SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૪ 125 કાયાને આકર્ષણ કરનાર, આત્મિયોગિક પરાભવ કરનાર, વશી કરણ, કૌતુક કર્મ, સૌ ભાગ્ય પ્રદાન કરનાર સ્નાન આદિ, ભૂતિકર્મ ભભૂતિનો પ્રયોગ, અથવા કોઈ મૂળ, કંદ, છાલ, વેલ, શિલિકા ગોળી, ઔષધ અથવા ભેષજ એવી છે કે જે પહેલા જાણેલું હોય ? જેથી હું તેતલિપુત્રને ફરી ઇષ્ટ બની શકું?” પોટ્ટિલાના દ્વારા આ પ્રમાણે કહેવા પર તે આયઓએ પોતાના બંને કાન બંધ કરી લીધા. કાન બંધ કરીને તેણે પોલ્ફિલાને કહ્યું “દેવાનુપ્રિયે ! અમે નિગ્રંથો શ્રમણીઓ છીએ યાવતુ ગુપ્ત બ્રહ્મચારિણી છીએ. તો એવા વચનો અમારે કાનથી સાંભળવા પણ કલ્પ નહિં તો આ વિષયમાં ઉપદેશ આપવો કે આચરણ કરવું તો કલ્પે જ કેમ? હે દેવાનું પ્રિયે ! અમે તમને અભુત યા અનેક પ્રકારનો ફેવલિપ્રરૂપિત ધર્મ સારી રીતે ઉપદેશથી શકીએ.” ત્યાર પછી પોટ્ટિલએ કહ્યુંહે આયઓ ! હું તમારી પાસેથી કેવલિપ્રરૂપિત ધર્મ સાંભળવાઈચ્છું છું. ત્યારે તેઆયઓએ પોટ્ટિલાને અભુત ધર્મનો ઉપદેશ આપ્યો. પોટ્ટિલા ધર્મનો ઉપદેશ સાંભળીને અને દયમાં ધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ થઈને બોલીઆ ઓ! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું. જેમ તમે કહ્યું. તે તેમજ છે. તેથી હું આપની પાસેથી પાંચ અણુવ્રતોને યાવતુ શ્રાવકના ધર્મને અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારે આયઓએ કહ્યું “જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યારે તે પોન્ટેિલાએ તે આયીઓ પાસેથી પાંચ અણુવ્રત યાવતું શ્રાવક ધર્મ અંગીકાર કર્યો તે આયઓને વંદના કરી. નમસ્કાર કર્યો. પછી તે પોકિલા શ્રમણોપાસિકા બની ગઈ. યાવતું સાધુ-સાધ્વીઓને આહાર આદિ પ્રદાન કરતી થકી વિચરતી રહેવા લાગી. [૧૫]એકદા મધ્યરાત્રિના સમયે જ્યારે તે કુટુમ્બના વિષયમાં ચિંતા કરતી તેને સંકલ ઉત્પન્ન થયો, કે-“પહેલાં હું તેતલિપુત્રને ઈષ્ટ હતી હવે અનિષ્ટ થઈ ગઈ છું. તેથી મારા માટે તો સુવ્રતા આની પાસે દીક્ષા અંગીકાર કરવી તે શ્રેયસ્કર છે. પોન્ટેિલાએ એવો વિચાર કર્યો. વિચાર કરીને બીજા દિવસે તે તેતલિપુત્ર પાસે ગઈ. જઈને બંને હાથ જોડીને બોલી- હે દેવાનુપ્રિય! મેં સવ્રતા આયા પાસેથી ધર્મ સાંભળેલ છે યાવતુ આપની આજ્ઞા મેળવીને હું પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારે તેતલિપુત્રે પોટ્ટિલાને કહ્યું છે દેવાનુપ્રિયે ! તમે મુંડિત થઈ, પ્રવ્રજિત થઈને મૃત્યુના સમયે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થશો, તો હે દેવાનુપ્રિયે! તમે મને દેવલોકથી આવીને કેવલિપ્રરૂપિત ધર્મ નો બોધ કરાવો તો હું તમને આજ્ઞા આપુ અગર તમે મને પ્રતિબોધ ન કરવો તો હું આજ્ઞા આપતો નથી. ત્યારે પોટિલાએ તેતલિપુત્રના એ અર્થનો સ્વીકાર કર્યો. ત્યાર પછી તેતલિપુત્રે વિપુલ અશન, પાન, ખાદિમ સ્વાદિમનો આહાર બના રાવ્યો. મિત્રો, જ્ઞાતિજનો આદિને આમંત્રિત કર્યા. યાવતુ તેઓનું યથોચિત સન્માન કર્યું. પોલ્ફિલાને સ્નાન કરાવ્યું. યાવતુ હજાર પુરુષોથી વહન કરવા યોગ્ય શિબિકા ઉપર આરૂઢ કરાવીને મિત્રો તથા જ્ઞાતિજનોથી પરિવૃત્ત થઈને, સમસ્ત ઋદ્ધિની સાથે, વાવતું વાદ્યોની સાથે, તેણીને તેટલીપુર નગરની મધ્યમાં થઈને સુવ્રતા આની પાસે ઉપા શ્રયમાં લાવ્યો. ત્યાં આવીને સુવ્રતા આયને વંદન કર્યા. નમસ્કાર કર્યો. હે દેવાનુપ્રિયે ! આ મારી પોટિલા ભાય મને ઇષ્ટ છે. તે સંસારના ભયથી ઉદ્વેગને પ્રાપ્ત થઈ છે, યાવતુ દીક્ષા અંગીકાર કરવા ઈચ્છે છે. તેથી હે દેવાનુપ્રિયે ! હું આપને શિષ્યા રૂપે ભિક્ષા આપું છું. તેને આપ અંગીકાર કરો.' સુવ્રતા આયએ કહ્યું- દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy