________________ ચુતસ્કંધ-૧, અધ્યયન-૩ થયું. યુવાવસ્થાને પ્રાપ્ત થયું. પહોળાઈરૂપ માન, સ્થૂલતા રૂપ ઉન્માન અને લંબાઈ રૂપ પ્રમાણથી તેની પાંખ અને પીછાંઓનો સમૂહ પરિપૂર્ણ થયો. તેના પીછાં રંગ બેરંગી થયાં. તેમાં સેંકડો ચન્દ્રક હતા. તે નીલ કંઠવાળું અને નૃત્ય કરવાના સ્વભાવ વાળું થયું. એક ચપટી વગાડતાં અનેક પ્રકારના સેંકડો કેકારવ કરતું વિચરણ કરવા લાગ્યું. ત્યાર પછી તે મયૂરપાલકોએ તે મયૂર પોતાને બચપણથી મુક્ત ભાવતું કેકારવ કરતું જોઈને તે ગ્રહણ કર્યું ગ્રહણ કરીને જિનદત્તના પુત્રની પાસે લઈ આવ્યા. ત્યારે જિનદત્તના પુત્રની પાસે લઈ આવ્યા. ત્યારે જિનદત્તના પુત્ર સાર્થવાહદારકે મયુર બાલકને બચપ ણથી મુક્ત યાવતુ કેકારવ કરતું જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈને તેમને જીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું. યાવત્ વિદાય કર્યા. તત્પશ્ચાતું તે મયૂરબાલક જિનદત્તના પુત્ર દ્વારા એક ચપટી વગાડતાં લાંગૂલ ભંગની સમાન પોતાની ગરદન વાંકી કરતો હતો. તેના શરીર પર પરસેવો આવી જતો હતો. અથવા તેની આંખોના ખૂણા શ્વેત વર્ણના થઈ જતા. તે વિખાયેલા પીંછાવાળી બંને પાંખોને શરીરથી અલગ કરતા હર્તા તે ચંદ્રક આદિથી યુક્ત પીંછાના સમૂહને ઉંચા કરી લેતો હતો અને સેંકડો કેકારવ કરતો થકો નૃત્ય કરતો હતો. ત્યાર પછી તે જિનદત્તનો પુત્ર તે મયૂર બાલક દ્વારા ચંપાનગરના શૃંગાટક આદિ માગોમાં સેંકડો હજારો અને લાખોની હરીફાઈમાં વિજય પ્રાપ્ત કરતો વિચરતો હતો. હે આયુષ્યમાનું શ્રમણો ! આ પ્રમાણે અમારા જે સાધુ સાધ્વી દિક્ષિત થઈને પાંચ મહાવ્રતોમાં, છ જવનિકાયમાં તથા નિગ્રંથ પ્રવચનમાં શંકાથી રહિત, કાંક્ષાથી રહિત, એવું વિચિકિત્સાથી રહિત થાય છે તે આજ ભવમાં ઘણા શ્રમણો અને શ્રમણીઓમાં માન સન્માન પ્રાપ્ત કરીને યાવતુ સંસાર રૂપ અટવીને પાર કરશે. | અધ્યયનન ૩-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (અધ્યયન-૪-કચબો) દર ભગવન્! શ્રમણ ભગવાન મહાવીરે જ્ઞાતા અંગના તૃતીય અધ્યયનનો આ અધિકાર કહ્યો તે હવે ચોથા અધ્યનનો શો અર્થ ફરમાવેલ છે ? હે બૂ! તે કાળ અને તે સમયમાં વાણારસી નામની નગરી હતી. તે સુંદર અને વર્ણનીય હતી. તે વાણારસી નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં ગંગાનામની મહાનદીમાં મૃતગંગાતીર દૂહ નામનો એક દૂહ હતો. તેનો અનુક્રમથી સુન્દર સુશોભિત તટ હતો. તેનું પાણી ઊંડુ અને શીતળ હતું તે દૂહ સ્વચ્છ અને નિર્મળ જળથી પરિપૂર્ણ હતું કમલિ નિીઓના પાંદડાં અને ફૂલોની પાંખડીઓથી આચ્છાદિત હતો. ઘણાં ઉત્પલો. પઘો, કુમુદો નલિનો તથા સુભગ સૌગંધક, પંદરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસ્ર પત્ર આદિ કમલોથી તથા કેશર પ્રધાન અન્ય પુષ્પોથી સમૃદ્ધ હતા. તેથી તે આનંદ જનક, દર્શનીય, અભિરૂપ, અને પ્રતિરૂપ હતો. તે દૂહમાં સેંકડો, સહસ્રો અને લાખો મચ્છ, કચ્છ, ગ્રાહ, , મગર અને સુંસુમાર જાતિના જલચર જીવોના સમૂહ ભયથી રહિત, ઉદ્વેગથી રહીત, ? સુખ પૂર્વક રમતા રમતા વિચરણ કરતા હતા. તે મૃતગંગાતીર દૂહની સમીપે એક મોટો માલુકાકચ્છ હતો. તે માલુકાકચ્છમાં બે પાપી શૃંગાલ નિવાસ કરતા હતા. તે પાપી, ચંડ રૌદ્ર ઈષ્ટ વસ્તુને પ્રાપ્ત કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org