાં રહેલો શુદ્ધ આહાર પણ આધાકમાં ઉપકરણના સંસર્ગવાળો હોવાથી તે ઉપકરણ બાદરપૂતિ કહેવાય છે. ચૂલો વગેરે રાંધવા વગેરેનાં સાધનો હોવાથી ઉપકરણ. કહેવાય છે. આવો દોષવાળો આહાર સાધુને કલ્પી શકે નહિ. પરંતુ તે શુદ્ધ આહારને તે આધાકર્મી ઉપકરણ આદિ ઉપરથી લઈને ગૃહસ્થ પોતાને માટે બીજે મૂકેલો હોય તો તે આહારાદિ સાધુને કલ્પી શકે છે. ભક્તપાન બાદરપૂતિ- આધાકર્મી અંગારા ઉપર જીરૂ, હિંગ, રાઈ વગેરે નાખીને બાળવાથી જે ધૂમાડો થાય તેના ઉપર ઉંધું વાસણ મુકીને વાસણ ધૂમાડાની વાસનાવાળું કર્યું હોય અથતુિ વઘાર દીધો હોય તે આધાકર્મી વાસણ વગેરેમાં શુદ્ધ આહાર નાખેલો હોય અથવા તો આધાકમ આહારથી ખરડાએલા હાથ કે ચમચા વગેરેથી અપાતો શુદ્ધ આહાર, તે ભક્તપાન બાદરપૂતિ ઘેષવાળો ગણાય છે. આવો આહાર સાધુને કહ્યું નહિ. સુખપૂતિ-આધાકમ સંબંધી ઈધન-લાકડાં અંગારા વગેરે કે તેની વરાળ, ધૂમાડો, ગંધ વગેરે શુદ્ધ આહારાદિને લાગે તે સૂક્ષ્મપૂતિ. સૂક્ષ્મપૂતિવાળુ અકલ્પ બનતું નથી, કેમકે વરાળ, ધૂમાડો, ગંધ સકલ લોકમાં પણ ફેલાઈ જાય, તેથી તે સૂક્ષ્મપૂતિ ટાળવી અશક્ય હોવાથી તેનો ત્યાગ કરવાનું આગમમાં કહ્યું નથી. શિષ્ય કહે છે કે “સૂક્ષ્મપૂતિ અશક્ય પરિહાર કેમ ? તમે જો જે પાત્રમાં આધાકર્મી આહાર ગ્રહણ કર્યો હોય, તો આધાકર્મી આહાર પાત્રમાંથી કાઢી નાંખવામાં આવે તથા આંગળી કે હાથ ઉપર ચોટેલું પણ કાઢી નાખવામાં આવે, તે પછી તે પાત્ર ત્રણ વાર પાણીથી ધોયા વિના તેમાં શુદ્ધ આહાર ગ્રહણ કરવામાં આવે તે સૂક્ષ્મપૂતિ માનો, તો આ સૂક્ષ્મપતિ દોષ તે પાત્રને ત્રણવાર ધોવાથી દૂર કરી શકાશે. એટલે સૂક્ષ્મપૂતિ શક્ય પરિહાર બની જશે.' આચાર્ય શિષ્યને ખૂલાસો કરે છે કે તું જે સૂક્ષ્મપૂતિ માનવાનું કહે છે, તે સૂક્ષ્મપૂતિ નથી પણ બાદરપૂતિ જ દોષ રહે છે. કેમકે ધોયા વિનાના પાત્રમાં તે આધાકર્મીના સ્થૂલ અવયવો રહ્યો હોય છે, વળી પાત્ર ત્રણ વાર ધોવા માત્રથી પાત્ર સંપૂર્ણ નિરવયવ બનતું નથી, તે પાત્રમાં ગંધની વાસ આવે છે. ગંધ એ ગુણ છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy