SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ - 142 નાયાધમ્મ કહાઓ- 16-16169 હે પુત્રી ! આજથી હું તારો સ્વયંવર રચું છું. તેથી તે પોતાની ઇચ્છાથી જે રાજા અથવા યુવરાજનું વરણ કરીશ તે તારો પતિ થશે.” આ પ્રમાણે કહીને યાવતુ દ્રૌપદીને આશ્વા સન આપ્યું. આશ્વાસન આપીને તેણીને વિદાય કરી. ત્યાર પછી દ્રુપદ રાજાએ દૂત બોલાવ્યો. બોલાવીને તેને કહ્યું- દેવાનુપ્રિય! તમે દ્વારવતી નગરી જાઓ. ત્યાં તમે કૃષ્ણ વાસુદેવને અને સમુદ્રવિજય આદિ દશ દારોને, બળદેવ આદિ પાંચ મહાવીરોને, ઉગ્રસેન આદિ સોળહજાર રાજાઓને, પ્રદ્યુમ્ન આદિ સાડાત્રણ કરોડ કુમારોને, શાંબ આદિ સાઠહજાર દુદન્તોને, વીરસેન આદિ એકવીસ હજાર વીર પુરૂષોને, મહાસેન આદિ છપ્પન હાર બલવાન વર્ગને તથા અન્ય ઘણા રાજા યુવરાજ, તલવર, માડંબિક, કૌટુમ્બિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહ પ્રભૂતિને બંને હાથ જોડીને, દશે નખ મિલાવીને મસ્તક પર આવર્તન કરીને અંજલિ કરીને અને “જય-વિજય’ શબ્દ કહીને બધાને અભિનંદન કરજે. અભિનંદન કરીને આ પ્રમાણે કહેવું. “આ પ્રમાણે હે દેવાનુપ્રિયો ! કામ્પિત્યપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચુલણી. દેવીની આત્મા અને ધૃષ્ટદ્યુમ્ન કુમારની ભગિની શ્રેષ્ઠ રાજકુમારી દ્રૌપદીનો સ્વયંવર થવાનો છે. તેથી હે દેવાનુપ્રિયો! તમે બધા દ્રુપદ રાજા પર અનુગ્રહ કરીને કાળ-સમયનો વિલંબ કર્યા વિના-ઉચિત સમયે કોમ્પિલ્યપુર નગરમાં પધારજો.' ત્યાર પછી દૂતે બંને હાથ જોડીને વાવતું મસ્તક પર અંજલિ જોડીને દ્રુપદ રાજાનો આ અર્થ વૃત્તાન્ત) વિનય ની સાથે સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને પોતાના ઘરે આવ્યો. ઘરે આવીને કૌટુમ્બિક પુરૂ ષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું - ‘દેવાનુપ્રિયો ! ચાર ઘંટા વાળો અશ્વરથ જોડીને શીઘ ઉપસ્થિત કરો!” કૌટુમ્બિક પુરૂષોએ યાવત્ રથ ઉપસ્થિત કર્યો. ત્યારે પછી સ્નાન કરેલ અને અલંકારોથી વિભૂષિત થયેલ તે દૂતે ચાર ઘંટાવાળા અશ્વરથ ઉપર આરોહણ કર્યું. આરોહણ કરીને, કવચ આદિ ધારણ કરીને તૈયાર થયો અને અસ્ત્ર શસ્ત્રધારી ઘણા પુરૂષોની સાથે સુરાષ્ટ્ર જનપદની મધ્યમાં થઈને જ્યાં દ્વારવતી નગરી હતી, તેની તરફ ચાલ્યો, જ્યાં કૃષ્ણ વાસુદેવના બહારની સભા હતી, ત્યાં આવ્યો. ચાર ઘંટવાળો અશ્વરથ રોક્યો. રથથી નીચે ઉતર્યો પછી મનુષ્યોના સમહૂથી પરિવૃત થઈને પગે ચાલતો ચાલતો કૃષ્ણ વાસુદેવની પાસે પહોંચ્યો. ત્યાં પહોંચીને કણ વાસુદેવને, સમુદ્ર વિજય આદિ દસ દસારોને યાવતું મહાસેન આદિ છપ્પન હજાર બલવાન વર્ગને બંને હાથ જોડીને દ્રુપદરાજાના કથનાનુસાર અભિનંદન કરીને યાવત્ સ્વયંવરમાં પધારવાનું નિમંત્રણ આપ્યું. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ તે દૂતનો આ વૃત્તાન્ત સાંભળીને અને સમજીને પ્રસન્ન થયા યાવતુ તેમના દયમાં સંતોષ થયો. તેમણે તે દૂતનો સત્કાર કર્યો, સન્માન કર્યું. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કૌટુમ્બિક પુરૂષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું દેવાનુપ્રિયો ! તમે જાઓ અને સુધમાં સભામાં રહેલી સામુદાનિક ભેરીને વગાડો.” ત્યારે તે કૌટુમ્બિક પુરુષોએ ભેરી વગાડી સામુદાનિક ભેરીના તાડનથી સમુદ્રવિજય આદિ દસ દસાર યાવતું મહાસેન આદિ છપ્પન હજાર બલવાન, સ્નાન કરીને યાવત્ વિભૂષિત થઈને, પોત-પોતાના વૈભવ અનુસારે ઠાઠ તેમજ સત્કારના સમુદાય પ્રમાણે, કોઈ કોઈ રથ ઉપર તથા કોઈ કોઈ અશ્વ આદિ ઉપર આરૂઢ થઇને અને કોઈ કોઈ પગે ચાલીને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડીને બધાએ કૃષ્ણ વાસુદેવને જય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy