SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ હા સુતસ્કંધ-૧, અધ્યયન-૫ થઈ ગયા. શેષ કાળમાં પણ શય્યા સંસ્મારકને માટે પીઢ, ફલગ રાખનાર પ્રમાદી થઈ ગયા. તે પ્રાસુક તેમજ એષણીય પીઢ, ફલગ આદિને પાછા આપીને અને મંડુક રાજાની અનુમતિ લઈને બહાર લાવતું જનપદમાં વિહાર કરવામાં અસમર્થ થઇ ગયા. [70] ત્યાર પછી પંથકને તે પાંચસો અણગાર કોઈ સમયે એકઠા થયા. યાવતુ મધ્યરાત્રિમાં ધર્મ જાગરણ કરતાં કરતાં તેઓને એવો વિચાર ઉત્પન થયો, કે શૈલક રાજર્ષિ રાજ્યનો ત્યાગ કરીને યાવતુ દીક્ષિત થયા, પરંતુ અત્યારે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તેમજ મદ્યપાનમાં મૂચ્છિત થયા છે. તે જનપદ વિહાર કરવામાં સમર્થ નથી. હે દેવાનપ્રિયો! શ્રમણોને પ્રમાદી થઈને રહેવું કલ્પતું નથી. તેથી આપણા માટે શ્રેષ્ઠ છે કે આવતી કાલે શૈલક રાજર્ષિની આજ્ઞા લઈને અને પાઠિયારી પીઢ, ફલગ શય્યા તેમજ સંતારક પાછા સોંપીને પંથક અણગારને શૈલક અણગારના વૈયાવૃત્યકારી સ્થાપિત કરીને બહાર જનપદમાં અભ્યઘત વિચરીએ. તે મુનિઓ એ એવું વિચાર કર્યો. વિચાર કરીને બીજા દિવસે શૈલક રાજર્ષિની પાસે જઈને તેમની આજ્ઞા લઈને પાઠિ યારી પીઢ, ફલેગ, શય્યા સંસ્મારક પાછા સોંપી દીધા અને પંથક અણ ગારને વૈચ્યા નૃત્યકારી સ્થાપિત કર્યા. સ્થાપિત કરીને બહાર લાવત્ વિચારવા લાગ્યા. [71] ત્યાર પછી તે પંથક અણગાર શૈલક રાજર્ષિની શય્યા, સંતારક, ઉચ્ચાર, પ્રશ્રવણ, શ્લેષ્મ સંઘાણના પાત્ર, ઔષધ, ભેષજ, આહાર, પાણી આદિ થી ગ્લાની વિના વિનયપૂર્વક વૈયાવૃત્ય કરવા લાગ્યા. ત્યાર પછી શૈલક રાજર્ષિ કોઈ સમયે કાર્તિક ચૌમાસીના દિવસે વિપુલ આહાર કરીને અને બહુજ અધિક મદ્યપાન કરીને સાયંકાલના સમયે આરામથી સૂતા હતા. તે સમયે પંથક મુનિએ કાર્તિક ચોમાસના દિવસે કાયો ત્સર્ગ કરીને, દેવની પ્રતિક્રમણ કરીને, ચાતુમાસિક પ્રતિક્રમણ કરવાની ઈચ્છાથી, શૈલક રાજર્ષિને ખમાવવા માટે પોતાના મસ્તકથી તેના ચરણોનો સ્પર્શ કર્યો. ચરણોનો સ્પર્શ થતા શેલક રાજર્ષિ તત્કાળ રુઝ થયા યાવતું ક્રોધથી ધમધમાયમાન થયા અને ઉઠ્યા. બોલ્યા, “અરે કોણ છે અપ્રાર્થિતની ઈચ્છા કરનાર યાવત્ લજ્જા આદિથી રહિત જેણે સુખ પૂર્વક સુતેલા મારા પગનો સ્પર્શ કર્યો? શેલક ઋષિના આ પ્રમાણે કહેવાથી પંથક ભયભીત થઈ ગયો, ત્રાસ અને ખેદને પ્રાપ્ત થયો. બંને હાથ જોડીને કહેવા લાગ્યા, “ભગવન! હું પંથક છું. ચૌમાસી ક્ષમાપના દેવાને માટે આપ દેવાનુપ્રિયને વંદના કરતા સમયે, મેં મારા મસ્તકથી આપના ચરણોનો સ્પર્શ ક્યાં છે. તેથી દેવાનુપ્રિય! ક્ષમા કરો મારો અપરાધ ક્ષમા કરો. ફરી તેમ નહિ કરું, એ પ્રમાણે કહીને શૈલક અણગારને સમ્યક રૂપથી વિનયપૂર્વક આ અર્થને માટે વારંવાર ખમાવવા લાગ્યા. પંથક દ્વારા આ પ્રમાણે કહેવા પર તે શૈલક રાજર્ષિને આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો મેં રાજ્ય આદિનો ત્યાગ કરીને પણ યાવત્ આળસુ આદિ થઇને શેષ કાળમાં પણ પીઢ, લગ, આદિ રાખીને વિચારી રહ્યો છું - શ્રમણ નિર્ચન્થોને શિથિ લાચારી થઈને રહેવું ન કહ્યું, તેથી આવતી કાલે મંડૂક રાજાને પુછીને પડિહારી પીઢ, લગ, શય્યા અને સંસ્મારક પાછા આપીને, પંથક અણ ગારની સાથે બહાર અભ્યતા વિહારથી વિચરવું તે મારા માટે શ્રેયસ્કર છે.' વાવતુ તે પ્રમાણે કરીને વિહાર કર્યો. [72] હે આયુષ્યનું શ્રમણ ! તે પ્રમાણે જે સાધુ યા સાધ્વી આળસુ થઈને, સંસ્મારકના વિષયમાં પ્રમાદી થઈને રહે છે, તે આ લોકમાં ઘણા શ્રમણો અને ઘણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy