SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ 70 નાયાધમ્મકહાઓ-૧-૫૬૮ તૈયારી કરો.” “જે પ્રમાણે મેઘકુમારના અધ્યયનમાં કહ્યું હતું, તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે પદ્માવતીદેવીએ શૈલકના અગ્રકેશ ગ્રહણ કર્યો. બધા દીક્ષાર્થી પ્રતિગ્રહ-પાત્ર આદિ ગ્રહણ કરીને શિબિકાપર આરૂઢ થયા. શેષ વર્ણન પૂર્વવતુ. ત્યાર પછી શુક અણગારે શૌલક અણગારને પંથક આદિ પાંચસો અણગાર : શિષ્યના રૂપમાં પ્રદાન કર્યા. ત્યાર પછી શુક મુનિ કોઇ સમયે શૈલકપુર નગરથી અને સુભૂમિભાગ ઉદ્યાનથી નીકળ્યા. નીકળીને બહાર જનપદોમાં વિચારવા લાગ્યા. ત્યાર પછી શુક અણગાર એક હજાર અણગારોની સાથે અનુક્રમથી વિચરતા થકા,અંતિમ સમય નજીક આવેલો જાણીને પુંડરીક પર્વત પર પધાર્યાયાવતું સિદ્ધ થયા. [69] ત્યાર પછી પ્રકૃતિથી સુકુમાર અને સુખ ભોગના યોગ્ય શૈલક રાજર્ષિના શરીરમાં અન્ત પ્રાન્તતુચ્છ, રૂક્ષ, અરસ, વિરસ, ઠંડા ગરમ, કાલાતિ કાન્ત,અને પ્રમા ણાતિકાન્ત, ભોજન હંમેશા મળવાથી વેદના ઉત્પન્ન થઈ ગઈ. તે વેદના ઉત્કટ યાવતુ દુઃસહ હતી. તેમનું શરીર ખુજલી અને દાહ ઉત્પન્ન કરનાર પિત્તજ્વરથી વ્યાપ્ત થઈ ગયું. ત્યારે તે શૈલક રાજર્ષિ તે રોગાતંકથી શુક થઈ ગયા ત્યાર પછી શૈલક રાજર્ષિ કોઈ સમયે અનુક્રમથી વિચરતા યાવતું જ્યાં સુભૂમિભાગ નામનું ઉદ્યાન હતું, ત્યાં આવીને વિચરવા લાગ્યા. તેમને વંદના કરવાને માટે પરિષદ નીકળી. મંડૂક રાજ પણ નીકળ્યા શૈલક અણગારને બધાએ વંદન નમસ્કાર કર્યો. ઉપાસના કરી. તે સમયે મંડુક રાજાએ શૈલક અણગારનું શરીર શુષ્ક નિસ્તેજ યાવત્ દરેક પ્રકારની પીડાવાળું અને રોગયુક્ત જોયું. જોઈને આ પ્રમાણે કહ્યું. “ભગવન્! હું આપની સાધુતાને યોગ્ય ચિકિત્સકો પાસેથી સાધુને યોગ્ય ઔષધ અને ભેષજ દ્વારા તથાભોજન-પાન દ્વારા ચિકિત્સા કરાવું. ભગવાન ! આપ મારી યાનશાળામાં પધારો. અને પ્રાસુક તેમજ એષણીય પીઠ, ફલગ, શપ્યા તથા સંસ્કારક ગ્રહણ કરીને વિચારો.. - ત્યાર પછી શૈલક અણગારે મંડુક રાજાના આ અર્થને ઠીક છે.” એમ કહીને સ્વીકાર કર્યો. ત્યારે મંડુક રાજાએ શૈલકમુનિને વંદન નમસ્કાર કર્યા. પાછા ગયા. ત્યાર પછી શેલક રાજર્ષિ બીજા દિવસે સૂર્યના દેદીપ્યમાન થવા પર ભંડપાત્ર અને ઉપકરણ લઈને પંથક આદિ પાંચસો મૂનિઓની સાથે શૈલકારમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં મંડુક રાજાની યાનશાળા હતી, ત્યાં આવ્યા. આવીને પ્રાસુક પીઠ, ફલક આદિ ગ્રહણ કરીને વિચારવા લાગ્યા. ત્યાર પછી મંડુક રાજાએ ચિકિત્સકોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયો ! તમે શેલક રાજર્ષિની પ્રસુક અને એષણીય ઔષધ આદિથી યાવત ચિકિત્સા કરો.” ત્યારે ચિકિત્સક મંડૂક રાજાના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટ-તુષ્ટ થયા તેમણે સાધુતાને યોગ્ય ઔષધ, ભેષજ તેમજ ભોજન-પાનથી ચિકિત્સા કરી અને મદ્યપાન કરવા માટે કહ્યું. ત્યાર પછી સાધુને યોગ્ય ઔષધ આદિથી અને મદ્યપાનથી શેલક રાજર્ષિનો રોગાંક શાંત થઈ ગયો. તે હૃષ્ટ-તુષ્ટ યાવતુ બળવાન શરીરવાળા થઈ ગયા. તેનો રોગાતક પૂરી રીતે દૂર થઈ ગયો. ત્યાર પછી શૈલક રાજર્ષિ તે રોગાતંકના ઉપશાંત થઈ જવા પર તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમમાં અને મધપાનમાં મૂર્શિત, મત્ત, વૃદ્ધ અને અત્યંત આ સક્ત થઈ ગયા. તે આળસુ અવસગ્નવિહારી થઈ ગયા. એ પ્રમાણે પાર્શ્વસ્થ તથા પાશ્વસ્થ વિહારી કુશીલ કુશીલવિહારી તથા પ્રમત્ત પ્રમત્તવિહારી, સંસક્ત તથા સંસક્તવિહારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy