SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ 110 નાયાધમ્મકહાઓ - 1939 તેના માતા પિતાએ મિત્ર, જ્ઞાતિ, સ્વજન યાવતુ પરિવારની સાથે રોતાં રોતાં ઘણાં લૌકિક મૃતકૃત્ય કર્યા. મૃતકૃત્ય કરીને તેઓ કેટલાંક સમય પછી શોક રહિત થયા. ત્યાર પછી કોઈ સમયે સુખાસન પર સ્થિત જિનપાલિતને માતા-પિતાએ આ પ્રમાણે પ્રશ્ન કર્યો હે પુત્ર ! જિનરક્ષિત કેવી રીતે કાળધર્મ (મૃત્યુ)ને પ્રાપ્ત થયો?” ત્યારે જિનપાલિત માતાપિતાને પોતાનો સર્વ વૃત્તાન્ત જેવો હતો તેવો સત્ય અને અસંદિગ્ધ કહી સંભ લાવ્યો. ત્યાર પછી જિનપાલિત યાવતુ શોક રહિત થઈને યાવતુ વિપુલ કામ-ભોગ ભોગ વતો રહેવા લાગ્યો. [140] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર, જ્યાં ચંપા નગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, ત્યાં પધાર્યા. ભગવાનની ધર્મદેશના સાંભળવા પરિષદુ નીકળી. કોશિકરાજા પણ નિકળ્યો જિનપાલિતે ધમપદેશ શ્રવણ કરીને દીક્ષા અંગીકાર કરી. ક્રમશઃ અંગીયાર અંગના જ્ઞાતા થઈને. અંતમાં એક માસનું અનશન કરીને યાવતુ સૌધર્મ કલ્પમાં દેવના રૂપમાં ઉત્પન્ન થયો. ત્યાં બે સાગરની તેની સ્થિતિ કહેલ છે. ત્યાંથી ચ્યવન કરીને યાવતું મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધિ પ્રાપ્ત કરશે. આ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો ! જે મનુષ્યો ચાવતું મનુષ્ય સંબંધી કામ ભોગોની પુનઃઅભિલાષા નથી કરતા, તે જિનપાલિતની જેમ વાવતું સંસાર સમુદ્રને પાર કરશે. અધ્યયન-૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] | [અધ્યયન-૧૦-ચંદ્રમા) [141 શ્રમણ ભગવાન મહાવીરે નવમ જ્ઞાતાધ્યયનનો આ અર્થ ફરમાવેલ છે, તો દશમ જ્ઞાતાધયયનનો શું અર્થ ફરમાવેલ છે? જબ્બ ! આ પ્રમાણે નિશ્ચયથી તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામનું નગર હતું. શ્રેણિક રાજા હતો. નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં ગુણશીલ ચૈત્ય હતું. તકાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અનુક્રમથી વિચરતાં. એક ગામથી બીજા ગામ જતાં જ્યાં ગુણશીલ ઉદ્યાન હતું, ત્યાં પધાર્યા, ભગવાનની ધર્મ દેશના સાંભળવા માટે પરિષદુ નીકળી. શ્રેણિકરાજા પણ નીકળ્યો. ધમોપદેશ સાંભ ળીને પરિષદ્ પાછી ગઈ. ત્યાર પછી ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન્ મહાવીરને આ પ્રમાણે કહ્યું - ભગવન્! જીવ કયા કારણે હાનિને પામે છે? જીવ શાશ્વત, અનાદિ અને અનંત છે તેથી તેની સંખ્યામાં હાનિ વૃદ્ધિ થતી નથી. એક એક જીવના પ્રદેશ અસંખ્યાત છે. તે પ્રદેશોમાં પણ હાનિ વૃદ્ધિ થતી નથી. જીવના ગુણોનો વિકાસ તે જીવની વૃદ્ધિ અને ગુણોને હજ જીવની હાની છે. ભગવાન ગૌતમ સ્વામીના પ્રશ્નો ઉત્તરઆપેછે-હે ગૌતમ! જેમ કૃષ્ણ પક્ષની પ્રતિપદાનો ચન્દ્ર, પૂર્ણિમ ના ચન્દ્રની અપેક્ષાએ વર્ણથી હીન, સૌમ્ય તાથી હીન, સ્નિગ્ધતાથી હીન હોય છે, કાન્તિથી હીન હોય છે, તેમજ દીપ્તિથી, યુક્તિથી. છાયાથી, પ્રભાથી, ઓજસુથી, વેશ્યાથી અને મંડલથી હીન હોય છે. કૃષ્ણપક્ષની બીજનો ચંદ્ર એકમના ચંદ્ર કરતાં વર્ણથી હીન હોય છે વાવતું મંડલથી હીન હોય છે. ત્યાર પછી તૃતીયાનો ચંદ્રમાં, બીજના ચંદ્રમાં કરતાં વર્ણથી યાવતુ મંડલથી પણ હીન હોય છે આ પ્રમાણે વાવતુ અમાવસ્યાનો ચંદ્ર ચૌદશના ચંદ્રની અપેક્ષાથી, વર્ણ આદિથી સર્વથા માટે થાય છે, યાવતું મંડલથી નષ્ટ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy