________________ 300 પુસ્પિાર્ગ - 48 બાહ્મણી રાષ્ટ્રકૂટની સાથે વિસ્તારવાળા કામભોગને ભોગવતી સતી વરસે વરસે પુત્ર પુત્રીના યુગલને ઉત્પન્ન કરતી સતી સોળ વરસે કરીને બત્રીસ પુત્ર પુત્રીને પ્રસવશે - ઉત્પન્ન કરશે. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી તે ઘણા દારક, કુમાર, કુમારિકા, હિંભ અને ડિંભ અને કિંભિકાઓમાંના કેટલાકને ચિતા સુખાવાવ, કેટલાકને સ્તનપાન કરાવવા વડે, કેટલાકને સ્તનપર રાખવાવડે, કેટલાકના નાચવાવડે, મારવાવડે, કેટલાકની અલ નાડે, કેટલાકના સ્તન માગવાવડે, કેટલાકના દૂધ માગવા વડે, કેટલાકના રમકડા માગવા વડે, કેટલાકના ખાજાં માગવાવડે, કેટલાકના પાણી માગવાવડે, એ જ રીતે હસવા વડે, રોષવડે, આક્રોશવડે,અત્યંત આક્રોશ વડે, મારવા વડે, ભાગી જવાવડેપાછળ પકડવા જવાવડે, રોવાવડે, આકંદવડે, વિલાપવડે, મોટા શબ્દથી પોકાર કરવાવડે, ઉચા. શબ્દ કરવાવડ, નિદ્રા પામવાવડે, પ્રલાપ કરવાવડે, દાઝવાવડે, વમન કરવાવડે, વિશ્વ કરવાવડે. મૂત્ર કરવાવડે, અત્યંત વ્યાકુળ થશે અને તેમના મૂત્ર, વિષ્ટા અને વમન વિગેરે વડે અત્યંત લીંપાયેલી રહેશે, વસ્ત્ર અત્યંત મલિન રહેશે, શરીરે અતિ દુર્બળ થશે યાવત. થશે અત્યંત બીભત્સ અને દુર્ગંધવાળી થવાથી રાષ્ટ્રકૂટની સાથે વિસ્તારવાળા કામ ભોગ ભોગવીને વિચારવાને માટે શક્તિમાન થશે નહીં. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી એકદા એટલે રાત્રિના પાછલા ભાગે કુટુંબ જાગરણ પ્રત્યે જાગતી એટલે કુટુંબની કરતી હતી તેણીને આવા પ્રકારનો યાવતુ અધ્યવસાય-ઉત્પન્ન થશે કે હું આ ઘણા દારક યાવતુ ડિભિકાઓમાંના કેટલાકને ચીતા સુવા વડવાડે યાવતુ કેટલાક ના મૂત્રવડે, દુષ્ટ બાળકો વડે, દુષ્ટ જન્મવડે હત, વિપ્રહત અને ભગ્ન થયેલી હોવાથી એક પ્રહારથી પડી જવાય એવી તથા મૂત્ર, વિ અને વમનથી લીંપાયેલી અતિ લપાયેલી યાવત્ અતંત દુર્ગધ વાળી હું રાષ્ટ્રકૂટની સાથે યાવતુ ભોગ ભોગવતી વિચારવાને માટે શક્તિમાન નથી. તેથી કરીને તે માતાઓને ધન્ય છે યાવતું તેમનું જીવિત સફળ છે કે જેઓ વંધ્યા છે, જેઓને પ્રસુતિ થઈ નથી, જેઓ જાનુ અને કોંણીની જ માતા છે, જેઓ મનોહર સુંગધી પદાર્થના ગંધવાળી છે અને તેથી કરીને જ વિસ્તારવાળા મનુષ્ય સંબંધી કામભોગને ભોગવતી વિચરે છે. પરંતુ હું તો અઘન્ય છું, પુણ્યરહિત છું. મેં પુણ્ય કર્યું નથી, કે જેથી રાષ્ટ્રકૂટની સાથે વિસ્તારવાળા યાવતું કામ ભોગને ભોગવતી સતી વિચર વાને શક્તિમાન થતી નથી. તે કાળે તે સમયે સુવ્રતા નામની આ ઈયસમિતિવાળી વાવતુ ઘણા પરિવાર વાળી અનુક્રમે વિહાર કરતી જ્યાં વિભેલ નામનું ગામ હતું ત્યાં આવી યથાયોગ્ય અવ ગ્રહ ગ્રહણ કરીને યાવતુ વિચરશે-રહેશે. ત્યારપછી તે સુવ્રતા આયનો એક સંઘાટક (સાધ્વીનું યુગલ)વિભેલ ગામમાં ઉંચ નીચ ઘરમાં વાવતુ ગોચરીને માટે અટન કરતો રાષ્ટ્રકૂટને ઘેર પ્રવેશ કરશે. ત્યારપછી તે સીમા બ્રાહ્મણી તે આયઓને આવતી જોશે. જોઈને હ્યષ્ટ તુષ્ટ થઈ શીઘપણે જ આસનથી ઉભી થશે. ઉભી થઈને સાત આઠ પગલાં સન્મુખ જશે. સન્મુખ જઈને તેમને વાંદશે, નમસ્કાર કરશે, વાંદી, નમસ્કાર કરી વિસ્તાર વાળા અશન પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારને પ્રતિભાભી આ પ્રમાણે બોલશે આ પ્રમાણે નિશે હે આર્થીઓ ! રાષ્ટ્રકૂટની સાથે વિસ્તારવાળા ભોગ ભોગવતાં મેં વરસે વરસે બબે બાળકને પ્રસવ્યા, અને સોળ વરસે કરીને બત્રીશ પુત્ર પુત્રીઓને પ્રસવ્યા છે. તેથી હું તે ઘણા દારક યાવત્ ડિભિકા ઓમાંના કેટલાકને ચિતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org