SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ 80 ડિવિજુત્તિ (14) કરાય. ભાવ-લૌકિક અને લોકોત્તર, બન્નેમાં પ્રશસ્ત અને અપ્રશત. ગ્રાસએષણા બેતાલીસ દોષોથી રહિત શુદ્ધ આહારગ્રહણ કરી, તપાસીને વિધિપૂર્વક ઉપાશ્રયમાં આવી, વિધિપૂર્વક ગોચરીની આલોચના કરવી. પછી મુહૂર્ત સુધી સ્વાધ્યાય આદિ કરી, આચાર્ય, પ્રાઘુર્ણક, તપસ્વી, બાલ, વૃદ્ધ આદિને નિમંત્રણા કરી આસક્તિ વગર વિધિપૂર્વક આહાર વાપરે.. આહાર શુદ્ધ છે કે નહિ તેની તપાસ કરવી તે ગવેષણા એષણા. તેમાં દોષ ન લાગે તે રીતે આહાર ગ્રહણ કરવો તે ગ્રહણએષણા. અને દોષ ન લાગે તે રીતે વાપરવો તે ગ્રાસએષણા કહેવાય છે. સંયોજના- તે દ્રવ્ય સંયોજના અને ભાવ સંયોજના એમ બે પ્રકારે છે. અથતિ. ઉદ્દગમ ઉત્પાદનાદિ દોષો ક્યાં ક્યા છે, તે જાણીને ટાળવાની ગવેષણા કરવી, આહાર ગ્રહણ કર્યા પછી, સંયોજનાદિ દોષો ન લાગે તેમ આહાર વાપરવો એ ઉદ્દેશ છે, પ્રમાણઆહાર કેટલો વાપરવો તેનું પ્રમાણ. અંગાર-સરસ આહારનાં કે આહાર બનાવનારનાં વખાણ કરવાં. ધુમ- ખરાબ આહારનાં કે આહાર બનાવનારની નિંદા કરવી. કારણ કયા કારણે આહાર વાપરવો અને કયા કારણે આહાર ન વાપરવો ? પિંડનિર્યુક્તિના આ આઠ દ્વારો છે. તેનું કમસર વર્ણન કરાશે. [15] દ્રવ્યપિંડ ત્રણ પ્રકારનો છે. સચિત્ત, મિશ્ર અને અચિત્ત. તે દરેકના પાછા નવ નવ પ્રકારો છે. સચિત્તના નવ પ્રકારો- પૃથ્વીકાય પિંડ, અપ્લાય પિંડ, તેઉકાય પિંડ, વાયુકાયપિંડ, વનસ્પતિકાયપિંડ, બેઇન્દ્રિયપિંડ, તેઈન્દ્રિયપિંડ, ચઉરિદ્રિયપિંડ, અને પંચેનિયપિંડ. મિશ્રમાં અને અચિત્તમાં પણ નવ ભેદો જાણવા. [૧૬-૨૨)પૃથ્વીકાય પિંડ-સચિત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે. નિશ્ચયથી સચિત્ત અને વ્યવહારથી સચિત્ત. નિશ્ચયથી સચિત્ત-રત્નપ્રભા, શર્કરા પ્રભા આદિ પૃથ્વી, હિમવંત આદિ મહાપર્વતોના મધ્ય ભાગ આદિ. વ્યવહારથી સચિત્ત-જ્યાં ગોમય-છાણ વગેરે પડયાં ન હોય, સૂર્યનો તાપ કે મનુષ્ય વગેરેની અવર-જવર ન હોય તેવાં જંગલ આદિ. મિશ્ર પૃથ્વીકાય-ક્ષીરવૃક્ષ, વડ, ઉદુમ્બર આદિ વૃક્ષોની નીચેજો ભાગ, એટલે ઝાડ નીચેનો છાયાવાળો બેસવાનો ભાગ મિશ્ર પૃથ્વી કય હોય છે, હળથી ખેડેલી. જમીન આર્દ્ર હોય ત્યાં સુધઈ, ભીની માટી એક, બે, ત્રણ પ્રહર સુધી મિશ્ર હોય છે. ઈધન ઘણું હોય પૃથ્વી થોડી હોય તો એક પ્રહર સુધી મિશ્ર. ઈધન થોડું હોય પૃથ્વી ઘણી હોય તો ત્રણ પ્રહર સુધી મિશ્ર. બંને સરખા હોય તો બે પ્રહર સુધી મિશ્ર. અચિત્ત પૃથ્વીકાય-શતશસ્ત્ર, ઉષ્ણુશસ્ત્ર, તેલ, ક્ષાર, બકરીની લીંડી, અગ્નિ, લવણ, કાંજી, ઘી આદિથી હણાયેલ પૃથ્વી અચિત્ત થાય છે. અચિત્ત પૃથ્વીકાયનો ઉપયોગ-વ્તા સ્ફોટથી થયેલા દાહને શમાવવા માટે શેક કરવા, સર્પદંશ ઉપર શેક કરવા માટે અચિત્ત મીઠાનો, તેમજ બીમારી આદિમાં અને કાઉસ્સગ્ન કરવા માટે, બેસવા, ઉઠવા, ચાલવા વગેર કયોમાં તેનો ઉપયોગ થાય છે. [૨૩-૪પઅપુકાય પિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી.નિશ્ચયથી સચિત્ત-ઘનોદધિ આદિ, કરાં, દ્રહ-સમુદ્રનો મધ્યભાગ આદિનું પાણી. વ્યવહારથી સચિત્ત-કુવા, તળાવ, વરસાદ આદિનું પાણી મિશ્ર અપકાય- બરાબર : નહિ ઉકળેલું પાણી, જ્યાં સુધી ત્રણ ઉકાળા આવે નહિ ત્યાં સુધી મિશ્ર. વરસાદનું પાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy