SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ - .. શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૦ 111 આ પ્રમાણે હે આયુષ્યમ– શ્રમણો ! અમારાં જે સાધુ અથવા સાધ્વી પ્રવ્રજિત થઈને ક્ષત્તિથી હીન હોય છે, તેમજ મુક્તિથી આર્જવથી, માર્દવથી, લાઘવથી, સત્યથી, તપથી, ત્યાગથી, અકિંચન્યથી અને બ્રહ્મચર્યથી, આ દશ મનિધમથી હીન થાય છે, તે પછી ક્રમશઃ ક્ષત્તિથી હીન અને અધિક હીન થતો જાય છે, યાવતુ બ્રહ્મચર્યથી, આ પ્રમાણે આ ક્રમથી હીન-હીનતર થતો તેના ક્ષમા આદિ ગુણો નષ્ટ થઈ જાય છે. જેમ શુકલ પક્ષની પ્રતિપદાનો ચંદ્ર અમાવસ્યાના ચંદ્રની અપેક્ષાએ વર્ણથી યાવતું મંડલથી અધિક હોય છે. આ પ્રમાણે ક્રમથી પરિવૃદ્ધિ પામતો યાવતુ પૂર્ણિમાનો ચંદ્ર ચૌદશના ચંદ્રની અપેક્ષાથી અધિકતર વર્ણવાળો અને પ્રતિપૂર્ણ મંડળવાળો હોય છે. આ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો ! જે અમારા સાધુ અથવા સાધ્વી યાવતુ દીક્ષિત થઈને ક્ષમાથી અધિક વૃદ્ધિ પામે છે વાવતુ બ્રહ્મચર્યથી પણ અધિક થાય છે, તે ક્રમશઃ ક્ષમાથી યાવતું બ્રહ્મચર્યથી અધિક અધિક થતા જાય છે. નિશ્ચયથી તે ક્રમશઃ વધતાં વધતા યાવતુ તે ક્ષમા આદિ તેમજ બ્રહ્મચર્યથી પરિપૂર્ણ થઈ જાય છે. આ પ્રમાણે જીવ વૃદ્ધિને પામે છે અને હાનિને પામે છે. | અધ્યયન-૧૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧૧-દાવદ) [142] દશમાં જ્ઞાત અધ્યયનનો શ્રમણ ભગવાન મહાવીરે આ અર્થ કહ્યો છે તો હે ભગવન્! અગીયારમાં અધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે?” હે જબૂ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામનું નગર હતું શ્રેણિક નામનો રાજા હતો. તે રાજગૃહની નગર બહાર ઉત્તર-પૂર્વ દિશામાં ગુણશીલ નામક ઉદ્યાન હતું. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાનું મહાવીર અનુક્રમથી વિચરતાં, યાવતુ ગુણશીલનામકઉદ્યાનમાં સમવસૃત થયા. ધર્મશ્રવણ કરવા માટે રાજા શ્રેણિક નીકળ્યો. લોકો નીકળ્યા ભગવાનને ધર્મને ઉપદેશ આપ્યો. જનસમૂહ પાછો ફરી ગયો. ત્યારે પછી ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને કહ્યું-ભગવાન ! જીવ કેવી રીતે આરાધક અથવા વિરાધક થાય છે. હે ગૌતમ ! જેમ કોઈ સમુદ્રના કિનારા ઉપર દાવદ્રવ નામક વૃક્ષો કહેલ છે. તે કૃષ્ણવર્ણવાળા યાવતું ગુચ્છારૂપ છે. પાંદડાવાળો, ફૂલવાળાં, ફળવાળાં, પોની હરિયાળીના કારણે મનોહર અને શ્રી થીઅત્યંત શોભિત થઈને સ્થિત છે. જ્યારે દ્વીપ સંબંધી કંઈક નિગ્ધ અથવા પૂર્વ દિશા સંબંધી વાયુ, પથ્યવાત યા પશ્ચિમી વાયુ, મંદવાયુ અને મહાવાત ચાલે છે ત્યારે ઘણા દાવદ્રવ વૃક્ષો પત્રયુક્ત થઇને યાવતુ ઉભાં રહે છે. તેમાંથી કેટલાક દાવદ્રવ વૃક્ષો જીર્ણ જેવા થઈ જાય છે. સડેલા પાંદડાવાળા થઈ જાય છે. તેથી તે ખરેલાં પીળા પાંદડા પુષ્પો અને ફળો વાળાં થઈ જાય છે અને સુકાયેલા વૃક્ષની જેમ કરમાયેલ થઈને ઉભા રહે છે. આ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વી યાવતુ દીક્ષિત થઈને ઘણા સાધુઓ અને ઘણા સાધ્વીઓ ઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓના પ્રતિકૂળ વચનોને સહન કરે છે, પરંતુ અન્ય તીર્થિકોના તથા ગૃહસ્થોના દુર્વચનને સમ્યક પ્રકારે સહન નથી કરતા એવા પુરુષને હે આયુષ્યમનું શ્રમણો ! મેં દેશવિરાધક કહેલ છે. જ્યારે સમુદ્ર સંબંધી ઇષત પુરોવાત, પથ્ય યા પશ્ચાત્ વાત, મંદવાત અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy