SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ગાય - 89 પ્રવચન માતા. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. નવ પ્રકારે તે-નવ બ્રહ્મચર્યની વાડ. દસ પ્રકારે તે ક્ષમા આદિ દશ પ્રકારનો યતિધર્મ. આ દશ પ્રકારનો પ્રશસ્ત ભાવપિંડ શ્રી તીર્થકર ભગવંતોએ કહેલો છે. અપ્રશસ્ત ભાવપિંડ એક પ્રકાર તે અસંયમ (વિરતિના અભાવરૂપ) બે પ્રકારે તે-અજ્ઞાન અને અવિરતિ. ત્રણ પ્રકારે તેમિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ. ચાર પ્રકારે તે-ક્રોધ, માન, માયા અને લોભ. પાંચ પ્રકારે તે-પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તદાન, મૈથુન અને પરિગ્રહ. છ પ્રકારે તે પૃથ્વીકાય-અપકાય તેઉકાય-વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાયની વિરાધના સાત પ્રકારે તેઆયુષ્ય સિવાય સાત કમોનાં બંધના કારણભૂત અધ્યવસાયો. આઠ પ્રકારે તેઆઠે કર્મોના બંધના કારણભૂત અધ્યવસાયો. નવ પ્રકારે તે-બ્રહ્મચર્યની નવ ગુપ્તિનું પાલન ન કરવું તે. દશ પ્રકારે તે-ક્ષમા આદિ દશ યતિધર્મનું પાલન ન કરવું તે. અપ્રશસ્ત અને પ્રશસ્ત ભાવપિંડ જે પ્રકારના ભાવપિંડથી જ્ઞાનાવરણાદિ કર્મો બંધાય તે અપ્રશસ્ત ભાવપિડ કહેવાય અને જે પ્રકારના ભાવપિંડથી જ્ઞાનાવરણાદિ કર્મોને ક્ષય થાય આત્મા કમથી મૂકાય મૂક્ત. થતો જાય તે પ્રશસ્ત ભાવપિંડ જાણવો. અહીં એકાદિ પ્રકારોને પિંડ શી રીતે કહેવાય? આ શંકાના સમાધાનામાં સમજવું કે તે તે પ્રકારને આશ્રીને તેના અવિભાગ્ય અંશસમુહને પિંડ કહેવામાં આવે છે. અથવા આ બધાથી પરિણામભાવે જીવને શુભાશુભ કર્મપિંડ બંધાતો હોવાથી તે ભાવપિંડ કહેવાય છે. અહીં આપણે પ્રશસ્ત ભાવપિંડ અને શુદ્ધ અચિત્ત દ્રવ્યપિંડથી કાર્ય છે, કારણ કે મોક્ષના અર્થી જીવોને આઠ પ્રકારની કર્મરૂપ બેડીઓ તોડવા માટે પ્રશસ્ત ભાવપિંડ જરૂરી છે. તેમાં અચિત દ્રવ્યપિંડ અને સહાયક બને છે, તેથી એ વિશેષ જરૂરી છે. [84-108] મુમુક્ષુઓને જીવનમાં પ્રાપ્ત કરવા યોગ્ય માત્ર મોક્ષ જ છે, તે મોક્ષનું કારણ સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર છે અને તે મોક્ષના કારણરૂપ દર્શન જ્ઞાન અને ચારિત્રનું કારણ શુદ્ધ આહાર છે. આહાર વગર ચારિત્રશરીર ટકી શકે નહિ. ઉદ્ગમાદિ દોષવાળો આહાર ચારિત્રનો નાશ કરનાર છે. શુદ્ધ આહાર મોક્ષના કારણરૂપ બને છે, જેમ તંતુ (સુતર) વસ્ત્રનું કારણ છે અને તંતુનું કારણ રૂ છે, એટલે રૂમાંથી સતર બને છે અને સુતરથી વસ્ત્ર વણાય છે, તેમ શુદ્ધ આહારથી દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધિ થાય અને દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધિથી જીવનો મોક્ષ થાય. આ માટે સાધુએ ઉગમ ઉત્પાદનાદિ દોષથી રહિત આહાર ગ્રહણ કરવો જોઈએ. તેમાં ઉદ્ગમના સોળ દોષો છે. તે આ પ્રમાણે- આધાકર્મ-સાધુને માટે જ જે આહાર આદિ કરવામાં આવ્યો હોય તે. ઉદેશિક સાધુ વેગેરે બધા ભિક્ષાચરોને ઉદ્દેશીને આહાર આદિ કરવામાં આવેલ હોય તે. પૂતિકર્મ- શુદ્ધ આહારની સાથે અશુદ્ધ આહાર ભેગો કરવામાં આવ્યો હોય તે. મિશ્ર-શરૂઆતથી ગૃહસ્થ અને સાધુ બન્નેને માટે તૈયાર કરવામાં આવ્યો હોય તે. સ્થાપના-સાધુને માટે આહારાદિ રાખી મૂકવા તે. પ્રાભૂતિકા-સાધુને વહોરાવવાનો લાભ મળે તે હેતુથી લગ્ન વગેરે પ્રસંગ વહેલા કે મોડ કરવાં તે. પ્રાદુ ષ્કરણ-સાધુને વહોરાવવા માટે અંધારું દૂર કરવા બારી, બારણાં ખોલવા અથવા વીજળી, દીવા વગેરેનો પ્રકાશ કરવો તે. કીત-સાધને વહોરાવવા માટે વેચાતું લેવું તે. પામિય-સાધુને વહોરાવવા માટે ઉધારે લાવવું તે. પરિવર્તિત-સાધુને વહોરાવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy