SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 68 હનિજુરિ-(૧૦૦૫) અવ્યાઘાત- કોઈ જાતનો વ્યાઘાત ન હોય તો કાલગ્રહી અને દાંડીધર આચાર્ય મહારાજ પાસે જઈને આજ્ઞા માગે કે 'અમે કાલગ્રહણ કરીએ ? પછી પણ જો નીચે મુજબના વ્યાઘાતો હોય તો કાલગ્રહણ ન કરે. આચાર્યને પૂછ્યું ન હોય, અથવા અવિનયથી પૂછ્યું હોય વંદન કર્યું ન હોય, આવસ્યહી કહી ન હોય, અવિનયથી કહી હોય, પડી જવાય, ઈન્દ્રિયોના વિષયો પ્રતિકૂલ હોય, દિગમોહ થાય, તારા પડે કે ખરે, અસ્વાધ્યાય હોય, છીંક થાય, ઉજેડી લાગે ઈત્યાદિ વ્યાઘાત- વિમ્બ વગેરે હોય તો કાલગ્રહણ કર્યા સિવાય. પાછા ફરે. શુધ્ધ હોય, તો કાલગ્રહણ કરે. બીજા સાધુઓ ઉપયોગ પૂર્વક ધ્યાન રાખે. કાલગ્રહી કેવો હોય ? - પ્રિયધમ, દૃઢધર્મી, મોક્ષસુખનો અભિલાષી, પાપભીરૂ, ગીતાર્થ. સત્વશીલ હોય તેવો સાધુ કાલગ્રહણ કરે. કાલ ચાર પ્રકારના -1. પ્રાદોષિક, ૨,અર્ધરાત્રક, ૩.વૈરાત્રિક, ૪.પ્રાભાતિક. પ્રાદોષિક કાલમાં બધા સાથે સજwય સ્થાપે, બાકી ત્રણમાં સાથે અથવા જુદા જુદા સ્થાપે. (અહીં નિયુક્તિમાં કેટલીક વિધિ તથા અન્ય બાબતોપણ છે જે પરંપરા અનુસાર જાણી લેવી, કેમકે વિધિ અને વર્તમાનપરંપરામાં તાવતા નજરે પડે છે.). ગ્રીષ્મકાલમાં ત્રણ તારા ખરે તો શિશિરકાલમાં પાંચ તારા ખરે તો અને વષકાલમાં સાત તારા ખરે તો કાલ હણાય છે. વર્ષાકાલમાં ત્રણે દિશા ખુલ્લી હોય તો પ્રાભાતિક અને ચારે દિશા ખુલ્લી હોય તો ત્રણે કાલગ્રહણ કરાય. વષકાલમાં આકાશમાં તારા ન દેખાય તો પણ કાલગ્રહણ કરાય. પ્રાદેશિક અને અર્ધરાત્રક કાલ ઉત્તર દિશામાં, વૈરાત્રિકકાલ ઉત્તર કે પૂર્વમાં, પ્રાભાતિકકાલ પૂર્વ માં લેવાય. પ્રાદોષિક કાલ શુધ્ધ હોય. તો સ્વાધ્યાય કરીને પહેલી બીજી પોરિસી જાગરણ કરે, કાલ શુધ્ધ ન આવે તો ઉત્કાલિક સૂત્રનો સ્વાધ્યાય કરે કે સાંભળે. અપવાદ - પ્રાદોષિક કાલ શુધ્ધ હોય, પણ અર્ધરાત્રિક શુધ્ધ ન હોય તો પ્રવેદન કરીને સ્વાધ્યાય કરે. આ પ્રમાણે વૈરાત્રિક શુધ્ધ ન હોય, પણ અર્ધરાત્રિક શુધ્ધ હોય તો અનુગ્રહ માટે પ્રવેદન કરીને સ્વાધ્યાય કરે. એ પ્રમાણે વૈરત્રિક શુધ્ધ હોય અને પ્રભાતિક શુધ્ધ ન હોય તો પ્રવેદન કરીને સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય કર્યા બાદ સાધુ સુવે. આ પ્રમાણે ધીર પુરુષે કહેલ સમાચારી જણાવી. [૧૦૦-૧૦૦]ઉપકાર કરે તે ઉપધિ કહેવાય છે. તે દ્રવ્યથી શરીરને ઉપકાર કરે છે અને ભાવથી જ્ઞાન, દર્શન ચારિત્રને ઉપકાર કરે છે. આ ઉપધિ બે પ્રકારની છે. એક ઓઘ ઉપધિ એક બીજી ઉપગ્રહ ઉપઘિ તે બન્ને પાછી સંખ્યા પ્રમાણ અને માપ પ્રમાણથી બન્ને પ્રકારની આગળ કહેવાશે તે પ્રમાણેની જાણવી. ઓથ ઉપધિ - એટલે જે નિત્ય ધારણ કરાય. ઉપગ્રહ ઉપધિ- એટલે જે કારણે સંયમના માટે ધારણ કરાય. ૧૦૦૮-૧૦૧]જિનકલ્પિની ઓઘ ઉપધિ - બાર પ્રકારે કહી છે. પાત્રા, ઝોળી, નીચેનો ગુચ્છો, પાત્રકેસરિકા-પાત્ર પડિલેહવાની મુહપત્તિ, પડલા, રજત્રાણ, ગુચ્છો, ત્રણ કપડાં, ઓઘો, અને મુહપત્તિ હોય છે. બાકી 11-10-9-5-4-3 અને અન્ય જઘન્ય બે પ્રકારથી પણ હોય છે. બે પ્રકારમાં ઓઘો, મુહપત્તિ, તો અવશ્ય દરેકને હોય જ. ત્રણ પ્રકારમાં ઓઘો, મુહપત્તિ, એક વસ્ત્ર, ચાર પ્રકારમાં ઓઘો, મુહપત્તિ, બે વસ્ત્ર. પાંચ પ્રકારમાં ઓઘો, મુહપત્તિ ત્રણ વસ્ત્ર. નવ પ્રકારમાં ઓઘો, મુહપત્તિ પાત્ર, ઝોળી, નીચેનો ગુચ્છો, પાત્રકેસરિકા , પડલા, રસ્ત્રાણ, ગુચ્છો, અને એક વસ્ત્ર. અગીઆર પ્રકારમાં ઓઘો, મુહપત્તિ, પાત્ર, ઝોળી, નીચેનો ગુચ્છો, પાત્રકેસરિકા, પડલા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005104
Book TitleAgam Deep 41A Ohanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages63
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_oghniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy