________________ સુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ 145 થાવત ગુપ્ત બ્રહ્મચારિણી છીએ આપણને શરીરબકુશ થવું કશે નહિ. પરંતુ હે આર્યો ! તું શરીરબકુશ બની ગઈ છે, તેથી દેવાનુપ્રિયે ! તું બકુશ ચારિત્રરૂપ સ્થાનની આલોચના કર, યાવતું પ્રાયશ્ચિત્ત અંગીકાર કર. ત્યારે સુકુમાલિકા આયએ ગોપાલિકા આયના આ અર્થનો આદર ન કર્યો, તેને અંગીકાર ન કર્યો. ઉલટુંઅનાદર કરતી અસ્વીકાર કરતી થકી વિચારવા લાગી. ત્યારે બીજી આવૃઓ સુકુમાલિકા આયની વારંવાર અવહેલના કરવા લાગી, યાવતુ અનાદર કરવા લાગી અને વારંવાર આ અર્થ માટે રોકવા લાગી. નિગ્રંથ શ્રમણીઓ દ્વારા અવહેલના કરાયેલી અને વારંવાર રોકાવામાં આવેલી તે સુકુમાલિકાના મનમાં આવો યાવત્ વિચાર ઉત્પન્ન થયો-જયારે હું ગૃહસ્થવાસમાં હતી, ત્યારે સ્વાધીન હતી. અને જ્યારે હું મુંડિત થઇને દીક્ષિત થઈ ત્યારે પરાધીન બની ગઈ. પહેલાં આ શ્રમણીઓ મારો આદર કરતી હતી, હવે આદર કરતી નથી. તેથી કાલે પ્રભાત થવા પર ગોપાલિકા આયની પાસેથી નીકળીને અલગ ઉપાશ્રયમાં જઈને મારે રહેવું. તે જ મારા માટે શ્રેયસ્કર છે.' તેણીએ આવો વિચાર કર્યો. વિચાર કરીને બીજા દિવસે પ્રભાત થવા પર ગોપાલિકા આર્યાની પાસેથી નીકળીને અલગ ઉપાશ્રયમાં જઇને રહેવા લાગી. ત્યાર પછી કોઈ રોકનાર ન હોવાથી સુકુમાલિકા સ્વચ્છંદબુદ્ધિ થઈને શિથિલાચારી બની ગઈ. પાર્શ્વસ્થની જેમ વિહાર કરવા લાગી. તે અવસાન અને આલ સમય વિહારવાળી થઇ ગઈ. કુશીલા થઈ ગઈ. સંસકતા સંસક્ત વિહારિણી થઈ ગઈ. આ રીતે તેણીએ ઘણાં વર્ષો સુધી સાથ્વી પયિનું પાલન કર્યું. અંતમાં અર્ધમાસની સંખના કરીને પોતાના અનુચિત આચરણની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાળના અવસરે કાળ કરીને ઈશાન કલ્પમાં, કોઈ વિમાનમાં નવ પલ્યોપમની સ્થિતિ વાળી દેવગણિકાના રૂપમાં ઉત્પન્ન થઈ. ત્યાં [168] તે કાળ અને તે સમયમાં, આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં, પંચાલ દેશમાં કાંડિલ્યપુર નામનું નગર હતું. ત્યાં દ્રુપદનામનો રાજા હતો. દ્રુપદ રાજાને ચલણી પટરાણી હતી અને ધૃષ્ટદ્યુમ્ન કુમાર યુવરાજ હતો. ત્યાર પછી સુકુ માલિકા દેવી તે દેવલોકથી આયુનો ક્ષય કરીને યાવતું દેવીના શરીરનો ત્યાગ કરીને આ દ્રુપદ રાજાની ચલણીરાણીની કુક્ષિમાં પુત્રી રૂપે ઉત્પન્ન થઈ. ત્યાર પછી ચલણી રાણીએ નવ માસ પૂર્ણ થતાં યાવતું પુત્રીને જન્મ આપ્યો. ત્યાર પછી બાર દિવસ વ્યતીત થવા પર તે બાલિકાનું ગુણનિષ્પન દ્રૌપદી નામ રાખ્યું. ત્યાર પછી પાંચ ઘાયો દ્વારા ગ્રહણ કરાયેલ તે દ્રોપદી દારિકા પર્વતની ગુફામાં સ્થિત ચંપકલતાની સમાન વાયુ આદિના વ્યાઘાતથી રહિત થઈને સુખપૂર્વક વધવા લાગી. ત્યાર પછી તે શ્રેષ્ઠ રાજકન્યા બાલ્યાવસ્થાથી મુક્ત થઈને યાવત્ ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ ગઈ. ત્યાર પછી રાજવરકન્યા દ્રૌપદીને એકવાર અંતઃપુરની રાણીઓએ સ્નાન કરાવ્યું યાવતુ અલંકારોથી વિભૂષિત કરી. પછી દ્રપદ રાજા ચરણોની વંદના કરવાને માટે તેની પાસે મોકલી. ત્યારે તે શ્રેષ્ઠ રાજકુમારી દ્રપદ રાજાની પાસે ગઈ. ત્યાં જઈને દ્રુપદ રાજાના ચરણોને સ્પર્શ કર્યો. [19] ત્યાર પછી દ્રુપદ રાજાએ દ્રૌપદી દારિકાને પોતાના ખોળામાં બેસાડી. પછી રાજવરકન્યા દ્રૌપદીના રૂપ, યૌવન અને લાવને જોઇને તે વિસ્મય પામ્યો. તેણે રાજવરકન્યા દ્રિૌપદીને કહ્યું- હે પુત્રી ! હું સ્વયે તને કોઈ રાજા અથવા યુવરાજની ભાય રૂપમાં દઈશ અને ત્યાં તું સુખી યા દુઃખી થઈશ તો મને જીદંગીભર દયમાં દાહ થશે. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org