SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ મેઘનામના દેવની પણ તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહી છે. ભગવાન” તે મેઘદેવ તે દેવલોકથી આયુનો ક્ષય કરી, દેવ ભવના કારણા ભૂત કમનો ક્ષય કરીને અથવા દેવ ભવના શરીરનો ત્યાગ કરીને થવા દેવલોકથી ચ્યવન કરીને કઈ ગતિમાં જશે? ક્યા સ્થાન પર ઉત્પન્ન થશે ? “હે ગૌતમ ! મહાવિદેહ વર્ષમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે. સમસ્ત મનોરથોને સંપન્ન કરશે. કેવળ જ્ઞાન દ્વારા સમસ્ત પદાર્થોને જાણશે. સમસ્ત કર્મોથી મુક્ત થશે અને પરિનિર્વાણને પ્રાપ્ત કરશે અને સમસ્ત દુઃખોનો અંત કરશે. “આ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે જે પ્રવચનની આદિ કરનાર, તીર્થની સ્થાપના કરનાર યાવતું મુક્તિને પ્રાપ્ત થયા છે. આપ્ત ગુરુએ અવિનીત શિષ્યને ઉપાલંભ દેવો જોઈએ. આ પ્રયોજનથી પ્રથમ જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે. એમ હું કહું છું. અધ્યયનઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન ૨-સંઘાટ) ૪િરો જો શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ જ્ઞાતાધ્યાનનો આ અર્થ કહ્યો છે તો તે ભગવાન ! બીજા અધ્યયનનો શું અર્થ કહ્યો છે? હે જબૂતે કાળ અને તે સમયમાં રાજ ગૃહ નામનું હતું.તે રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા હતા. તેમહાન હિમવન્ત પર્વત સમાન હતા, ઈત્યાદિ તે ગુણશીલ ચૈત્યની ન અધિક દૂર કે ન અતિ નજીક એક ભાગમાં એક પડી ગયેલું જીર્ણ ઉદ્યાન હતું. તે ઉદ્યાનના દેવકુલ વિનષ્ટ થઈ ગયા હતા. તેમના દ્વારા આદિના તોરણ અને બીજા ગૃહ ભગ્ન થઇ ગયા હતા. વિવિધ પ્રકારના ગુચ્છા ગુલ્મો, અશોક આદિની લતાઓ, કાકડી આદિની વેલો અને બા આદિના વૃક્ષોથી તે ઉદ્યાન વ્યાપ્ત હતું સેંકડો વન્ય પશુઓના કારણે તે ભય ઉત્પન્ન કરતું હતું. તે જીર્ણ ઉદ્યાનના બહુ મધ્ય દેશ ભાગમાં એક તુટેલ કૂવો પણ હતો. તે ભગ્ન કુવાથી ન અતિ દૂર કે ન અતિ નજીક એક જગ્યાએ એક મોટું માલુકાકચ્છ હતું. તે અંજનની સમાન કાળા વર્ણવાળું હતું અને જોનારને કૃષ્ણવર્ણજ જોવામાં આવતું વાવતું રમણીય અને મહામેઘના સમૂહ જેવું હતું. તે ઘણા વૃક્ષો, ગુચ્છ, ગુલ્મો, લત્તાઓ, વેલો, તૃણી, કુશો, અને ઠુંઠાથી વ્યાપ્ત હતું અને ચારે તરફથી ઢાંકેલ હતું તે અંદરથી પોલું અથતિ અંદર વૃષ્ટિનો સંચાર ન હોઈ શકવાને કારણે સઘન હતું. અનેક સેંકડો હિંસક પશુઓ અથવા સર્પોના કારણે શંકા જનક હતું. [43] તે રાજગૃહ નગરમાં ધન્યસાર્થવાહ હતો. તે સમૃદ્ધિશાળી હતો. તેજસ્વી હતો. અને તેના ઘરે ઘણું ભોજન પાણી તૈયાર થતું હતું. તે ધન્ય સાર્થવાહની ભદ્રાપત્ની હતી. તેના હાથ પગ સુકુમાળ હતા. પાંચ ઈન્દ્રિયો હીનતાથી રહિત અને પરિપૂર્ણ હતી. તે સ્વસ્તિક આદિ લક્ષણો અને તલ, મસા આદિ વ્યંજનના ગુણોથી યુક્ત હતી. માન, ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ હતી. સારી રીતે ઉત્પન્ન થયેલ સુંદર બધા અવયવોને કારણે તે સુંદરાંગી હતી. તેનો આકાર ચંદ્રમાની સમાન સૌમ્ય હતો. તે પોતાના પતિને માટે મનોહર હતી. એવામાં પ્રિય લાગતી હતી. મુઠ્ઠીમાં સમાય જાય તેવો તેનો મધ્યભાગ ત્રિવલીથી સુશોભિત હતો. કુંડલોથી તેના ગંડસ્થલની રેખાઓ ઘસાતી રહેતી હતી. તેનું મુખ પૂર્ણિમાના ચંદ્ર સમાન સૌમ્ય હતું તે શૃંગારનું આવાસ હતી. તેનો વેજ સુંદર હતો. યાવત્ તે પ્રતિરૂપ હતી. પરંતુ તે વંધ્યા હતી. પ્રસવના સ્વભાવથી રહિત. હતી. જાનું અને કૂપરનીજ માતા હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy