SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ 358 મહાનિસહ-૭-૧૩૮૪ સઝાય પરઠવતા-ગોચરી આલોવતા ધમ્મો મંગલની ગાથાઓનું પરાવર્તન કર્યા વગર ચેત્ય અને સાધુઓને વાંદ્યા વગર પચ્ચખાણ પારે તો પુરિમઢ પચ્ચકખાણ પાયા વગર ભોજન, પાણી કે ઔષધનો પરિભોગ કરે તો ચોથભક્ત, ગુરુની સન્મુખ પચ્ચખાણ ન પારે તો, ઉપયોગ ન કરે, પ્રાભૂતિક ન આલોવે સક્ઝાય ન પરઠવે, આ દરેક પ્રસ્થાપનમાં, ગુરુ પણ શિષ્ય તરફ ઉપયોગવાળા ન થાય. તો તેમને પારંચિત પ્રાયશ્ચિત, સાધર્મિક, સાધુઓને ગોચરીમાંથી આહારાદિક આપ્યા વગર ભક્તિ કર્યો વગર કાંઈ આહારાદિક પરિભોગ કરે તો છઠ્ઠ, ભોજન કરતાં, પીરસતાં જે નીચે વેરે તો છઠ્ઠ, કડવો, તીખાં, કષાયેલાં, ખાટાં, મધુર, ખારા રસોનો આસ્વાદ કરે, વારંવાર આસ્વાદ કરી તેવા સ્વાદવાળા ભોજન કરે તો ચોથ ભક્ત, તેવા સ્વાદિષ્ટ રસોમાં રાગ પામે તો ખમણ કે અઠ્ઠમ, કાઉસગ્ન કર્યા વગર વિગઈઓનો વપરાશ કરે તો પાંચ આયંબિલ, બે વિગઈ ઉપરાંત વધારે વિગઈઓ વાપરે તો પાંચ નિર્વિકૃતિક, નિષ્કારણ વિગઈનો વપરાશ કરે તો અટ્ટમ, ગ્લાનના માટે અશન, પાન, પથ્ય, અનુપાન, જ લાવેલા. હોય અને વગર આપેલું વાપરે તો પારંચિત. પ્લાનની સેવા માવજત કર્યા વગર ભોજન કરે તો ઉપસ્થાપન, પોતાના પોતાના સર્વ કર્તવ્યોનો ત્યાગ કરીને ગ્લાનના કાયોનું આલંબન લઈને અથતુ તેના બહાના આગળ કરીને પોતાના કર્તવ્યોમાં પ્રમાદ સેવે તો તે અવંદનીય, ગ્લાન યોગ્ય જે કરવા લાયક કાર્ય કરી ન આપે તો અઠ્ઠમ, ગ્લાન, બોલાવે અને એક શબ્દ બોલવા સાથે તરત જઈને જે આજ્ઞા કરે તેનો અમલ ન કરે તો પારંચિત, પરંતુ જો તે ગ્લાન સાધુ સ્વસ્થ ચિત્તવાળો હોય તો. જો સનેપાત વગેરે કારણે ભ્રમિત માનસવાળા હોય તો જે તે ગ્લાને કહ્યું હોય તેમ કરવાનું હોય નહિ. તેને યોગ્ય હિતકારી જે થતું હોય તે જ કરવું ગ્લાનના કાર્યો ન કરે તેને સંઘ બહાર કાઢવો. આધાકમ, ઔદેશિક, પૂતિકર્મમિશ્રજાત સ્થાપના, પ્રાભૃતિકા, પ્રાદુષ્કરણ, કીત, પ્રામિયક, અભ્યાત, ઉદભિન, માલપત, આછે, અનિસૃષ્ટ, અધ્યવપુરક, ધાત્રી, દુત્તિ, નિમિત્ત, આજીવક, વનીપક, ચિકિત્સા, ક્રોધ, માન, માયા, લોભ, પૂર્વ-પશ્ચિાતુ સંસ્તવ, વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યોગ, મૂળકર્મ, શંકિત, પ્રક્ષિત, નિક્ષિપ્ત, પિહિત, સંત, દાયક, ઉભિન્ન, અપરણિત, લિપ્ત, છર્દિત, આ બેંતાળીશ આહારના દોષમાંથી કોઈ પણ દોષથી દુષિત આહાર પાણી ઔષધનો પરિભોગ કરે તો યથાયોગ્ય ક્રમસર ઉપવાસ, આયંબિલનું પ્રાયશ્ચિત આપવું. છ કારણોની ગેરહાજરીમાં ભોજન કરે તો અઠ્ઠમ, ધુમ્રદોષ, અને અંગાર દોષ યુ, આહારનો ભોગવટો કરે તો ઉપસ્થાપન, જુદા જુદા આહાર કે સ્વાદવાળા સંયોગ કરીને જિલ્લાના સ્વાદ પોષવા માટે ભોજન કરે તો આયંબીલ અને ક્ષપણુબળ-વીર્યપુરુષકાર-પરાક્રમ હોવા છતાં અષ્ટમી, ચર્તુદશી, જ્ઞાનપંચમી, પર્યુષણા ધોઈને પાણી પી ન જાય તો ચઉત્થ પાત્રા ધોએલ પાણી પરઠવે તો દુવાલસ, પાત્રા માત્રક તાપણી કે કોઈ પણ પ્રકારના ભાજન ઉપકરણ માત્રને ભીનાશ દુર કરી કોરા કરીને ચીકાશવાળા કે ચીકાશ વગરના વગર લુછેલા સ્થાપન કરી રાખે તો ચોથભક્ત, પાત્રાબાંધની ગાંઠ, ન છોડે તેની પડિલેહણા કરી ને ન શોધે તો ચોથ ભક્ત પ્રાયશ્ચિત. ભોજન મંડળીમાં હાથ ધોવે, તેના પાણીમાં પગનો સંઘટ્ટો કરીને ચાલે, ભોજન કરવાની જગ્યામાં સાફ કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005102
Book TitleAgam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy