________________ અધ્યયન-૨, ઉદેસો-૨ 239 શેઠપણાના અભિમાનથી દુરાગ્રહથી વારંવાર બોલે બોલાવે કે તેની અનુમોદના કરે, કોધથી લોભથી. ભયથી હાસ્યથી અસત્ય-અણગમતું-અનિષ્ટ વચન બોલે તો તે કર્મના ઉદયથી મૂંગો, ગંધાતા મુખવાળો, મૂર્ખ, રોગી, નિષ્ફળ વચનવાળોદરેક ભવમાં પોતાના જ તરફથી લાઘવ-લઘુપણું, સારા વર્તનવાળો હોવા છતાં દરેક સ્થાને ખોટા કલંક મેળવનારો વારંવાર થાય છે. 287] જીવનિકાયના હિત માટે યથાર્થ વચન બોલાયું હોય તે વચન નિદૉષ છે, અને કદાચ-અસત્ય હોય તો પણ અસત્યનો દોષ લાગતો નથી. 288] એ પ્રમાણે ચોરી આદિના ફળો જાણવા, ખેતી આદિ આરંભના કર્મો કરીને પ્રાપ્ત કરેલા ધનની આ ભવમાં કે પૂર્વ જન્મમાં કરેલા પાપથી હાનિ થતી દેખાય છે. બીજા અધ્યયનનો બીજો ઉદેશો પૂર્ણ થયો. (અધ્યયન-૨ ઉદ્દેશો-૩:-) [289-291 એ પ્રમાણે મૈથુનના દોષથી સ્થાવરપણું ભોગવીને કેટલાંક અનંતા કાળે મનુષ્ય યોનિમાં આવ્યા. મનુષ્યપણામાં પણ કેટલાની હોજરી મંદ હોવાથી મુશ્કેલી એ આહાર પાચન થાય. કદાચ થોડો અધિક આહાર ભોજન કરે તો પેટમાં પીડા થાય છે. અથવા તો ક્ષણે ક્ષણે તરસ લાગ્યા કરે, કદાચ માર્ગમાં તેનું મૃત્યું થઈ જાય. બોલવાનું બહુ જોઈએ એટલે કોઈ પાસે બેસાડે નહીં. સુખેથી કોઈ સ્થાને સ્થિર બેસી શકે નહિં, મુશ્કેલીથી બેસવાનું થાય. સ્થાન મળે તો પણ કલા વિજ્ઞાન વગરનો હોવાથી કોઈ સ્થાને આવકાર મળે નહિ, પાપના ઉદયવાળો તે બિચારો નિદ્રા પણ પામી શકતો મથી. ર૯૨-૨૯૩] એ પ્રમાણે પરિગ્રહ અને આરંભના દોષથી નરકાયુષ બાંધીને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમના કાળ સુધી નારકીની તીવ્ર વેદનાઓ ભોગવીને અહીં મનુષ્યભવમાં આવ્યો. અહિં પણ સુધા વેદનાઓથી પીડાય છે. ગમે તેટલું-તૃપ્તિ થાય તેટલું ભોજન કરવા છતાં પણ સંતોષ થતો નથી, પ્રવાસીને જેમ શાંતિ મળતી નથી તેમ આ બિચારો ભોજન કરવા છતાં તૃપ્ત થતો નથી. 294-25] ક્રોધાદિક કષાયોના દોષથી ઘો આશીવિષ દ્રષ્ટિવિષ સર્પપણું પામીને ત્યારપછી રૌદ્રધ્યાન કરનારો મિથ્યાદ્રષ્ટિ થાય છે, મિથ્યાદ્રષ્ટિવાળા મનુષ્યપણામાં ધૂત. કૂડકપટ પ્રપંચ દંભ વગેરે લાંબો સમય કરીને પોતાના મહત્તા લોકોને જણાવતો અને છળતો તેતિયચપણું પામ્યો. ર૮૬-૨૯૮] અહિંપણ અનેક વ્યાધિ રોગો. દુઃખ અને શોકનું ભોજન બને. દરિદ્રતા અને કજીયાથી પરાભવિત થએલો અનેક લોકોનો તિરસ્કાર પાત્ર બને છે. તેના કર્મના ઉદયના દોષથી નિરંતર ચિંતાથી મળી રહેલા દેહવાળો ઈષવિષાદરૂપ અગ્નિજ્વાલા વડે નિરંતર ધણધણી-બળીરહેલા શરીરવાળા હોય છે. આવા અજ્ઞાનબાળજીવો અનેક દુઃખથી હેરાન-પરેશાન થાય છે. એમાં તેઓના દુશ્ચરિત્રનો જ દોષ હોય છે. એટલે તેઓ અહિં કોના ઉપર રોષ કરે? રિ૯-૩૦૦ આવી રીત વ્રતનનિયમના ભંગથી, શીલના ખંડનથી, અસંયમમાં પ્રવર્તન કરવાથી ઉસૂત્રપ્રરૂપણા મિથ્યામાર્ગની આચરણા-પવર્તાવવાથી. અનેક પ્રકારની પ્રભુ આજ્ઞાથી વિપરીત પણે આચરણ કરવાથી પ્રમાદાચરણ સેવવાથી કંઈક મનથી અથવા કંઈક વચનથી અથવા કાંઈક એકલી કાયાથી કરવાથી, કરાવવાથી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org