________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ 29 કરેલ મંગલગાન સાથે એવું એવું માંગલિક પદાર્થોના પ્રયોગ દ્વારા પાણિ ગ્રહણ કરાવ્યું. ત્યાર પછી મેઘકુમારના માતા પિતાએ આઠ કન્યાઓને આ પ્રમાણે પ્રીતિદાન આપ્યું. આઠ કરોડ હિરણ્ય, આઠ કરોડ સુવર્ણ આદિ યાવતુ આઠ આઠ પ્રેક્ષણકારી અથવા પેષણાકારિણી તથા તેથી પણ વધારે ધન કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલાપ્રવાલ, રક્ત, રત્ન આદિ ઉત્તમ સારભૂત દ્રવ્ય આપ્યું જે સાત પેઢી સુધી દાન દેવાને માટે, ભોગ વવાને માટે, ઉપયોગ કરવાને માટે અને વહેંચણી કરીને દેવાને માટે પર્યાપ્ત હતું. ત્યાર પછી તે મેઘકુમારે પ્રત્યેક પત્નીને એક એક કોડ હિરણ્ય આપ્યું. એક એક કોડ સુવર્ણ આપ્યું. યાવતું એક એક પ્રેક્ષણકારિણી યા પેષણ કારિણી આપી તે સિવાય અન્ય વિપુલ ધન, કનક આદિ આપ્યું. જે યાવતુ દાન દેતા ભોગોપભોગ કરતા અને વહેંચણી કરતાં સાત પેઢી સુધી પર્યાપ્ત હતું. ત્યાર પછી મેઘકુમાર શ્રેષ્ઠ પ્રાસાદોની ઉપર રહ્યો એ પ્રમાણે ઉત્તમ સ્ત્રીઓ દ્વારા કરેલ બત્રિસ બદ્ધ નાટકો દ્વારા ગાયન કરાતો તથા કીડા કરતો મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ રૂપ, અને ગંધની વિપુલતા વાળા મનુષ્ય સંબંધી કામ ભોગોને ભોગવતો વિચરવા લાગ્યો. [2] તે કાળ તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમથી. એક ગામથી બીજા ગામ જાતા વિહાર કરતા રાગૃહ નગરના. ગુણશીલ ચૈત્યે પધાર્યા. [30] ત્યારે રાજગૃહ નગરમાં શૃંગાટક-માર્ગ આદિમાં ઘણા માણસોનો અવાજ થવા લાગ્યો. યાવતુ ઘણા ઉગ્નકુળ ભોગકુળ આદિના બધા લોકો યાવત રાજગૃહ નગર ના મધ્ય ભાગમાં થઈને એક જ દિશામાં એક જ તરફ મુખ રાખીને નીકળવા લાગ્યા તે સમયે મેઘકુમાર પોતાના પ્રાસાદ ઉપર હતો. યાવતું મનુષ્ય સંબંધી કામ ભોગ ભોગવી રહ્યો હતો. અને રાજ માર્ગનું અવલોકન કરતો કરતો વિચરી રહ્યો હતો. ત્યાર પછી તે મેઘકુમાર તે બહુસંખ્યક ઉગ્રંકુલીન, ભોગકુલીન યાવતુ બધા લોકોને એક જ દિશામાં મુખ રાખી જતાં જોવે છે. જોઈને કંચુકી પુરુષને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે દેવાનુપ્રિયાંશું આજે રાગૃહ નગરમાં ઈન્દ્ર મહોત્સવ છે?સ્કંદ મહોત્સવ છે? યા , શિવ,વૈશ્રમણ,નાગ, યક્ષ, ભૂત,નદી,તળાવ,વૃક્ષ,ચેત્ય,પર્વત ઉદ્યાનયાગિરિની યાત્રા છે? ત્યારે તે કંચુકી પુરુષે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આગમનનો વૃતાંત જાણીને મેઘકુમારને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! આજે રાજગૃહ નગરમાં ઈન્દ્ર મહો ત્સવ યાવતુ ગિરિયાત્રા આદિ નથી પરંતુ દેવાનું પ્રિય ! શ્રમણ ભગવાન મહાવીર ધર્મ તીર્થની આદિના કરનારા, તીર્થની સ્થાપના કરાવાવાળા અહિં સમવસૃત થયા છે. અને આ રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહની યાચના કરીને યાવતુ વિચરી રહ્યા છે. ત્યાર પછી મેઘકુમાર કંચુકી પુરુષ પાસેથી આ વાત સાંભળીને તેમજ દયમાં ધારણ કરીને હૃષ્ટ, તુષ્ટ હોઈ કૌટુમ્બિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહે છે- હે દેવાનુપ્રિયો ! શીધ્ર જ ચાર ઘંટાઓવાળા અશ્વરથને જોડીને ઉપસ્થિત કરો તે કૌટુમ્બિક પુરષો ‘તહત્તિ એમ કહીને રથ જોડીને લાવે છે. ત્યાર પછી મેઘકુમારને સ્નાન કર્યું. તે સર્વ અલંકારોથી વિભૂષિત થયો. પછી ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયો. કોટવૃક્ષની ફૂલોની માળા વાળા છત્રને ધારણ કર્યો. સુભટોના વિપુલ સમૂહવાળા પરિવારથી ઘેરાયેલ રાગૃહ નગરની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યો. નીકળીને જ્યાં ગુણશીલ નામનું ચૈત્ય હતું ત્યાં આવ્યો આવીને ભગવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org