________________ અધ્યયન ચૂલિકા-૧ ૩પ૯ દંડપુચ્છણક થી કાજો ન લે તો નીવી, ભોજન માંડલીના સ્થાનમાં જગ્યા સાફ કરીને પુચ્છણક આપીને કાજો એકઠો કરીને ઈરિયા ના પ્રતિકમે તો નિવી. એ પ્રમાણે ઈરિયાવહી, કહીને બાકી રહેલા દિવસનું અથતુ તિવિહાર કે ચોવિહારનું પ્રત્યાખ્યાન ન કરે તો આયંબિલ ગુરુની સમક્ષ તે પચ્ચખાણ ન કરે તો પુરિમુઢા, અવિધિથી પચ્ચખાણ કરે તો આયંબીલ, પચ્ચખાણ કર્યા પછી ચૈત્ય અને સાધુઓને ન વાંદે તો પુરિમુઢ, કુશીલને વંદન કરે તો અવંદનીય, ત્યાર પછીના સંયમમાં બહાર ઠડીલ ભૂમિએ જવા માટે પાણી લેવા માટે જાય, વડીનિતી કરીને પાછા ફરે તે સમયે કંઈક ન્યુન ત્રીજી પોરિસી પૂર્ણ થાય. તેમાં પણ ઈરિયાવહી પ્રતિક્રમીને વિધિથી ગમનાગમનની આલોચના કરીને પાત્રા માત્રક વગેરે ભાજન અને ઉપકરણો વ્યવસ્થિત કરે ત્યારે ત્રીજી પોરિસી બરાબર પૂર્ણ થાય. આ પ્રમાણે ત્રીજી પોરિસી વીતી ગયા પછી હે ગૌતમ ! જે ભિક્ષ ઉપધિ અને અંડિલો વિધિપૂર્વક ગુરુની સન્મુખ સંદિસાઉં - એમ આજ્ઞા માંગીને પાણી પીવાના પણ પચ્ચખાણ કરીને કાલવેલા સુધી સ્વાધ્યાય ન કરે તેને છ પ્રાયશ્ચિત જણાવવું. આ પ્રમાણે કાલવેલા આવી પહોંચે ત્યારે ગુરુની ઉપાધિ અને સ્થડિલ, વંદન, પ્રતિક્રમણ, સઝાય, મંડળીઆદિ વસતિની પ્રપેક્ષણા કરીને સમાધિ પૂર્વક ચિત્તના વિક્ષેપ વગર સંયમિત બનીને પોતાની ઉપાધિ અને ચંડિલની પ્રત્યુપ્રેક્ષણા કરીને ગોચર ચરિતા અને કાલને પ્રતિક્રમીને ગોચર ચરિયા ઘોષણા કરીને ત્યાર પછી દૈવસિક અતિચારોની વિશુદ્ધિ નિમિત્ત કાઉસગ્ગ કરવો. આ દરેકમાં અનુક્રમે ઉપસ્થાપન, પુરિમુઠ એકાસન અને ઉપસ્થાપના પ્રાયશ્ચિત જાણવા. આ પ્રમાણે કાઉસગ્ન કરીને મુહપતિની પ્રતિલેખના કરીને વિધિપૂર્વક ગુરુ મહારાજને કૃતિકર્મ વંદન કરીને સૂર્યોદથી માંડીને કોઈ પણ સ્થાનમાં જેવાં કે બેસતાં જતા ચાલતા ભમતા ઉતાવળ કરતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, લીલોતરી, તૃણ, બીજ, પુષ્પ ફુલ, કુંપળ, અંકુર, પ્રવાલ, પત્ર, બે, ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયોવાળા જીવોનાં સંઘટ્ટ, પરિતાપન, કિલામણા, ઉપદ્રવ વગેરે ક્ય હોય તથા ત્રણ ગુપ્તિઓ, ચારકષાયો, પાંચમહાવ્રતો, છ જીવનીકાયો, સાત પ્રકારના પાણી અને આહારાદિકની એષણાઓ, આઠ પ્રવચન માતાઓ, નવા બ્રહ્મચર્યની ગુપ્તિઓ, દશ પ્રકારનો શ્રમણધર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ની જે ખંડના વિરાધના થઈ હોય તેની નિન્દા, ગહ, આલોચના, પ્રાયશ્ચિત કરીને એકાગ્ર માનસથી. સુત્ર, અર્થ અને તદુભયને અતિશય ભાવતો તેના અર્થની વિચારણા કરતો, પ્રતિક્રમણ ન કરે તો ઉપસ્થાપન, એમ કરતાં કરતાં સૂર્યનો અસ્ત થયો. ચિત્યોને વંદન કર્યા સિવાય પ્રતિક્રમણ કરે તો ચોથભક્ત, અહીં અવસરે જાણી લેવો. પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે વિધિસહિત બિલકુલ ઓછા સમય નહિ એવા પ્રથમ પહોરમાં સ્વાધ્યાય ન કરે તો દુવાલસ, પ્રથમ પોરિસી, પૂર્ણ થતાં પહેલા, સંથરો કરવાની વિધિની આજ્ઞા માગે તો છઠ્ઠ, સંદિસાવ્યા વગર સંથારો કરીને સુઈ જાય તો ચઉત્થ, પ્રત્યુપ્રેક્ષણા, કર્યા વગરની જગ્યામાં સંથારો કરે તો દુવાલસ, અવિધિથી સંથારો કરે તો ચઉલ્ય ઉતરપટ્ટા વગર સંથારો કરે તો ચઉલ્થ બે પડનો સંથારો પાથરે તો ચઉલ્ય, વચમાં પોલાણવાળો દોરીવાળા ખાટલામાં, નીચે નરમ હોય તેવા ઢોલિયામાંપંલગમાં સંથારો કરે તો 100 આયંબિલ, સર્વ શ્રમણસંઘ, સર્વે સાધર્મિકો તેમજ સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org