________________ શ્રતખંઘ-૧, અધ્યયન-૩ તથા શ્રેષ્ઠ લક્ષણોથી યુક્ત એવો રથ લઈ આવો. ત્યાર પછી તે સાર્થવાહ પુત્રોએ સ્નાન કર્યું યાવતું શરીરને વસ્ત્રાભરણોથી અલંકૃત કર્યા અને તે રથ પર આરુઢ થઈને જ્યાં દેવદત્તા ગણિકાનું ઘર છે ત્યાં આવ્યાં. આવીને વાહનથી નીચે ઉતર્યા અને ઉતરીને દેવદત્તા ગણિકાના ઘરમાં પ્રવેશ કર્યો. તે સમયે દેવદત્તા ગણિકાએ સાર્થવાહ પુત્રોને આવતા જોયા. જોઈને તે હૃષ્ટ-તુષ્ટ થઇને આસન ઉપરથી ઉઠી અને ઉઠીને સાત આઠ પગલા સામે ગઈ. તેણે સાર્થવાહ પુત્રોને આ પ્રમાણે કહ્યું-દવાનુપ્રિયો ! આજ્ઞા આપો. આપનું અહીં આવવાનું શું પ્રયો જન છે ? હે દેવાનુપ્રિયે અમે તમારી સાથે સુભૂમિભાગ નામના ઉદ્યાનની ઉધાનશ્રીનો અનુભવ કરતા વિચરવા ઈચ્છીએ છીએ ! ત્યાર પછી દેવદત્તાએ તે સાર્થવાહ પુત્રોની એ વાતનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને સ્નાન કર્યું. મંગલ કૃત્ય કર્યું યાવતું લક્ષ્મીની સમાન શ્રેષ્ઠ વેશને ધારણ કર્યું અને જ્યાં સાર્થવાહ પુત્રો હતા ત્યાં આવી. ત્યાર પછી તે સાર્થવાહ પુત્રો દેવદત્તા ગણિકાની સાથેસુભૂમિભાગ ઉદ્યાન હતું અને જ્યાં નંદાપુષ્કરિણી હતી ત્યાં પહોંચ્યા. પહોંચીને યાનથી ઉતર્યા. ઉતરીને નંદા પુષ્કરિણીમાં અવગા હન કર્યું. અવગાહન કરીને જલ મજ્જન કર્યું જલક્રીડા કરી, સ્નાન કર્યું. અને ફરી દેવદ તાની સાથે બહાર નીકળ્યા જ્યાં સ્થૂણામંડપ હતો ત્યાં આવ્યા.બધા અલંકારોથી વિભૂષિત થયા. સ્વસ્થ થયા નિશ્વસ્ત થયા શ્રેષ્ઠ આસન ઉપર બેઠા દેવદત્તા ગણિકાની સાથે તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તથા ધૂપ, પુષ્પ, ગંધ, અને વસ્ત્રનું આસ્વા દન કરતા થકા. એવં ભોગવતા વિચારવા લાગ્યા. jપ૮ ત્યારપછી તે સાર્થવાહપત્રો દિવસના પાછળના પ્રહરમાં દેવદત્તા સાથે પૂણામંડપની બહાર નીકળ્યા. હાથમાં હાથ મીલાવીને સુભૂમિભાગઉદ્યાનમાં બના વેલા આલિવૃક્ષોનાગૃહોમાં, કદલીગૃહોમાં, લતાગૃહોમાં, આસનગગૃહોમાં પ્રેક્ષણગૃહો માં, મંડનગૃહોમાં મૈથુનગૃહોમાં શાલવૃક્ષોના ગૃહોમાં, જાલીવાલા ગૃહોમાં, પુષ્પગૃહો માં, ઉદ્યાનની શોભાનો અનુભવ કરતા વિચારવા લાગ્યા. [59] ત્યાર પછી તે સાર્થવાહ જ્યાં માલૂકાકચ્છ હતો ત્યાં જવાને માટે પ્રવૃત્ત. થયા. ત્યારે તે વનમયૂરીએ સાર્થવાહ પુત્રોને આવતા જોયા. જોઈને તે ડરી ગઇ તે જોર જોરથી અવાજ કરીને કેકારવ કરતી થકી માલુકાકચ્છથી બહાર નીકળી, નીકળીને એક વૃક્ષની ડાળી પર સ્થિત થઈ ને તે સાર્થવાહ પુત્રોને તથા માલુકા કચ્છને ઉપલી દ્રષ્ટિથી જોવા લાગી. ત્યાર પછી તે સાર્થવાહ પુત્રોએ આપસમાં એક બીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! આ વનમયૂરી આપ ણને આવતા જોઈને ભયભીત થઈ સ્તબ્ધ થઈ ગઈ, ત્રાસને પ્રાપ્ત થઈ, ઉદ્વિગ્ન થઈ, ભાગી ગઈ અને જોર જોરથી અવાજ કરીને યાવતુ આપણને અને માલુકાકચ્છને વારંવાર જોતી થકી ઉભી છે એનું કંઈક કારણ હોવું જોઈએ આમ કહીને તે માલુકાકચ્છની અંદર ગયા. જઈને તેઓએ ત્યાં બે પુષ્ટ અને અનુકમથી વૃદ્ધિ પ્રાપ્ત મયૂરીનાં ઈડા યાવતુ, જોઈને એક બીજાને બોલાવીને કહ્યું. હે દેવાનુપ્રિય ! આ વનમયૂરીના ઈડાને આપણી ઉત્તમ જાતિની મુર્ગીના ઈડામાં રાખી દેવા તે આપણા માટે સારું રહેશે. આમ કરવાથી પોતાના જાતિવત્ત મુર્ગીઓ તે ઈંડાઓને અને પોતાનાં ઈંડાને પોતાની પાંખોની હવાથી રક્ષણ કરતી અને સંભાળતી રહેશે તો આપણે બે ક્રીડા કરવાના મયૂર બાળક થઈ જશે. આમ વિચારીને તેઓએ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org