SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 82 પિંડનિતિ- (58) [૫૮-૬૧]વનસ્પતિ કાયપિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી નિશ્ચયથી સચિત્તઅનંતકાય વનસ્પતિ. વ્યવહારથી સચિત્તપ્રત્યેક વનસ્પતિ. મિશ્ર ચીમળાએલાં ફળ, પત્ર, પુષ્પ આદિ, ચાળ્યા વગરનો લોટ, ખાંડેલી ડાંગર વગેરે. અચિત્ત-શસ્ત્ર આદિથી પરિણત થયેલ વનસ્પતિ. અચિત વનસ્પતિનો ઉપયોગ સંથારો, કપડાં, ઔષદ આદિમાં ઉપયોગ થાય છે. [૩-૬૭]બેઈન્દ્રિયપિંડ, ઈન્દ્રિયપિંડ, ચઉરિદ્રિયપિંડ, પચેન્દ્રિયપિંડ. આ બધા એક સાથે પોતપોતાના સમુહરૂપ હોય ત્યારે પિંડ કહેવાય છે. તે પણ સયિત, મિશ્ર, અને અચિત્ત ત્રણ પ્રકારે હોય છે. અચિત્તનું પ્રયોજન. બેઈન્દ્રિય-ચંદનક, શંખ, છીપ આદિ સ્થાપના, ઔષધ વગેરે કાર્યોમાં. તેઈન્દ્રિય-ઉધહીની માટી વગેરે. ચઉરિદ્રિય-શરીર આરોગ્ય માટે, ઉલ્ટી વગેરે કાર્યમાં માખીની આધાર વગેરે. પંચેન્દ્રિય પિંડ-ચાર પ્રકારે, નારકી, તીચ. મનુષ્ય અને દેવ. નારકીનો વ્યવહાર કોઈ રીતે થઈ શકતો નથી. તીર્થંચ પંચેન્દ્રિયનો ઉપયોગ ચામડું હાડકાં, વાળ, દંત, નખ, રોમ, શીંગડાં, વિષ્ટા, મુત્ર આદિનો કારણ પ્રસંગે ઉપયોગ કરાય છે. તથા વસ્ત્ર, દૂધ, દહીં, ધી આદિનો ઉપયોગ કરાય છે. મનુષ્યનો ઉપયોગ-સચિત્ત મનુષ્યનો ઉપયોગ દીક્ષા આપવામાં તથા માર્ગ આદિ પૂછવા માટે મિશ્ર મનુષ્યનો ઉપયોગ રસ્તો આદિ પૂછવા માટે. અચિત્ત મનુષયની ખોપરી વેશ પરિવર્તન આદિ કરવા માટે કામ પડે, તથા ધસીને ઉપદ્રવ શાંત કરવા માટે. દેવનો ઉપયોગ-તપસ્વી કે આચાર્ય પોતાનું મૃત્યુ આદિ પૂછવા માટે, તથા શુભાશુભ પૂછવા માટે કે સંઘ સંબંધી કોઈ કાર્ય માટે કરે. [૬૮-૮૩)ભાવપિંડ બે પ્રકારે છે-૧ પ્રશસ્ત, 2 અપ્રશસ્ત, પ્રશસ્ત એક પ્રકારથી દશ પ્રકાર સુધીનો છે. પ્રશસ્ત ભાવપિંડ- એક પ્રકાર તે સંયમ. બે પ્રકાર તે જ્ઞાન અને ચારિત્ર. ત્રણ પ્રકાર તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. ચાર પ્રકાર તે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેપ. પાંચ પ્રકાર તે 1- પ્રાણાતિપાત વિરમણ, 2 મૃષાવાદ વિરમણ, 3 અદત્તાદાન વિરમણ, 4 મૈથુન વિરમણ, અને પ પરિગ્રહ વિરમણ. છ પ્રકાર તે ઉપર મુજબ પાંચ અને 6 રાત્રિ ભોજન વિરમણ. સાત પ્રકાર તે સાત પિડેષણા, સાત પાષિા , સાત અવગ્રહ પ્રતિમાં. આમાં સાત પિઔષણા તે સંસૃષ્ટ, અસંસૃષ્ટ, ઉદ્ધત, અલ્પલેપ, અવગૃહીત, પ્રગૃહીત, સંસૃષ્ટ-હાથ અને પાત્ર ખરડાયેલું, અસંસૃષ્ટ-હાથ અને પાત્ર નહિ ખરડાયેલું, ઉદ્ધત-તપેલી આદિમાં કાઢેલું, અલ્પલેપ સેકેલા ચણા વગેરે અવગૃહીત-ભોજન માટે લીધેલું, પ્રગહિત-હાથમાં કોળીયો લીધેલો, ઉઝિઘર્મ-નાખી દેવા જેવી. સાત અવગ્રહ પ્રતિમાં તે-વસતિ સંબંધી ગ્રહણ કરવામાં જુદા જુદ્ધ અભિગ્રહ રાખે છે. જેમકે-૧ “આવા પ્રકારનો ઉપાશ્રય ગ્રહણ કરીશ.” આ પ્રમાણે પહેલાં વિચાર કરીને તેવા પ્રકારનો ઉપાશ્રય યાચીને ઉતરે છે. હું બીજાને માટે વસતિ માગીશ અને બીજાએ ગ્રહણ કરેલી વસતિમાં હું રહીશ. હું બીજાને માટે વસતિ માગીશ, પણ બીજાએ માગેલી વસતિમાં હું રહીશ નહિ. હું બીજાને માટે અવગ્રહ માગીશ નહિ પરંતુ બીજાના અવગ્રહમાં રહીશ. હું મારો અવગ્રહ માગીશ પણ બીજાને માટે નહિ માગું. હું જેની પાસેથી અવગ્રહ માગીશ તેના ત્યાંનું જ સંસ્તારક ગ્રહણ કરીશ, નહિતર ઉભા ઉભા અથવા ઉત્કટુક આસને રહીશ. ઉપરની છઠ્ઠી પ્રમાણે જ. વિશેષમાં શિલાદિ જે પ્રમાણે સંસ્મારક હશે તેનો તે જ પ્રમાણે ઉપયોગ કરીશ, બીજો નહિ આઠ પ્રકાર તે આઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy