SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ 238 મહાનિસીહ- 22269 ધ્યાનવાળો દુર્ભગપણું, સ્ત્રી પણું, નપુંસકપણું, અને તિયચપણું ઉપાર્જન કરે. [267-269] કુંથુઆના પગના સ્પર્શથી ઉત્પન થયેલ ખણના દુઃખથી મુક્ત થવાની અભિલાષાવાળો હાંફળો ફાંફળો મનુષ્ય પછીથી જે અવસ્થા પામે છે તે કહે છે. લાવણ્ય ઉડી ગયું હોય તેવો અતિદીન, શોકમગ્ન ઉદ્વેગવાળો થયેલો. શૂન્યમનવાળો, ત્રસ્ત, મૂઢ, દુખથી પરેશાન થએલો. ધીમા, લાંબા નિસાસા નાખતો, ચિત્તની આકુળતાવાળો, અવિશ્રાંત દુઃખના કારણે અશુભ તિચિ અને નારકીને યોગ્ય કર્મ બાંધીને ભવ પરંપરામાં ભ્રમણ કરશે. [70] આ પ્રમાણે કર્મના ક્ષયોપશમથી કુંથુઆના નિમિત્તે ઉત્પન્ન થયેલા દુખને કોઈ પ્રકારે આત્માને મજબૂત બનાવીને જો ક્ષણવાર સમભાવ કેળવે અને કુંથુ જીવ ને ખણીને નાખે તે મહાકુલેશના દુઃખથી પાર ઉતરી ગએલો સમજવો. રિ૭૧-૨૭૫ શરણ વગરના તે જીવને કલેશ ન આપી સુખી કર્યો, તેથી અતિશય હર્ષ પામે. અને સ્વસ્થ ચિત્તવાળો થઈ વિચારે-માને કે જે એક જીવને અભયદાન આપ્યું વળી વિચારવા લાગે કે હવે હું નિવૃત્તિ-શાન્તિ પામ્યો. ખણવાથી ઉત્પન થનાર પાપ કર્મના દુઃખને પણ મેં નાશ કર્યું. ખણવાથી અને તે જીવની વિરાધના થવાથી હું મારા મેળે નથી જાણી શકતો કે હું રૌદ્ધ ધ્યાનમાં જાત કે આર્ત ધ્યાનમાં જાત? રૌદ્ર અને આત ધ્યાનથી એ દુઃખનો વર્ગ ગુણાંક કરતાં કરતાં અનંતાનંત દુઃખ સુધી હું પહોંચી જાત. એક સમયના પણ આંતરા વગરના સતત જેવું રાત્રે તેવું દિવસે એકધારું દુઃખ ભોગવતા ભોગવતા મને વચ્ચે થોડો વિસામો પણ મળતા નહિ નરક અને તિર્યંચગતિમાં એવું દુખ સાગરોપમના અને અસંખ્યાતાકાળ સુધી ભોગવવું પડત અને તે સમયે હૃદય રસરૂપ બનીને દુખાગ્નિ વડે જાણે પીગળી જતું હોય તેવું અનુભવત. [27] કુંથુઆનો સ્પર્શ કરીને ઉપાર્જન કરેલાં દુઃખ ભોગવવાના સમયે મનમાં એમ વિચાર ઉત્પન્ન થાય કે આ દુઃખ ન હોય તો સુન્દર, પરન્તુ તે સમયે ચિંતવવું જોઈએ કે આ કુંથુના સ્પર્શથી ઉત્પન્ન થએલ ખણનું દુઃખ મનેકયા હિસાબમાં ગણાય? 277 કુંથવાના સ્પર્શનું કે ખણનું દુખ અહિં માત્ર ઉપલક્ષણથી જણાવ્યું. સંસારમાં સર્વને દુઃખતો પ્રત્યક્ષ જ છે. તેનો અનુભવ થતો હોવા છતાં પણ કેટલાક પ્રાણીઓ જાણતા નથી માટે કહું છું. [278-279 બીજા પણે મેહાઘોર દુખો સર્વે સંસારી જીવોને હોય છે. હે ગૌતમ? તે કેટલાંક દુઃખોનું અહિં વર્ણન કરવું ? જન્મ જન્માંતરોમાં માત્ર વાચાથી એટલું જ બોલ્યા હોય કે “હણો - મારો” તેટલા વચન માત્રનું જે અહિં ફળ અને પાપકર્મનો ઉંદય થાય છે તે કહું છું. [280-283] જ્યાં જ્યાં તે ઉત્પન્ન થાય છે ત્યાં ત્યાં ઘણા ભવ-વનમાં હંમેશાં મરાતો, પીટાતો, કૂટાતો. હંમેશા ભ્રમણ કરે છે. જે કોઈ પ્રાણીના કે કીડા પતંગીયા વગેરે જીવોના અંગો ઉપાંગો આંખ કાન નાસિકા કેડ હાડકાં પીઠભાગ વગેરે શરીરઅવયવોને ભાંગી નાખે તોડી નાખે, અગર મંગાવી-તોડાવી નંખાવે, અથવા તેમ કરનારને સારો માને તો તે કરેલા કર્મના ઉદયથી ઘાણી-ચક્કી છે તેવા યંત્રમાં જેમ તલ પીલાય તેમ તે પણ ચક્ર કે તેવા યંત્રમાં પીલાશે. આવી રીતે એક-બે ત્રણ -વીસ ત્રીસ કે સો હજારલાખ નહીં પણ સંખ્યાતા ભવો સુધી દુખની પરંપરા પ્રાપ્ત કરશે. [284-28 પ્રમાદ કે અજ્ઞાનથી અગર ઈષ્ય દોષથી જે કોઈ અસત્ય વચન બોલે છે, સામાને અણગમતા અનિષ્ટ વચન સંભળાવે છે, કામદેવના અગર For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005102
Book TitleAgam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy